________________
વેદાંત-દર્શનના પાયામાં રહેલો સિદ્ધાંત પણ આ જ છે કે જગત ભલે સાચું ‘દેખાતું’ હોય, સત્ય નથી, મોહને કારણે જ થયેલી આ તો એક મિથ્યા કલ્પના જ છે. બ્રહ્મથી ભિન્ન એવું જગતનું સ્વરૂપ કલ્પી શકાય જ નહીં. ઘડો અને માટીની બાબતમાં જેમ માટી જ પારમાર્થિક સત્ય છે (વૃત્તિા કૃતિ વ સત્યમ્ ।) તેમ, બ્રહ્મ અને બ્રહ્માંડની બાબતમાં પણ બ્રહ્મ જ પારમાર્થિક સત્ય છે.
‘ઘડો' (‘કાર્ય') જેમ માટી(‘કારણ')રૂપ જ છે, તેમ જગત(‘કાર્ય') પણ બ્રહ્મ(‘કારણ’)-રૂપ જ છે. આ એક ત્રિકાલાબાધિત સત્ય છે. શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૩૧) ૨૩૨
सद्ब्रह्मकार्यं सकलं सदेव तन्मात्रमेतन्न ततोऽन्यदस्ति । अस्तीति यो वक्ति न तस्य मोहो
विनिर्गतो निद्रितवत्प्रजल्पः ॥ २३२ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
સબ્રહ્મકાર્યં સકલં સદેવ
તન્માત્રમેતજ્ઞ તતોડચંદસ્તિ ।
અસ્તીતિ યો વક્તિ ન તસ્ય મોહો
વિનિર્ગતો નિદ્રિતવત્સજલ્પઃ || ૨૩૨ ||
શ્લોકનો ગદ્ય અન્વય : સબ્રહ્માય માં સત્ ત્ર (સ્તિ), તત્ તમ્માનં (ગત્તિ), ન તત: અર્ અસ્તિ, અસ્તિ રૂતિ ય: વૃત્તિ, તસ્ય મોહઃ ન વિનિવૃતઃ, (સ:) નિકિતવત્ પ્રનત્વ: (મસ્તિ) / રરૂર ॥
શબ્દાર્થ : આ શ્લોકમાં નાનાં નાનાં ચાર વાક્યો આ પ્રમાણે છે : (૧) સદ્બ્રહ્માય સત સત્ વ (અસ્તિ) । બ્રહ્માર્ય એટલે બ્રહ્મથી ઉત્પન્ન થયેલું (આ જગત), સત્ એટલે સત્યસ્વરૂપ. સત્યસ્વરૂપ એવાં બ્રહ્મથી ઉત્પન્ન થયેલું આ સકલ જગત સત્યસ્વરૂપ જ છે. (૨) તત્ તમ્માન્ત્ર (મસ્તિ), ન તત: અલ્ મસ્તિ । તત્ એટલે આ જગત, તમારૂં (તત્-માત્ર) છે. તત્ એટલે તે બ્રહ્મ, આ જગત તે બ્રહ્મ જ છે, તે(બ્રહ્મ)થી ભિન્ન નથી. (૩) અસ્તિ રૂતિ ય: વૃત્તિ, તસ્ય મોહઃ ન વિનિર્માતઃ । અસ્તિ એટલે કે છે, તેનાથી ભિન્ન છે, સત્-એટલે કે ‘સત્યસ્વરૂનું કાર્ય, બ્રહ્મનું કાર્ય બ્રહ્મથી જૂદું છે' એમ જે કહે છે, એવો મત જે ધરાવે છે, તેનું અજ્ઞાન ટળ્યું નથી, ગયું નથી, નાશ પામ્યું નથી. (તસ્ય મોહઃ 7 વિનિયંત: 1) (૪) (સ:) નિતિવત્ પ્રનત્વ: (અસ્તિ) । નિતિ એટલે ઊંઘતો માણસ, પ્રખ~: એટલે બકવાસ, બટબડાટ, પ્રલાપ (Prattle, Babble). (૨૩૨)
અનુવાદ : સત્યસ્વરૂપ બ્રહ્મથી ઉત્પન્ન થયેલું આ સકલ (વિશ્વ) સત્યસ્વરૂપ જ ૪૨૮ | વિવેકચૂડામણિ