________________
હોવાથી, એ કેવો છે, એ તો માત્ર એનો આસ્વાદ કરનાર જ કહી શકે ! આવા બહ્મ-આનંદના રસના સ્વાદ વિશે જ, કદાચ, ભક્તકવિ નરસૈયાએ આ પ્રકારના સ્વયંભૂ ઉદ્ગારો અભિવ્યક્ત કર્યા હશેને ! –
એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક-જોગી રે, કિંઈ-એક જાણે વ્રજની રે ગોપી, ભણે નરસૈયો ભોગી રે !
શ્લોકનો છંદ : અનુપુપ (૨૨૫)
૨૨૬ ब्रह्मभूतस्तु संसृत्यै विद्वान्नावर्तते पुनः । विज्ञातव्यमतः सम्यग् ब्रह्माभिन्नत्वमात्मनः ॥ २२६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
બ્રહ્મભૂતસ્તુ સંમૃત્યે વિદ્વાન્નાવર્તત પુનઃ વિશાતવ્યમતઃ સમ્યમ્ બ્રહ્માભિન્નત્વમાત્મનઃ || ૨૨૬ || , શ્લોકનો ગદ્ય અન્વયઃ બ્રહામૃત: તુ વિદાન પુન: સંર્વ ન આવત, અતઃ आत्मनः ब्रह्माभिन्नत्वं सम्यग् विज्ञातव्यम् ॥ २२६ ॥
શબ્દાર્થ : મૂતઃ - બ્રહ્મસ્વરૂપ થઈ ગયેલો, પોતાને બ્રહ્મસ્વરૂપ જાણતો જ્ઞાની (વિદ્વાન), બ્રહ્મીભૂત થયેલો મુમુક્ષુ સાધક, સંસ્કૃતિ એટલે જન્મમરણની જંજાળઘટમાળ, જન્મમરણરૂપી સંસાર, જન્મ-મરણનું આવર્તન, 7 માવતે - પાછો આવતો નથી, એમાં ફસાતો નથી, મત: આથી, માટે, આ કારણે, એટલા માટે, બાભન: બ્રહ્મ-મિત્રવમ્ - આત્માનું બ્રહ્મથી અભિન્નપણું, બ્રહ્મ સાથેની પોતાની એકતા, પોતે બ્રહ્મથી જરા પણ જૂદો નથી, – એવી પ્રતીતિ, સગા - સારી રીતે, સારી પેઠે, સંપૂર્ણરીતે, વિજ્ઞાતવ્ય – જાણી લેવું જોઈએ, સમજી લેવું જોઈએ, આવું જ્ઞાન મેળવી લેવું જોઈએ. (૨૨)
અનુવાદ : પોતાને, ખરેખર, બ્રહ્મસ્વરૂપ સમજતો જ્ઞાની ફરીથી સંસારમાં આવતો નથી, આથી (સાધકે) બ્રહ્મ સાથેની પોતાની અભિન્નતા સારી રીતે જાણી લેવી જોઈએ. (૨૨૬)
ટિપ્પણ: આ પહેલાંના શ્લોકમાં, સાધક માટેની, બ્રહ્મ સાથેની અભિન્નતાના મહિમાનો નિર્દેશ કરવામાં આવ્યો જ છે (બ્રહ-મન્નત-વિજ્ઞાનમ). અહીં એનું દઢીકરણ કરવામાં આવ્યું છે.
આ મહિમાને બરાબર આત્મસાત્ કરનાર સાધક વિશે એક વાત સુનિશ્ચિત થઈ જાય છે કે એને જન્મ મરણની જંજાળરૂપ આ સંસારમાં ફરીથી આવવાનું રહેતું નથી. હકીકતમાં, આ પ્રકારનું “અનાવર્તન', (સંસારમાં, પાછું ન આવવું), –
૪૧૮ | વિવેકચૂડામણિ