SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોકનો ગદ્ય અવય : “ટું વિશ્વે બ્રહ્મ ' રૂતિ વ અથર્વનિષ્ઠ વરિષ્ઠ श्रौती वाणी ब्रूते, तस्मात् एतत् विश्वं हि ब्रह्ममात्रं (अस्ति), आरोपितस्य अधिष्ठानाद् fમન્નતા (પ્તિ) / રરૂરૂ II | શબ્દાર્થ : મુખ્ય વાક્ય : રૂતિ વ શ્રૌતી વાળી ઝૂતે | શ્રૌતી વાળી એટલે શ્રુતિનું વચન, મુંડક ઉપનિષદનું વિધાન. કૂતે એટલે કહે છે. શ્રુતિની વાણી આ પ્રમાણે જ કહે છે. આ શ્રુતીની વાણી કેવી છે? બે વિશેષણો : (૧) અથર્વનિષ્ઠાઅથર્વવેદમાં રહેલી, અથર્વવેદની, અને (૨) વરિષ્ઠ - એટલે શ્રેષ્ઠ, ઉત્તમ. આ શ્રુતિ-વાણી શું કહે છે? ૐ વિશ્વ બ્રહ્મ તિ / “આ વિશ્વ બ્રહ્મ જ છે', - એમ કહે છે. તેથી શું થયું ? તમત્ તત્ વિશ્વ હિં બ્રહામાત્ર (તિ) | તેથી એમ પુરવાર થાય છે કે આ વિશ્વ, ખરેખર, માત્ર બ્રહ્મ જ છે, બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી. પરંતુ આવા નિર્ણય માટેનો કશો પ્રમાણભૂત આધાર ખરો? હા, છે જ, આ રહ્યો તે આધાર : શાપિતયે ધટીના પિતા ને (પ્તિ) ધન એટલે આશ્રય, આધાર, નિવાસસ્થાન (Basis, Abode, Residence, beat), અને ગાપિત એટલે આવાં અધિષ્ઠાનમાં, એની ઉપર, આરોપણ કરવામાં આવેલી, રાખવામાં કે મૂકવામાં આવેલી વસ્તુ. કોઈ સ્થાન(ધકાન)માં રાખવામાં આવેલી વસ્તુ (ગાપિત) પેલાં સ્થાનથી જૂદી (fમત્ર) ન જ હોઈ શકે. બ્રહ્મ એ “અધિષ્ઠાન છે અને વિશ્વને એમાં અથવા એની ઉપર “આરોપિત કરવામાં આવ્યું છે. (૨૩૩) અનુવાદ : “આ વિશ્વ બ્રહ્મ જ છે' - એમ જ અથર્વવેદની શ્રેષ્ઠ વાણી કહે છે, તેથી આ વિશ્વ, ખરેખર, બ્રહ્મ માત્ર જ છે : આરોપિત(વસ્તુ)ની (તેના) અધિષ્ઠાનથી ભિન્નતા હોઈ શકે નહીં. (૨૩૩) ટિપ્પણ: બ્રહ્મ અને જગત વચ્ચેનાં શાશ્વત અદ્વૈતનો સિદ્ધાંત આચાર્યશ્રીના કેવલાદ્વૈત'-વાદની આધારશિલા છે, તેથી આ વાદનાં નિરૂપણનાં અનુસંધાનમાં, તેઓશ્રી, તેનાં ભિન્ન ભિન્ન પાસાંને, ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી, તપાસે છે, અને પોતાનાં આ પરીક્ષણ-નિરીક્ષણના આધારે, એના પ્રકાશમાં, પોતાના આ વાદનું પ્રતીતિજનક રીતે પ્રતિપાદન કરે છે. જ્ઞાન સાથે સંકળાયેલી કોઈ પણ બાબતની આત્યંતિક સ્વીકૃતિ માટે, ન્યાયવૈશેષિક દર્શનો અનુસાર, ચાર “પ્રમાણ', – પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ અથવા શ્રુતિ, – સ્થાપવામાં આવ્યાં છે, એ વાત, આ પહેલાં, કહેવાઈ ગઈ છે, અને એ પણ આપણે જોયું છે કે આ ચારમાંથી સૌથી પ્રમાણભૂત (Most authoritative) પ્રમાણ માત્ર એક જ છે, અને તે છે શબ્દ અથવા શ્રુતિ પ્રમાણ. આચાર્યશ્રીએ પોતાના સિદ્ધાંતની પ્રમાણભૂતતા માટે, અહીં, કૃતિ-વચનનું, “શ્રૌતી વાણીનું પ્રમાણ ટાંક્યું છે. વૈદિક સાહિત્યની પરંપરા પ્રમાણે ચારેય વેદોને પોતપોતાનાં જૂદા જૂદાં ઉપનિષદો છે. એ નિયમ પ્રમાણે, મુંડક-ઉપનિષદ અથર્વવેદનું ગણાય છે અને મુંડક, ૧૨ કે ૧૩ મુખ્ય ઉપનિષદો, – જેના પર આચાર્યશ્રીએ ૪૩૦ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy