________________
જ્યારે પરમાત્મા તો સ્વરૂપે જ “અસંગ છે, પછી તેને કોઈ સંગ-સમૂહ કે આધારઆશ્રયની જરૂર જ શી ?
આમ, આ પહેલાંના ચારેય કોશોની જેમ, આ આનન્દમય કોશ પણ કદાપિ પરાત્મા હોઈ શકે નહીં. આવો વિચાર જ નિરાધાર છે !
શ્લોકનો છંદ : અનુષુપ (૨૧૧)
૨૧૨ પંડ્યાના જોશના નિવેછે યુતિ: કૃતેઃ ..
तन्निषेधावधिः साक्षी बोधरूपोऽवशिष्यते ॥ २१२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
પંચાનામપિ કોશાનાં નિષેધ યુક્તિતઃ શ્રતે.
તશિર્ષધાવધિઃ સાક્ષી બોધરૂપોડવશિષ્યતે | ૨૧૨ .
શ્લોકો ગદ્ય અન્વયઃ યુતિઃ શ્રઃ (૨), પંજાનાં પ ોશીનાં નિષેધ ( તિ) ત-નિષેધ-અવધ વોધપૂ૫: (સ:) સાક્ષી (gવ અવશષ્ય ૨૨૨ ||
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (:) સાક્ષી (4) અશિષ્યતે | સાક્ષી એવો તે આત્મા જ અવશેષ રહે છે, બાકી રહે છે, શેષ તરીકે અસ્તિત્વ ધરાવે છે. કેવો છે, આ સાક્ષી? વોધરૂપ એટલે જ્ઞાનસ્વરૂપ, જ્ઞાનનું મૂર્તિમંત સ્વરૂપ, મૂર્તિમંત જ્ઞાન. આ આત્મા ક્યાં બાકી રહે છે ? તત-નિષેધ-અવધિઃ | ત એટલે તે પાંચેય કોશો, નિષેધ એટલે કોઈ પણ બાબતની મનાઈ કરવી તે (Prohibition), તેને દૂર રાખવી તે (Warding off), નકારવી તે (Denial, Negation). અવધઃ એટલે હદ, અટકવું તે (Limit). તે પાંચેય કોશોનો નિષેધ, જ્યાં અટકે ત્યાં આત્મા બાકી રહે છે, તે નિષેધની અવધિરૂપે. પરંતુ પાંચેય કોશોનો આવો નિષેધ શા માટે ? એવા નિષેધનું સૂચન કોના તરફથી આવ્યું? આ બે પ્રમાણભૂત તત્ત્વો તરફથી : (૧) યુતિઃ | તર્ક દ્વારા, તર્ક તરફથી અને (૨) શ્રd: I શુતિ તરફથી. નિષેધે (તે ક્ષત્તિ) એ “સતિ-સપ્તમી’ વાક્યરચના છે, તેથી તે સમય દર્શાવે છે : નિષેધ કરવામાં આવે ત્યારે, નિષેધ કરવામાં આવતાં. (૨૧૨).
અનુવાદઃ તર્ક દ્વારા અને શ્રુતિ દ્વારા પાંચેય કોશોનો નિષેધ કરવામાં આવતાં, તે(નિષેધ)ની અવધિરૂપ, એટલે કે તે (નિષેધ) જ્યાં અટકે ત્યાં, તે જ્ઞાનસ્વરૂપ (આત્મા) સાક્ષી (એક જ) (અવશિષ્ટ તરીકે) બાકી રહે છે (૨૧૨)
ટિપ્પણ : પાંચ કોશોનું ખૂબ સવિસ્તર (શ્લોક-૧૫થી શ્લોક-૨૧૨) એવું આ નિરૂપણ અહીં, આ શ્લોક સાથે, સમાપ્ત થાય છે.
આ પાંચેય કોશો અનિત્ય છે, એ હકીકતનું એનાં અનેક પ્રતીતિજનક કારણો આપીને, ગ્રંથકારે, પ્રસ્થાપન કર્યું અને તેથી આ બધા કોશો પરમાત્મા નથી, કદાપિ હોઈ શકે જ નહીં, એવું ગ્રંથકારે ભૂમિતિ(Geometry)ના પ્રમેય
૩૯૬ | વિવેકચૂડામણિ