________________
(Theorem)ની જેમ, સિદ્ધ કર્યું : (Quad Erat Demonstrandum, Q.E.D., એટલે કે જે સિદ્ધ કરવાનું હતું, તે સિદ્ધ થઈ ગયું.)
આમ, જે પરમાત્મા નથી, આત્મા પણ નથી એવા આ પાંચેય કોશો, અંતે તો, ‘અનાત્મા’ની પંગતમાં જ આવી ગયા ! અને ‘અનાત્મા'નો તો, વેદાન્તદર્શનમાં, નિષેધ જ હોય, એનો કદી સ્વીકાર થઈ જ ન શકે. આ પાંચેય કોશોના નિષેધ માટે, તે ‘અનાત્મા' છે તે એક જ કારણ પર્યાપ્ત હતું, તેમ છતાં, અહીં, નિષેધ માટે, ગ્રંથકારે, બે પ્રમાણભૂત (Authoritative) કારણો રજુ કર્યાં : એક, તર્ક. યુક્તિ અથવા તર્ક એટલે દલીલ-ચર્ચા-શાસ્ત્રાર્થ કરવાનું શાસ્ત્ર (Logic, Argumen-tation, Reasoning). ભારતીય પરંપરાનાં છ દર્શનોમાંથી, ન્યાય અને વૈશેષિક એ બે દર્શનોમાં, એના સૂત્રગ્રંથોમાં, ચાર પ્રમાણોનું નિરૂપણ કરવામાં આવ્યું છે, જેમાંનાં ‘અનુમાન’-પ્રમાણમાં આ ‘યુક્તિ’ અથવા ‘તર્ક’ને સમજાવવામાં આવ્યાં છે, જેને ‘તર્કશાસ્ત્ર' કહેવામાં આવે છે. આ દલીલબાજી પછી અંતે જે નિર્ણય આવે તે પ્રમાણભૂત, અને તેથી અવશ્ય સ્વીકાર્ય બને છે. છેલ્લા ઘણા-બધા શ્લોકોમાં આચાર્યશ્રીએ આ તર્કશાસ્ત્રનો આશ્રય લઈને, ‘આ પાચેય કોશો પરમાત્મા નથી,’ એ તર્કસંમત રીતે સિદ્ધ કર્યું. બીજું, શ્રુતિ (એટલે કે વેદો, ઉપનિષદો વગેરે) એટલે તો શબ્દ-પ્રમાણ. એ જે કંઈ કહે, તેને તો સદા-સ્વીકાર્ય જ માનવાનું રહે, - એ તો ‘વેદ-વાક્ય' !
આમ, આ બંનેએ, – યુક્તિ અને શ્રુતિએ – આદેશ આપ્યો કે ‘અનાત્મા’ એવા આ પાંચેય કોશોનો નિષધ કરો !' આ પાંચેય કોશોનો નિષેધ કરાતાં (નિષેષે તે સત્ત), એની અવધિરૂપે (નિષેધાવધિ:), આ પાંચેયની બાદબાકી કરતાં કરતાં, છેલ્લે, અંતે, અવશેષ તરીકે, શું બાકી રહ્યું ? માત્ર એક જ, આ સર્વનો પ્રકાશક, જ્ઞાનસ્વરૂપ, સાક્ષી, દૃષ્ટા, એવો આત્મા ! જે, નિત્ય-શુદ્ધ-બુદ્ધ-મુક્ત, અજ, શાશ્વત, અવ્યય, અવિકારી અને સ્વયંપ્રકાશ છે ! અને મજાની વાત તો એ છે કે આવું પ્રતિપાદન, તર્ક અને શ્રુતિ, બંનેને એકસરખું માન્ય છે.
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૨૧૨)
૨૧૩
-
योऽयमात्मा स्वयंज्योतिः पंचकोशविलक्षणः । अवस्थात्रयसाक्षी सन्निर्विकारो निरंजनः ।
सदानन्दः स विज्ञेयः स्वात्मत्वेन विपश्चिता ॥ २९३ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
યોયમાત્મા સ્વયંજ્યોતિ: પંચકોશવિલક્ષણઃ ।
અવસ્થાત્રયસાક્ષી સન્નિર્વિકારો નિરંજનઃ ।
સદાનન્દઃ સ વિશેયઃ સ્વાત્મત્વન વિપક્ષિતા ॥ ૨૧૩ ॥
વિવેકચૂડામણિ / ૩૯૭