________________
ઉપયોગી નીવડ્યો છે. એમના આ સિદ્ધાંતવાદી અભિગમથી, એમનાં સંતાનો એવાં અમે, ધંધાની એ જ પ્રામાણિકતા અને નીતિમત્તા જાળવી રાખી છે.
પિતાજી, વ્યવહારમાં, આટલા સિદ્ધાંતો પર સદા ભાર મૂકતા : (૧) સત્યના પંથે જ સદા વ્યવહાર-વ્યાપાર ચલાવવો; (૨) કામ બધું કાયદેસરનું જ હોવું જોઈએ; (૩) બધું કામ સમયસર અને વ્યવસ્થિત થવું જોઈએ; (૪) વ્યાપાર આપણી મુઠ્ઠીમાં સમાય, એટલો જ કરવો; (૫) એક જ પત્ની, એક જ બેંક અને એક જ ઇન્શ્યોરન્સકંપની; (૬) કોઈ પણ જાતનું વ્યસન ન સેવવું. ચાહ નહીં પીવાની, સવારમાં દૂધ જ લેવાનું.
બાપાજીને બ્લડપ્રેશરનો અને પક્ષઘાતનો સૌપ્રથમ હુમલો ૧૯૩૦માં બાથરૂમમાં થયેલો, પણ અમારા ફેમિલી ડૉક્ટર ચંદુલાલની ટ્રીટમેન્ટથી સાજા-સારા થઈ ગયા હતા. ડાયાબિટિસ પણ હતું, પરંતુ ખાવાના શોખમાં તેઓશ્રી પૂરા સૂરતી ! અને સાજામાંદા ચાલતા પણ રોજ વરસાદમાં હેંગિંગ ગાર્ડન અવશ્ય જતા. હાર્ટ-ટ્રબલ થઈ તેનું આ એક કારણ હોઈ શકે. તેમનું નિધન મે-૧૯૫૩માં થયું. આ પહેલાં એમનું વિલ” મારી પાસે લખાવેલું. બધાંને પૂછ્યું : “શું જોઈએ છે ?” અમે તો એમનાં જ સંતાનો ! કોઈએ કશું માગ્યું નહીં : સત્ય, સદ્ગુણ, પ્રામાણિકતા અને અવિચળ ઈશ્વરશ્રદ્ધા, એ જ એમનો સાચો વારસો, - જેના થકી આજે પણ અમે સહુ સુખી છીએ.
બાપાજીનાં અસ્થિવિસર્જન માટે બાએ મને હરદ્વાર મોકલ્યો હતો, એ વખતની મારી લાંબી અંજલિમાંથી આટલું અત્યારે પ્રસ્તુત છે :
“ધનનો વારસો આપે પિતા ઘણા જગમાંહી,
સંસ્કાર અર્પે એવા પિતા સાચા તમો હતા ” એમની જન્મશતાબ્દી-સમયની અંજલિની થોડી પંક્તિઓ :
“અમો છીએ સુખી આજે, આશિષો તમારા ” માગીએ આશિષ અમો, – ન ફસીએ અનર્થમાં, ધર્મને દિલમાં રાખી, સદા રહીએ હેતમાં,
પુરુષોત્તમ' નામ એ, અમ માટે સાચું ઠર્યું ” અને બાને પણ એવી જ હૃદયસ્પર્શી અંજલિ ! -
“તારે ખોળે રમ્યો'તો, મા ! તારે ખોળે સૂતો'તો મા ! ઘણું દીધું, ન કદી માગ્યું : દિલાવર દિલની એવી તું, મા "
૩૮ | વિવેકચૂડામણિ