________________
જ્ઞાન) સિધ્ધતિ । તત: આત્મા-ગસદ્-ગાત્મનો વિવેઃ ર્તવ્યઃ ॥ ૨૦૬ ॥
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તત્ (સમ્યક્ જ્ઞાનં) સિધ્ધત્તિ । તે, એટલે કે સમ્યગ્-જ્ઞાન, આત્માનું યથાર્થજ્ઞાન સિદ્ધ અથવા સંપન્ન થાય છે. શાનાથી ? આત્મા-અનાત્મનો: સદ્-વિવેન વ્ । આત્મા અને અનાત્માના સમ્યક્ એટલે કે યથાર્થ વિવેક વડે જ. તત્ - તેથી, માટે, તે કારણે. તેથી શું કરવું જોઈએ ? પ્રત્યા આત્મા અસ-આત્મનો: વિવેઃ ર્તવ્યઃ । પ્રત્યક્-આત્મા આત્મા અને અનાત્માના સમ્યક્ એટલે કે યથાર્થ વિવેક વડે જ તતઃ તેથી, માટે, તે કારણે. તેથી શું કરવું જોઈએ ? પ્રત્યય્-આત્મા-અક્ષ-ગાત્મનો: વિવેક ર્તવ્ય:। પ્રત્યક્ આત્મા એટલે સ્વ-સ્વરૂપ આત્મા, અસ-આત્મા એટલે ખોટી રીતે આત્મા બની બેઠેલાં બુદ્ધિ-વગેરે, એટલે કે, હકીકતમાં, અનાત્મા. સ્વ-સ્વરૂપ આત્મા અને અનાત્મા વચ્ચે વિવેક કરવો જોઈએ. (૨૦૫)
અનુવાદ : આત્મા અને અનાત્મા વચ્ચેના યથાર્થ વિવેક વડે જ તે (સમ્યગ્જ્ઞાન) સિદ્ધ થાય છે, (અને) તેથી સ્વ-સ્વરૂપ આત્મા અને અનાત્મા વચ્ચે વિવેક કરવો જોઈએ. (૨૦૫)
ટિપ્પણ : મોક્ષાર્થી સાધકે ભૂલોની જે પરંપરા શરૂ કરી, તેમાં સૌપ્રથમ હતી, આત્મામાં બુદ્ધિ વગેરેની પરિકલ્પના. આ જ હતું મિથ્યાજ્ઞાન, અને આ મિથ્યાજ્ઞાન તો માત્ર સમ્યજ્ઞાન વડે જ નિવારી શકાય, – એટલું તો ગયા શ્લોકમાં, ગ્રંથકારે, પ્રતિપાદિત કર્યું. વળી, આ સમ્યજ્ઞાન એટલે બીજું કશું જ નહીં, પરંતુ બ્રહ્મ અને આત્માની એકતાનો અનુભવ (બ્રહ્મામૈવવિજ્ઞાનમ્). પરંતુ આવું શ્રુતિ-સંમત, ઉપનિષદોએ એકી-અવાજે (Unanimously) પ્રમાણભૂત ઠરાવેલું સમ્યજ્ઞાન સિદ્ધ કેવી રીતે કરવું ? આ પ્રશ્નનો પ્રત્યુત્તર આ શ્લોકમાં આપવામાં આવ્યો છે. સારીનરસી અને સાચી-ખોટી એવી બે પરસ્પર-ભિન્ન વસ્તુઓ વચ્ચેના વિવેક(Sense of Discretion, Discrimination)ના મહિમાનું, આ પહેલાં, નિરૂપણ કરવામાં આવ્યું છે. વળી, વિવેક પણ સમ્યક્, સાચો, યથાર્થ હોવો જોઈએ.
સાધકે બીજી જે વાત યાદ રાખવાની છે તે, આત્મા સિવાયનું જે કઈ છે સંસાર, અવિદ્યા, બુદ્ધિ વગેરે, તે બધું અનાત્મા જ છે. આત્મા અને અનાત્મા વચ્ચેના યથાર્થ વિવેક વડે જ તે, - સમ્યગ્-જ્ઞાન સિદ્ધ થઈ શકે છે; એટલે કે સાધક માટેની, પાયાની, મહત્ત્વની બાબત છે, સ્વ-સ્વરૂપ એવા આત્મા અને ખોટી રીતે બની બેઠેલા એવા, બુદ્ધિ વગેરે (અર્), એટલે કે અનાત્મા વચ્ચેનો સઘળી નિત્ય-અનિત્ય અને સોપાધિક-નિરુપાધિક વસ્તુઓ વચ્ચેનો અવશ્ય કરવાનો વિવેક.
ટૂંકમાં, જેને મોક્ષપ્રાપ્તિ કરવી છે એવા મોક્ષાર્થી સાધક માટે, આવી યથાર્થ વિવેકબુદ્ધિ એક અનિવાર્ય (Indispensable) આવશ્યકતા છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૨૦૫) વિવેકચૂડામણિ / ૩૮૫
ફર્મા - ૨૫