________________
શ્રીજયાનન્દભાઈ દવે :
એક વિરલ સારસ્વત
મુ. શ્રીજયાનંદભાઈ ઉત્તરોત્તર નવાં નવાં સંપાદનો મા શારદાને ચરણે સમર્પિત કરતા જાય છે. આ નવું સંપાદન પૂ. શંકરાચાર્ય દ્વારા લિખિત “વિવેકચૂડામણિ”નામના ગ્રંથને આપણી સમક્ષ રજૂ કરે છે. શ્રીજયાનંદભાઈએ ૮૫ વર્ષની જૈફ ઉમરે ભગીરથ કાર્ય ગણાય એવું આ ગ્રંથનું સંપાદન કર્યું છે. આ ગ્રંથમાં ૫૮૧ શ્લોકો છે. તે પ્રત્યેકનો ગદ્ય અન્વય, શબ્દાર્થ, ભાષાંતર અને વિશદ સમજૂતી આપવાનું કામ કેટલી ધીરજની અપેક્ષા રાખે, તે કલ્પવું સરળ નથી. છતાં શ્રીજયાનંદભાઈએ આ કામ ખૂબ જ ઉત્સાહથી સંપન્ન કર્યું છે, જે માટે તેઓ અનેરા અભિનંદનને પાત્ર બન્યા છે. “પરમ સારસ્વત' જ આવું મુશ્કેલ કામ સંપન્ન કરી શકે.
આ ગ્રંથમાં પૂ. શંકરાચાર્યે ખૂબ જ વીગતે “વિવેકની સમજણ આપી છે. આ વેદાંતશાસ્ત્રનો ગ્રંથ છે. શ્રીજયાનંદભાઈ મૂળ તો અલંકારશાસ્ત્રના વિદ્યાર્થી, છતાં વેદાંતશાસ્ત્રીની અદાથી તેમણે આ ગ્રંથમાં ચલ આત્મજ્ઞાનની દુર્લભતા, સ્થળશરીર-વિવેચન, માયાનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, વિવેક દ્વારા સમ્યક જ્ઞાન, અજ્ઞાનીનું અનાત્મદર્શન, બ્રહ્મ અને બ્રહ્માંડનું ઐક્ય, બ્રહ્મભાવના, સમાધિ, યોગ-નિરૂપણ, સ્થિતપ્રજ્ઞદર્શન, વૈત-નિષેધ, આત્મજ્ઞાનનું આશ્ચર્ય, – જેવા મુદ્દાઓ સંપાદકશ્રીને એક વિરલ સારસ્વત’ તરીકે પ્રસ્થાપિત કરે છે. લક્ષ્ય અને અલક્ષ્ય જેવા મુદ્દાઓની ચર્ચા વાંચતી વેળાએ, શ્રીગોવર્ધનરામ ત્રિપાઠીએ “સરસ્વતીચંદ્ર'માં રજૂ કરેલ લક્ષ્યાલક્ષ્યવિવેક'ની ચર્ચા યાદ આવે છે અને નવલકથાકારે એ આલેખન વખતે મૂળગ્રંથ “વિવેકચૂડામણિ'નો સહારો લીધો જ હશે, એમ લાગે છે. આ ગ્રંથમાં અંતિમ પુરુષાર્થ મોક્ષને સિદ્ધ કરવા માટે અવિદ્યારૂપી હૃદયગ્રંથિનું ભેદન આવશ્યક છે, એમ જણાવેલું છે. અભિમાન છોડી દીધા બાદ, સાચી આત્મસ્મરણરૂપી નિત્યમુક્તિ પ્રાપ્ત થઈ શકે છે, એવો ઉપદેશ આપણને આ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે.
વેદાંત-વિષયની ચર્ચા કરનારા આ ગ્રંથના સંપાદક શ્રીજયાનંદભાઈ દવેનો પરિચય આપવાનો અત્રે ઉપક્રમ છે.
૨૫ ઑક્ટોબર ૧૯૧૭ના રોજ, વિજયાદશમીના પર્વના દિવસે જન્મેલા શ્રીજયાનંદભાઈનું મૂળ વતન ધાંગધ્રા છે. સ્વ.રેવાબહેન અને જમીનદારી અને ધીરધારના વ્યવસાય સાથે સંકળાયેલા સ્વ.શ્રીલક્ષ્મીશંકર દવે, તેમનાં પૂ.માતા-પિતા.
૪૦ | વિવેચૂડામણિ