________________
બાપાજીનાં સ્મારક અને અંજલિરૂપે અમે સહુ ભાઈઓએ એક સ્મારક રચ્યું છે : “પુરુષોત્તમ હરિકશનદાસ ટ્રસ્ટ”. એમાં બાર લાખનું ફંડ છે, તેના વ્યાજમાંથી ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અપાય છે, વૃદ્ધો-વિધવા-માંદાને મદદ અપાય છે. આ કુટુંબ-ઇતિહાસ છે, બાપાજીએ અનેક કષ્ટો સહીને આપણને આપ્યાં છે, વારસામાં, ખાનદાની, સત્યનિષ્ઠા અને સાત્ત્વિકતા, – તેનો ! તેને બિરદાવીએ, દૃઢ કરીએ, એ જ, વડીલ તરીકેની સહુને મારી ઇચ્છા, આકાંક્ષા, અભિલાષા ! સદ્ગુણયુક્ત સહુ વડીલોને અંતઃકરણપૂર્વક સ્મરીને, આ ગ્રંથ, અર્પણ કરતાં અમે સહુ આનંદ અનુભવીએ છીએ :
“જેનાં સંસ્કાર – પાથેયે
-
બની સંતતિ ઊજળી, અર્પે છે, આત્મચિંતનમયી
આ
વિવેકચૂડામણિ !”
માતા-પિતાનાં ઋણ કદી ફેડી શકાતાં નથી, તે માટેનો એક સુંદર શ્લોક યાદ આવી જાય છે, તેને રજુ કરીને, અમારા પરિવારનો આ સંક્ષિપ્ત ઇતિહાસ સમાપ્ત કરું છું
सर्वार्थसंभवो देहो जनितः पोषितो यतः I न तयोस्तद्-ऋणं कोऽपि क्वापि पूरयितुं क्षमः ॥
(“સર્વ પ્રકારના હેતુઓ સિદ્ધ કરી શકે એવો દેહ જેમનાં લીધે જન્મ્યો અને પોષણ પામ્યો, તે માતા-પિતાનું તે ઋણ કોઈ પણ મનુષ્ય પરિપૂર્ણ કદી પણ કરી શકે નહીં.”)
– રમણીકલાલ પુ. શાહ
મુંબઈ, આષાઢી બીજ, - વિ.સં. ૨૦૫૮ તા. જુલાઈ ૧૨, ૨૦૦૨
વિવેકચૂડામણિ | ૩૯