SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોકનો ગદ્ય અન્વય : સોપાધવાવત્ પ્રો: વિદ્ સુજિયાયા कार्यत्वहेतोः, विकारसंघातसमाहितत्वात्, - अयं आनन्दमयः (कोशः) परात्मा न ઇવ (તિ) / ર૧૨ / શબ્દાર્થ : મુખ્ય વાક્ય : ૩માં માનન્દમયઃ (શ) પરત્મા ન ઇવ () | પરાત્મા એટલે શુદ્ધ આત્મા, પરમાત્મા. આ આનંદમય કોશ પરમાત્મા નથી જ. કેમ ? શા કારણે ? ચાર કારણો આ પ્રમાણે છે : (૧) સોપાધવી (બુદ્ધિ વગેરે) ઉપાધિવાળો હોવાથી, (૨) પ્રો. વિIRIટૂ - પ્રકૃતિનો વિકાર હોવાથી, (૩) સુજિયાયા: વાર્યત્વહેતો . સુકૃતક્રિયા એટલે શુભકાર્ય, સારું કર્મ, વોર્ય એટલે ફળ, શુભકર્મોનાં ફળરૂપ બનેલો હોવાથી, અને (૪) વિરસંવાdસહિતત્વતા સંપાત એટલે સમૂહ, સમુદાય, સંગ્રહ. વિકારોનો સમૂહ એટલે આ પાંચભૌતિક દેહ, સમાહિતત્વ એટલે આશ્રયે રહેવું, વિકારોના સમૂહ એવા આ પંચમહાભૂતોના બનેલાં શરીરના આશ્રયે રહેલો હોવાથી. આ ચાર કારણોને લીધે આ આનંદમય કોશ પરમાત્મા હોઈ શકે નહીં. (૨૧૧) . અનુવાદ: ઉપાધિવાળો હોવાથી, પ્રકૃતિનો વિકાર હોવાથી, શુભકાર્યોનાં ફળરૂપ બનેલો હોવાથી, અને વિકારોના સમુદાય એવા દેહને આશ્રયે રહેલો હોવાથી, – આ આનંદમય કોશ શુદ્ધ આત્મા નથી જ. (૨૧૧) - ટિપ્પણ : આ પહેલાંના વિજ્ઞાનમય કોશનું નિરૂપણ પૂરું કરતાં, તે માટેના શ્લોક-૨૦૮માં આવું જ વિધાન હતું કે “આ વિજ્ઞાનમય કોશ પરમાત્મા નથી” (વિજ્ઞાનમયન્દ્રિમાં સર્વ પરાત્મા ન થાત્ !). એ જ પ્રકારનું પ્રતિપાદન, આનન્દમય કોશ માટે, અહીં કરવામાં આવ્યું છે. પેલાં વિધાનનાં સમર્થનમાં જેમ પાંચ કારણો આપવામાં આવ્યાં હતાં, તેમ અહીં ચાર કારણો આપવામાં આવ્યાં છે, જે, પ્રમાણમાં, સરળ અને સર્વવિદિત જેવાં છે : ઉપાધિ તરીકે બુદ્ધિ વગેરે તો ખરા જ, પરંતુ આ કોશને પ્રિય મોદ અને પ્રમોદરૂપી ગુણો (fષતિગુણ) જેવી કેટલીક વધારાની ઉપાધિઓ પણ વળગેલી છે, તેથી તે “સોપાધિક' છે, જ્યારે પરમાત્મા તો પ્રકૃતિના વિકારોથી સર્વદા સર્વદા મુક્ત, અને તેથી “અ-વિકારી છે. વળી, આનન્દમય કોશની ઉત્પત્તિ જ પુણ્યકર્મોના ફળરૂપે થઈ છે (પુ) અનુભવે માનઃ સ્વયે વિમતિ ), જ્યારે વિશુદ્ધ આત્મા તો અજ એટલે કે અજન્મા છે, જન્મેલો જ નથી, ગીતામાં કહ્યું છે તેમ, – न जायते म्रियते वा कदाचित् મનો નિત્યો શાશ્વતો વા... ૨, ૨૦ || અજ ઉપરાંત, તે નિત્ય અને શાશ્વત પણ છે, એટલે તેને કર્મ અને ફળ સાથે કશો સંબંધ જ નથી. છેલ્લી વાત એ કે આ કોશનું આશ્રયસ્થાન જ અનેક વિકારોના સમૂહરૂપ અને પાંચ મહાભૂતોનાં પરિણામ-સ્વરૂપ અપવિત્ર એવો આ દેહ છે, વિવેકચૂડામણિ | ૩૯૫
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy