________________
જાય છે ! ધન્ય છે, આ વિભાવનાને ! ' મેટ્રિક પાસ થયા પછી, પિતાજી, ઘરની પેઢી “મેસર્સ હરકિશનદાસ જગજીવનદાસ”માં જોડાયા અને બહુ જ થોડા સમયમાં, ધંધાની સમજ તેમણે મેળવી લીધી.
બાપાજીનાં લગ્ન, ૧૯૦૯માં, લલિતાદેવી સાથે થયાં હતાં. તેમનું દાંપત્યજીવન સંપૂર્ણરીતે સુખી, સુમેળભર્યું અને પ્રસન્નમધુર હતું. અમે છ ભાઈઓ, - રજનીકાંત, હું, ઈશ્વરલાલ, સુશીલ, માધવ અને કિશોર, તથા ત્રણ બહેનો – લીલી, જયવંતી અને ભાનુ, મળીને નવ ભાઈબહેનો : સહને માતાપિતા તરફથી સુસંસ્કાર અને સગુણોની સમૃદ્ધિ નાનપણથી જ મળી હતી; મમતા, સંપ, સદ્ભાવ અને સૌજન્યનું સાતત્ય અમારી સહની વચ્ચે સદા-સર્વદા જળવાઈ રહ્યું છે. અમારા સહુનાં જીવનમાં ક્યાંય, ક્યારેય, કટુતા-કલેશ-ઘર્ષણ જેવા દુર્ભાવો અમે અનુભવ્યા નથી.
એક જ દુઃખ અમે કદી વીસરી શક્યાં નથી : ઈશ્વરભાઈ પછી જન્મેલી અમારી વહાલસોઈ બેન લીલી, અસાધ્ય રોગને કારણે, પાંચ જ વર્ષની ઉંમરે શ્રીચરણ પામી. લીલી એટલે ઉષ્માભરી લાગણીનું મૂર્તિમંત સ્વરૂપ : દેખાવડી, મીઠડી અને બટકબોલી પણ એવી જ : ઈશ્વરની અકળ અને અજબ લીલા !
- માતાજી બહુ “ભણેલાં હોતાં, પણ “ગણેલાં એવાં કે ગૃહિણી તરીકે આદર્શ, વ્યવહાર-કુશળ અને કાર્ય-દક્ષ, અને રસોઈની આવડત, સૂઝ અને નિપુણતા તો એમની જ ! પિતાજીના સ્વભાવમાં થોડી ઉગ્રતા ખરી, પણ માતાજી એને, – ધીરજ, સ્વસ્થતા અને સહિષ્ણુતાપૂર્વક, કોઈને કશી ખબર પણ ન પડે એવી રીતે, પોતાની સ્વાભાવિક પ્રસન્ન મુખમુદ્રા સાથે, – નિભાવી લે !
બાપાજી “મેસર્સ હરકિશન જગજીવન”માં જોડાયા પછી, તેમના ભાઈ નવનીતલાલે, રૂ-નો વ્યાપાર કરવા માટે ૧૯૦પ/૦૭માં નવી કાં. ઊભી કરી, - “મેસર્સ ભાઈદાસ કરસનદાસ”નાં નામે. આરંભમાં માત્ર આડતનો જ ધંધો હતો. ત્યારબાદ, ધીમે ધીમે, સિદ્ધિ મળતાં, રૂનો પદ્ધતિસરનો ધંધો શરૂ કર્યો. અને આમાંયે, પછી તો નિર્માતનો ધંધો ચાલુ કર્યો. બાપાજી ૧૯૨૯, ૧૯૩૩, ૧૯૩૯, - એમ ત્રણ વાર વ્યાપાર-વિકાસના અનુસંધાનમાં, વિદેશ ગયા હતા, એનાં પરિણામે ધંધામાં સારી વૃદ્ધિ થતી રહી. ૧૯૨૮માં કરાંચીમાં શાખા ખોલી, તે, છેક દેશના ભાગલા પડ્યા ત્યાં સુધી, ૧૯૪૮ સુધી, ચાલુ રહી.
હું વિલાયત ૧૯૫૫માં અને અમેરિકા ૧૯૭પમાં ગયો હતો.
વચ્ચે બે વિશ્વયુદ્ધો આવી ગયાં, તેમાં વેપારધંધામાં ઘણી જ અવ્યવસ્થા થઈ ગઈ. પરંતુ બાપાજીએ પોતાનાં દીર્ધદષ્ટિ, સૂઝ અને શાણપણ વડે પેઢીને સલામત રાખી : વ્યવહાર અને સિદ્ધાંત, એ બંનેનો એમણે સાધેલો સમન્વય અમને ખૂબ જ
વિવેકચૂડામણિ | ૩૭