SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યારેય જડ કે ચૈતન્યશૂન્ય હોતું નથી. વિન્ એટલે જ ચૈતન્યસૂચક જ્ઞાન, તે તો સ્વયં જ્ઞાન-સ્વરૂપ હોવાથી, ત્રણેય કાળ અને ત્રણેય અવસ્થાઓમાં સાક્ષીરૂપ હોવાથી, બ્રહ્માંડની સર્વવસ્તુઓને તે જાણે છે : તે સર્વવિદ્, સર્વશ(Omniscient) છે, સર્વજ્ઞાતા, - Knower par excellence છે, જ્ઞાનનું મૂર્ત સ્વરૂપ છે. બ્રહ્મતત્ત્વ પેલા – તિ, ગાયતે, વધર્તિ, વિપરિણ, અપક્ષીય અને વિનશ્યતિ જેવા, ષડુ ભાવવિકારોથી પર છે, તે ક્યારેય નાશ પામતું નથી, સતત અભાવરહિત હોવાથી, અંત-વિનાનું હોવાથી, - અનન્ત છે. હકીકતમાં, તૈત્તિરીય ઉપનિષદના મૂળ શબ્દો જ ગ્રંથકારે અહીં, બ્રહ્મતત્ત્વનાં સ્વરૂપની વિશિષ્ટતાનાં અનુસંધાનમાં, મૂકી દીધા છે : સત્ય જ્ઞાન અનન્ત & I (બ્રહ્માનન્દવલ્લી-૧) ગીતાએ પણ, આ અનન્ત-શબ્દનાં સમર્થનરૂપે જ, આત્મા માટે આવા શબ્દો પ્રયોજ્યા છે – નો નિત્યઃ શાશ્વતોથે પુરા (૨,૨૦) બ્રહ્મતત્ત્વ વિશદ્ધ છે, કારણ કે તે સંપૂર્ણરીતે “અસંગ' છે. પ્રકૃતિના પેલા ત્રણ ગુણો, - સત્ત્વ, રજસ અને તમસુ - કે આધિ, વ્યાધિ અને ઉપાધિ જેવા ત્રણ રોગો તેને સ્પર્શીને અશુદ્ધ કે મલિન બનાવી શકે તેમ નથી. આવું સંગવિહોણાંપણું બ્રહ્મની વિશુદ્ધિને નિત્ય સુરક્ષિત રાખે છે. તે પર છે, કારણ કે તે સૌથી સૂક્ષ્મ છે, સૂક્ષ્મતમ છે, ઇન્દ્રિયાતીત છે, મન અને બુદ્ધિની પહોંચથી પર છે. બ્રહ્માંડની સર્વ વસ્તુઓને સિદ્ધ કે સાબિત કરવા માટે બીજી કોઈક વસ્તુની જરૂર પડે છે, પરંતુ બ્રહ્મ તો સ્વયં જ્ઞાન-સ્વરૂપ હોવાથી, એ સ્વયંસિદ્ધ છે, સ્વતઃસિદ્ધ છે. પોતે જ પોતાના વડે સિદ્ધ છે. ન્યાયદર્શનનાં સર્વ પ્રમાણો બ્રહ્મને સિદ્ધ કરવા માટે ઊણાં અને અસમર્થ છે. અને જેને આદિ અને અંત નથી, તે તો નિત્ય’ જ હોય. વળી, આનંદ પણ પરમાત્માનાં સ્વરૂપનું મૂળભૂત એક તત્ત્વ છે. અને આ આનંદનું તત્ત્વ એવું સઘન અને સાતત્યસભર છે કે એનો રસ, એનો આસ્વાદ, અખંડ અને અપ્રતિહત હોય છે. એનો આનંદ સતત આવો “એકરસ' હોય છે. અને છેલ્લે, આ બ્રહ્મનાં સ્વરૂપની ખૂબી એ છે કે બ્રહ્માંડના સર્વ વ્યક્તિગત અંતરાત્માઓ સાથે, એ સર્વની અંદર, કોઈ પણ પ્રકારનાં ભેદ કે અંતર રાખ્યા વિના, તે નિરન્તર, અભિન્ન રહે છે. સમગ્ર બ્રહ્માંડને વ્યાપી રહેલું આ બ્રહ્મતત્ત્વ, એવા જ અભેદભાવથી પ્રત્યગાત્મામાં પણ સદા વ્યાપ્ત છે. આમ, એની સ્વરૂપગત લાક્ષણિક્તાને કારણે, આ બ્રહ્મતત્ત્વ, સર્વોત્તમ સર્વશ્રેષ્ઠસર્વોત્કૃષ્ટ હોવાથી, આવાં અનોખાં સ્વરૂપે વિદ્યમાન હોવાથી, તે નિરન્તર વિજયી બની રહે છે. (૨૨૭) ૪૨૦ | વિવેચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy