________________
જ. જગત સીમિત છે, જ્યારે ઈશ્વર અસીમ છે. ઈશ્વરનું સ્વરૂપ ‘અંતરસ્થ’ (Imminent) હોવા ઉપરાંત ‘સર્વાતિશાયી' (Transcendental) પણ છે. અને હવે છેલ્લી વાત : ઈશ્વરનો આત્મા, પોતાના વડે ઉત્પન્ન વસ્તુઓમાં જ સમાઈ શકે નહીં (મમ આત્મા ભૂતભાવનઃ । શ્લોક-૫). આ જગત ઈશ્વરનું જીવંત સ્વરૂપ હોવા છતાં, ઈશ્વરનું તે સંપૂર્ણ (Complete) અને પરિપૂર્ણ (Absolute) સ્વરૂપ નથી. બીજા શબ્દોમાં કહીએ તો,–
બધા જ ભૂતો બરાબર ઈશ્વર,
પરંતુ ઈશ્વર બરાબર બધાં જ ભૂતો, – એમ નહીં !
-
ભગવાન પોતે જ કહે છે તેમ, પોતે ભૂતોને સર્જનાર (ભૂતભૃત) હોવા છતાં, ભૂતોમાં રહેલા(ભૂતસ્થ) નથી. (શ્લોક-૫)
અને ભગવાન પોતે જ, પોતાનાં વચનોમાંના ઉપર્યુક્ત વિરોધાભાસથી જાણે સભાન હોય તેમ, ભૂતો સાથેનાં પોતાનાં ‘સ્થાન' વિશે, પોતે જ ત્યારપછીના શ્લોકમાં આ પ્રમાણે સ્પષ્ટીકરણ કરે છે ઃ
यथा - आकाशस्थितो नित्यं वायुः सर्वत्रगो महान् । तथा सर्वाणि भूतानि मत्स्थानि - इति उपधारय
।। શ્લોક
૬ ॥
વાયુ સર્વ દિશાઓમાં વાય છે, છતાં વાયુમાં આવતાં પરિવર્તનોથી આકાશ પર કંઈ જ અસર પડતી નથી. આમ, ઈશ્વર આકાશવત્ છે.
અંતમાં, શ્લોકનાં તાત્પર્યને ફરીથી યાદ કરીએ તો, જગતને સત્ય માનવામાં આવે તો, ‘વસ્તુતત્ત્વજ્ઞ' એવાં ઈશ્વરનાં, ગીતાનાં આ વચનો ખોટાં ઠરે, અને ઈશ્વર અસત્યવાદી ઠરે ! (શિતુઃ અપિ અસત્યવાવિત્વમ્)
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૨૩૫)
૨૩૬
-
यदि सत्यं भवेद्विश्वं सुषुप्तावुपलभ्यताम् । यन्नोपलभ्यते किंचिदतो ऽसत्स्वप्नवन्मृषा ॥ २३६ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
યદિ સત્ય ભવેદ્ધિશ્ચં સુષુપ્તાવુપલભ્યતામ્ । યજ્ઞોપલભ્યતે કિંચિદતોઽસત્ત્વપ્રવįષા || ૨૩૬ || શ્લોકનો ગદ્ય અન્વય : લિ વિશ્વ સત્યં મવેત્ (હિ) સુષુપ્તૌ (તર્) ૩૫તમ્યતામ્, (ન્તુિ) યત્ (સુષુતૌ) િિવદ્ ન પત્નમ્યતે, અત: (તત્ વિશ્વ) સ્વપ્નવત્ અસત્ મિથ્યા (શ્વ મસ્તિ) ॥ ૨૩૬ ॥
...
શબ્દાર્થ : યવિ હિ ‘જો...તો', વાળી વાક્યરચના છે. જો' શું ? િ વિશ્ર્વ સત્યં ભવેત્. ‘જો વિશ્વ સત્ય હોય તો’. ‘તો' શું ? ર્દિ સુષુપ્તૌ (તર્) ૪૩૬ / વિવેચૂડામણિ