________________
ટિપ્પણ: જગત સત્ય હોય, અથવા એમ સ્વીકારવામાં આવે તો, કેવા-કેવાં અનુચિત, અનિચ્છનીય અને અનિષ્ટ-કક્ષાના પ્રસંગો સર્જાય, એનું પ્રતિપાદન કરીને, છેલ્લા શ્લોકમાં, સુનિશ્ચિત રીતે સિદ્ધ કરવામાં આવ્યું કે જગત તો, સ્વમ જેવું અસત્ય અને મિથ્યા છે. ' હવે, હકીકત આવી હોવાથી, ઉપર્યુક્ત સિદ્ધિમાંથી જ બીજી સિદ્ધિ સ્વાભાવિક રીતે, એ ફલિત થાય કે આવું મિથ્યા જગત પરમાત્માથી જૂદું ન હોઈ શકે. પરંતુ, તો પછી જગત પરમાત્માથી ભિન્ન પ્રતીત થાય છે, તેનું શું? આવી મિથ્યા (મૃષા) પ્રતીતિનાં બે કારણો આવામાં આવ્યાં છે : (૧) પહેલું તો એ કે ગુણવાન માણસના ગુણો તે માણસથી જૂદા ન હોવા છતાં, અવિવેકીને જૂદા જણાય છે (પૃથ પ્રતીતિ:). એનું કારણ, એવા માણસનું અજ્ઞાન અથવા વિવેકબુદ્ધિનો તેનો અભાવ જ છે. ગુણો તો, ગુણવાન માણસની અંદર, એની સાથે, એના સ્વભાવમાં અથવા વ્યક્તિત્વમાં જ રહે છે, માણસની બહાર, બીજે ક્યાંય હોઈ શકે જ નહીં, અને છતાં અજ્ઞાની કે અવિવેકીને એ બંને એટલે કે દ્રવ્ય' (ગુણવાન માણસ) અને એનાં “ગુણો' જૂદા જણાય છે (થ પ્રતીતિ:). પરંતુ તે પ્રતીતિ તો મિથ્યા જ છે, અને (૨) બીજું, આ પહેલાં, આપણે જોયું તેમ, જગત તો બ્રહ્મરૂપી અધિષ્ઠાનમાં માત્ર આરોપિત જ છે, અને આરોપિતનું, તેનું પોતાનું એવું, જૂદું અસ્તિત્વ કે વાસ્તવિકપણું તો કદી હોય જ નહીં. અંધારું હતું, તેથી “દોરડું “સર્પ રૂપે પ્રતીત થયું, પરંતુ સર્પ તો હતો જ ક્યાં? અંધારાને કારણે દોરડાં(અધિષ્ઠાન)માં એ તો માત્ર આરોપિત જ હતો. જેવું અજવાળું થયું કે સર્પ ક્યાંય ન રહ્યો, કારણ કે આરોપિત તરીકે તેનું વાસ્તવિક અસ્તિત્વ હતું જ નહીં ! મૂળ અધિષ્ઠાન(દોરડું) જ આરોપિત(સર્પ)નાં રૂપમાં આભાસિત થતો હતો, – અંધકારરૂપી ભ્રમને કારણે.
એ જ રીતે, જો જગત જૂદું પ્રતીત થતું હોય તો પણ, હકીકતમાં, તે તો બ્રહ્મ (અધિષ્ઠાન)ની જ ભ્રાંતિજન્ય પ્રતીતિ છે ! અધિષ્ઠાન જ તેવાં રૂપે (તથા, એટલે કે આરોપિત જગતનાં રૂપમાં) ભાસે છે (પતિ) અને તે પણ અવિદ્યા, અજ્ઞાન, અવિવેક કે ભ્રાંતિને કારણે જ (પ્રમે).
શ્લોકનો છંદ ઉપજાતિ (૨૩૭)
- ૨૩૮ भ्रान्तस्य यद्यद् भ्रमतः प्रतीतं
ब्रह्मैव तत्तद्रजतं हि शुक्तिः । इदंतया ब्रह्म सदैव रूप्यते । त्वारोपितं ब्रह्मणि नाममात्रम् ॥ २३८ ॥
વિવેકચૂડામણિ / ૪૩૯