________________
છે. સ્વપ્ર અને જાગ્રત અવસ્થાઓમાં તો પોતાની પ્રિય વસ્તુનાં દર્શન થતાં તે સ્ફુરણ થોડું જ હોય છે. (૨૧૦)
ટિપ્પણ : આનન્દમય કોશનાં સ્ફુરણ, પ્રભાવ વિશે, એટલે કે ત્રણ અવસ્થાઓ દરમિયાન એનાં પ્રાકટ્યની પરિસ્થિતિ વિશે, અહીં સંક્ષેપમાં છતાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. ગયા-છેલ્લા શ્લોકમાં જ એક ચોખવટ, સૌપ્રથમ, કરવામાં આવી હતી કે આનંદમય એવા આત્માનું પ્રતિબિંબ શરીરમાં પડે છે તે સમયે, જીવાત્મા પર તમોગુણવાળી વૃત્તિનું વર્ચસ્વ હોય છે. હકીકતમાં તો, આ વૃત્તિ એટલે જ આનન્દમય કોશ. એનો ફલિતાર્થ જ એ કે આનંદમય-કોશમાંનો ‘આનંદ’ સુષુપ્તિ-અવસ્થાની ગાઢ નિદ્રામાં જ અનુભવી શકાય છે, એટલું જ નહીં પરંતુ વિવેકહીન એવી એ તેમોગુણી પરિસ્થિતિમાં, આ કોશનું સ્ફુરણ, સ્વાભાવિક રીતે જ, ઉત્કટ હોય છે. તમોગુણ એટલે અજ્ઞાનનો પર્યાય (Synonym), જેનાં પરિણામે, જીવાત્મા અનેક પ્રકારની વાસનાઓ વડે પૂરેપૂરો ઢંકાઈ જાય છે. પછી તો, આનન્દમય-કોશને પોતાનાં સ્ફુરણ માટે ‘મોકળું' મેદાન જ મળી જાય છે !
પરંતુ સ્વપ્ર અને જાગ્રત અવસ્થામાં આ સ્ફુરણને મર્યાદા આવી જાય છે, કારણ કે આ બે અવસ્થાઓમાં જીવાત્માને પોતાની પ્રિય વસ્તુની પ્રાપ્તિ થાય છે, અને તેથી ઇષ્ટનાં દર્શન-શ્રવણના પ્રભાવમાં આનંદમયકોશનું સ્ફુરણ ઘટી જાય છે, એનો સુખસ્વભાવ અલ્પકાલીન અને ક્ષણિક (ત્) બની જાય છે. સુષુપ્તિ-અવસ્થામાં તો જીવાત્મા ગાઢ નિદ્રામાં હોય છે, તેથી તેને ઇષ્ટ-અનિષ્ટ કે પ્રિય-અપ્રિય વિશે કશો વિવેક જ હોતો નથી. નિદ્રામાંથી જાગ્રત થતાં, જીવાત્મા ભાનમાં આવે છે, વચ્ચેની સ્વપ્ર-અવસ્થા પણ રહેતી નથી, જીવાત્માને પોતાની પ્રિયવસ્તુની પ્રાપ્તિ થઈ જાય છે, તેથી સુષુપ્તિ-અવસ્થામાં જ રાચતા-મ્હાલતા આનંદમય કોશનું ચલણ હવે ટકી જ ન શકે, ટકે તો સાવ થોડું !
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૨૧૦)
૨૧૧
नैवायमानन्दमयः परात्मा
सोपाधिकत्वात् प्रकृतेर्विकारात् ।
कार्यत्वहेतोः सुकृतक्रियाया
विकारसङ्गङ्घातसमाहितत्वात् ॥ २१९ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
નૈવાયમાનન્દમયઃ પરાત્મા
સોપાધિકત્વાત્ પ્રકૃતર્વિકારાત્ ।
કાર્યત્વહેતોઃ સુકૃતક્રિયાયા
વિકારસંઘાતસમાહિતત્વાત્ ॥ ૨૧૧ || ૩૯૪ | વિવેકચૂડામણિ