________________
શ્લોકોનો ગદ્ય અન્વય : આત્મનિ વૃદ્ધિ-આ-િ૩પાધિસંબન્ધાત્ પરિલ્પિત યત્ નીવત્વ, (તત્) તતઃ આત્મનઃ અન્યત્ સ્વરૂપેન તુ વિલક્ષળ ન (મસ્તિ), स्वात्मनः बुद्ध्या संबन्धः मिथ्याज्ञानपुरः सरः ( अस्ति ), तस्य सम्यग् - ज्ञानेन विनिवृत्तिः भवेत् न अन्यथा, ब्रह्मात्मैकत्वविज्ञानं श्रुतेः सम्यग् - ज्ञानं मतम् ॥ (૨૦૨-૦૩-૨૦૪)
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : આત્મનિ વૃદ્ધિ-ગાર્િ-૩ાધિસંવન્ધાત્ પરિષિત યત્ નીવત્તું (તત્) તતઃ આત્મન; અન્યત્ સ્વરૂપેન ન (મસ્તિ) । આત્મામાં બુદ્ધિ વગેરે ઉપાધિના સંબંધથી કલ્પાયેલું, જેની કલ્પના થઈ છે તે, જીવત્વ, વિશુદ્ધ આત્માથી ભિન્ન (કે અલગ, જુદું) પણ નથી. સ્વરૂપેળ તુ વિલક્ષળ (ન અસ્તિ) । સ્વરૂપથી વિલક્ષણ પણ નથી.
――――
સ્વાત્મન: બુખ્યા સંવન્ય: મિથ્યાજ્ઞાનપુટસ: (મસ્તિ) । (કારણ કે) પોતાના આત્માનો બુદ્ધિ સાથેનો સંબંધ એ જ, મિથ્યાજ્ઞાન છે. તસ્ય મિથ્યાજ્ઞાનસ્ય સમ્યગ્જ્ઞાનેન વિનિવૃત્તિ: ભવેત્ ન અન્યથા । નિવૃત્તિ એટલે પૂરેપૂરું નિવારણ, દૂરીકરણ, દૂર કરવું તે. આ મિથ્યાજ્ઞાનનું પૂરેપૂરું નિવારણ (હું શુદ્ધ-બુદ્ધ-મુક્ત-નિત્ય આત્મા છું' - એવાં) સમ્યગ્-જ્ઞાનથી, એટલે કે આત્મજ્ઞાનથી, યથાર્થ જ્ઞાનથી થાય છે, બીજી કોઈ રીતે નહીં. બ્રહ્મ-આત્મા-વ-વિજ્ઞાનં સમ્ય-જ્ઞાન (તિ) શ્રુતેઃ મતમ્ (અસ્તિ) । બ્રહ્મ અને આત્માની એકતાનો અનુભવ એ જ સમ્યગ્-જ્ઞાન છે, યથાર્થ લાંન છે, એવો શ્રુતિનો, એટલે કે ઉપનિષદોનો મત છે, એટલે કે જીવ અને બ્રહ્મની ઐક્યાનુભૂતિ, એ જ સમ્યગ્-જ્ઞાન છે, એવો શ્રુતિનો અભિપ્રાય છે. (૨૦૨૨૦૩-૨૦૪)
-
અનુવાદ : આત્મામાં બુદ્ધિ વગેરે ઉપાધિના સંબંધથી કલ્પાયેલું જે જીવત્વ છે તે, તે(આત્મા)નાથી ભિન્ન નથી અને સ્વરૂપથી વિલક્ષણ પણ નથી, કારણ કે પોતાના આત્માનો બુદ્ધિ સાથેનો સંબંધ એ જ મિથ્યાજ્ઞાન છે, તે(મિથ્યાજ્ઞાન)નું આત્માનાં યથાર્થજ્ઞાન વડે પૂરેપૂરું નિવારણ થાય છે, બીજી કોઈ રીતે નહીં. જીવ અને બ્રહ્મની એકતાનો અનુભવ એ જ સમ્યક્ જ્ઞાન છે, એવો શ્રુતિનો મત છે. (૨૦૨-૨૦૩-૨૦૪)
ટિપ્પણ : પ્રાગભાવનો સંદર્ભ આપીને, ગ્રંથકારે, ગયા શ્લોકમાં, પ્રતિપાદન કર્યું કે જીવભાવ અનાદિ હોવા છતાં તે અનંત નથી, સાન્ત (સ+અન્ન) છે. જેવી બ્રહ્મભાવની પ્રાપ્તિ થાય કે તરત જ જીવભાવનો અંત આવે છે, એનો નાશ થઈ જાય છે.
આટલું સમજી લીધા પછી, મુમુક્ષુનાં મનમાં સવાલ એ ઊભો થાય કે આવો આ જીવભાવ ઉત્પન્ન શા કારણે થાય છે ? અને એનું આત્યંતિક નિવારણ શી રીતે થઈ શકે ?
બુદ્ધિ વગેરે તો દાર્શનિક દૃષ્ટિએ ‘ઉપાધિ’ જ છે. જે આત્મા મૂળભૂતરૂપે શુદ્ધ-બુદ્ધ છે, તેમાં ઉપાધિરૂપ આ બુદ્ધિ વગેરેના સંબંધના કારણે જ અનાદિ એવો વિવેકચૂડામણિ / ૩૮૩