SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તો: બ્રહ્માત્મનો ત્ત્ત ત્રુત્યા વ મુહુઃ સમ્યજ પ્રતિપાદ્યતે । મુદ્દુ: એટલે વારંવાર, અવારનવાર, સમ્યક્ એટલે સારી રીતે, સારી પેઠે. તે બે, - બ્રહ્મ અને આત્મા એટલે કે જીવ,-નું (તયો: બ્રહ્માત્મનો) એકત્વઐક્ય, શ્રુતિ વડે જ, વારંવાર સારી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે એકત્વ કેવું છે ? ‘તત્ત્વમસિ’। રૂતિ તત્ (૪) ત્યું (૨) પામ્યાં શોષિતયો: મધીયમાનયોઃ યર્ રહ્યં ત્ત્ત (અસ્ત) તવ્ । તત્ત્વત્વ-સ્તિ । ત્તું' ‘તું' એટલે કે ‘જીવ’ (બીજો પુરુષ એકવચનનું રૂપ) તત્ ‘તે', એટલે કે ‘બ્રહ્મ' (ત્રીજો પુરુષ એકવચનનું રૂપ). પ્તિ છે : ‘તું' (જીવ) ‘તે' (બ્રહ્મ) છે. તત્ત્વમસિ । એ સામવેદનાં છાન્દોગ્ય ઉપનિષદનું મહાવાક્ય છે. આ શ્રુતિવચનમાંનાં તત્ અને ટ્યું, એ બે પદો,નું શોધન કર્યા પછી, તે બે પદો દ્વારા, જેનો બોધ થાય છે, અમિધીયમાનયો: જેની અભિવ્યક્તિ થાય છે, તે એકત્વ, ત્હ એટલે આવી રીતે, આ પ્રમાણે. કેવી રીતે ? ‘તું તે છે’, એટલે કે ‘જીવ (પોતે જ) બ્રહ્મ છે,’ એવી રીતે, એ પ્રમાણે. પરંતુ તે બે પદો દ્વારા આવો બોધ તો જ, ત્યારે જ થાય છે, જો અને જ્યારે તે બે પદોનું ‘શોધન’ કરવામાં આવે (શોધિતયો). શોધન એટલે શુદ્ધીકરણ, સ્પષ્ટીકરણ (Purification), સ્વચ્છીકરણ (Cleaning), તેમાંની ભૂલોનું નિવારણ કરીને અર્થને વિશદ-શુદ્ધ, અસંદિગ્ધ બનાવવાની પ્રક્રિયા (Exact Determination). (૨૪૩) - અનુવાદ : ‘તત્ત્વમસિ' (તત્-ત્ત્વ-સ્તિ । આ શ્રુતિવાક્યનાં) ત્ (‘તે’) અને ત્યું (‘તું’), આ બે, શોધન કરાયેલાં, પદો દ્વારા જેનો બોધ થાય છે તે, બ્રહ્મ અને જીવનું આવું એકત્વ, શ્રુતિ વડે જ, વારંવાર, સારી રીતે, પ્રતિપાદન કરાવામાં આવ્યું છે. (૨૪૩) ટિપ્પણ : આ શ્લોકનું તાત્પર્ય યથાર્થ રીતે સમજાય તે માટે, વેદાન્ત-દર્શનમાં સ્વીકારવામાં આવેલી, કેટલીક, પરંપરા-પ્રાપ્ત શાસ્ત્રોક્ત બાબતોને સમજી લેવાની જરૂર છે, તે આ પ્રમાણે છે : (૧) મહાવાક્યો : બ્રહ્મ અને જીવ, અથવા પરમાત્મા અને જીવાત્માની એકતા વિશે, ચારેય વેદોએ, પોતપોતાનાં ઉપનિષદો દ્વારા, અત્યંત સંક્ષેપમાં, વાક્યો રજુ કર્યાં છે તે, તદન નાનાં અને ટૂંકાં હોવા છતાં, સાધક મુમુક્ષુને આત્મસાક્ષાત્કાર કરાવવા માટે સમર્થ હોવાથી, તેમાંના ગહન-ગંભીર આધ્યાત્મિક અર્થને અનુલક્ષીને, મહાવાક્યો' તરીકે, દાર્શનિક પરંપરામાં પ્રસિદ્ધિ પામ્યાં છે, તેની વીગતો નીચે પ્રમાણે છે : ઉપનિષદ ઐતરેય-ઉપનિષદ વેદ (અ) ઋગ્વેદ મહાવાક્ય प्रज्ञानं ब्रह्म । (આત્મા અને બ્રહ્મ જ્ઞાનસ્વરૂપ છે.) વિવેકચૂડામણિ / ૪૫૧
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy