________________
આ જીવભાવ ઉત્પન્ન થાય છે. હકીકતમાં, આત્માનો બુદ્ધિ વગેરે સાથેનો આ સંબંધ, એ પણ માત્ર એક કલ્પના જ છે, આત્મામાં પેલી ઉપાધિનું આરોપણ જ છે, આવી કલ્પના કે આવું આરોપણ પણ એક ભ્રાંતિ જ છે, જે, માત્ર અજ્ઞાનનું જ પરિણામ છે, કારણ કે આ જીવત્વ પણ આત્માથી ભિન્ન નથી, અલગ નથી (નીવત્વે માત્મનઃ ર અન્યત). વળી, જીવત્વનું બિચારાનું શું ગજું કે તે આત્માથી વિલક્ષણ એવું, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધારણ કરી શકે? આવું તો કદાપિ બની શકે જ નહીં, કારણ કે સંબંધનું તો સ્વરૂપ જ એવું છે કે તે ઉભયાન્વયી છે, બે સ્વતંત્ર અને ભિન્ન વસ્તુઓ કે તત્ત્વો વચ્ચે જ હોઈ શકે, –. જ્યારે અહીં જીવ અને આત્મા તો એક જ છે, એ બેની વચ્ચેનું તાદાભ્ય તો માત્ર કલ્પવામાં જ આવ્યું છે (રિલ્પિત).
તો પછી, આવી કલ્પના થઈ જ કેમ? જીવત્વ અને આત્મા, એ બંને એક જ હોવા છતાં, એ બંનેને જૂદા માનીને, એ બંનેનો સંબંધ કલ્પવામાં આવ્યો, – એવું મિથ્યાજ્ઞાન જ, એનું એકમાત્ર કારણ (વિનિવૃત્તિ:) હતું. તો હવે આ મિથ્યાજ્ઞાનનું નિવારણ કેવી રીતે કરવું ? આ સવાલનો જવાબ તો સાવ સીધોસાદો અને સરળ છે : મિથ્યા-જ્ઞાનનું નિવારણ તો માત્ર એક જ રીતે થઈ શકે, – સમ્યગુજ્ઞાન વડે. સમ્યગુ-જ્ઞાન એટલે આત્માનું યથાર્થજ્ઞાન, જીવ અને બ્રહ્મ(આત્મા)ની એકતાનો અનુભવ. બાહ્ય અને આત્માની ઐક્યાનુભૂતિ એ જ સમ્યગુ-જ્ઞાન. હકીકતમાં, જીવ અને બ્રહ્મ એ બે ભિન્ન નથી, પરંતુ એક, અભિન્ન અને અદ્વિતીય છે, એવું જ્ઞાન, એવી પ્રતીતિ, એ જ સમ્યજ્ઞાન, અને આજ શ્રેષ્ઠ તથા સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ જ્ઞાન છે.
પરંતુ આવો મત કોનો છે?
જેનો તેનો નહીં, પરંતુ ચાર પ્રમાણોમાં જે સૌથી વધારે પ્રમાણભૂત (Authoritative) છે તે, – શબ્દપ્રમાણનો, શ્રુતિનો, વેદોનો, ઉપનિષદોનો ! (બ્રહ-માત્મા- વિજ્ઞાન પર્વ જ્ઞાન રૂતિ કૃતેઃ મતમ્ )
શ્લોકોનો છંદ : અનુરુપ (૨૦૨, ૨૦૩, ૨૦૪)
'तदात्मानात्मनोः सम्यग्-विवेकेनैव सिध्यति ।
તતો વિવેવ: વર્તવ્ય: પ્રત્યભાસવાનો ૨૦૫ છે. શ્લોકનો ગુજરાતી પાઠ:
તદાત્માનાત્મનો સમ્યગુ-વિવેકનૈવ સિધ્ધતિ તતો વિવેક કર્તવ્ય પ્રત્યગાત્માદાત્મનોઃ | ૨૦૫ શ્લોકનો ગદ્ય અન્વયઃ માત્મા-નાત્મનો સ-વિવેન વિ તત્ (સા
૩૮૪ | વિવેચૂડામણિ