________________
એટલે જ મોક્ષ, સંસાર-મુક્તિ. પરંતુ આ માટે, એનાં મનમાં બ્રહ્મ સાથેની પોતાની અભિન્નતાનો પાયાનો મુદ્દો સંપૂર્ણરીતે, જડબેસલાક, જડાઈ-જોડાઈ-રોપાઈ જવો જોઈએ.
ગીતામાં, ભગવાન શ્રીકૃષ્ણ પોતાનાં પરમ ધામનો પરિચય અર્જુનને આપતાં, આ, અનાવર્તન, અ-નિવર્તન, પ્રત્યે જ તેનું ધ્યાન દોર્યું હતું :
यद् गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ॥ १५, ५ ॥
મારું ધામ તો તે જ, જ્યાં પહોંચ્યા પછી, જેને પામ્યા પછી, અહીં સંસારમાં પાછા આવવાનું રહેતું નથી.”
અને ગીતા જેનો નિષ્કર્ષ છે તે ઉપનિષદો, તો મનીષીઓના આ મતને અનેક વાર, અનેક, જૂદી જૂદી રીતે, વ્યક્ત કરતા જ હતા :
ન સ પુનરાવર્તત શ્લોકનો છંદ : અનુષુપ (૨૨૬).
૨ ૨૭. सत्यं ज्ञानमनन्तं ब्रह्म विशुद्धं परं स्वतःसिद्धम् । - નિત્યાનાં પ્રત્યકમિદં નિરન્તરં નતિ | રર૭ | શ્લોકનો ગુજરાતી પાઠ:
સત્ય જ્ઞાનમનન્ત બ્રહ્મ વિશુદ્ધ પર સ્વતઃસિદ્ધમ્ | નિત્યાનન્ટેકરસ પ્રત્યગભિન્ન નિરન્તરે જયતિ | ૨૨૭
શ્લોકનો ગદ્ય અન્વયઃ સત્ય, જ્ઞાન, અનન્ત, વિશુદ્ધ પર, સ્વતઃસિદ્ધ નિત્ય-આનન્દ-અક્ષરવું, પ્રત્ય-અન્ન, નિરન્તરે (સત) નતિ | રર૭ || શબ્દાર્થ : આખાયે શ્લોકને આવરી લેતું વાક્ય આ પ્રમાણે છે :
બ્રહ્મ સત્ય જ્ઞાનં. નિરન્તર (ર) જતિ | બ્રહ્મ હંમેશાં વિજયી બની રહે છે. શાથી? સત્ - એનું સ્વરૂપ આવું હોવાથી. અ થવું-હોવું' - એ ધાતુનું વર્તમાન-કૃદંતનું રૂપ – [.
બ્રહ્મ સદા-સર્વદા વિજયી બની રહે છે, એવી શી વિશિષ્ટતા છે, - એનાં સ્વરૂપની ? શ્લોકમાંના બાકીના બધા જ શબ્દો, બ્રહ્મનાં વિશેષણો તરીકે, આ વિશિષ્ટતા સમજાવે છે.
આ પહેલાં, “અભાવ'ની અને “પ્રાગુઅભાવની વાત આવી ગઈ છે (શ્લોક નં. ૨૦૧). બ્રહ્મને દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ કશાયનો પરિચ્છેદ કદી નડતો નથી. આમ હોવાથી, – ત્રણેય કાળમાં સતત અસ્તિત્વ ધરાવતું હોવાથી, – એનો ક્યારેય અભાવ થતો ન હોવાથી, તે, તત્ત્વ તરીકે, “સત્ય” છે. સતું-ની સાથે, બ્રહ્મનાં સ્વરૂપમાં, વિન્ - શબ્દ પણ રહેલો છે. આથી તે
વિવેકચૂડામણિ / ૪૧૯