SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ મુંઝવી રહેલી આ ગડમથલ ગુરુજી આબાદ પારખી ગયા અને એનું સમયસર અને સંપૂર્ણ નિવારણ આ શ્લોકમાં કરે છે. અને એમનું આ નિવારણ, એક આદર્શ અધ્યાપકને છાજે એવું, પદ્ધતિસરનું (systematical) છે. તેમણે સૌપ્રથમ સ્પષ્ટતા તો એ કરી કે અવિદ્યા અને તેનું કાર્ય (એટલે કે, દેહાત્મબુદ્ધિ, અહંભાવ, જીવભાવ વગેરે) ભલે “અનાદિ હોય, પરંતુ તે કદી પણ, કોઈ પણ સંજોગોમાં “અનંત', (અન્ +અન્તો નથી. આવી સમજ, આવું અર્થઘટન (Interpretation) અયોગ્ય છે, કારણ કે આ સમગ્ર બ્રહ્માંડમાં અનાદિ અને અનંત તો માત્ર એક જ છે, અને તે છે બ્રહ્મ, આત્મા અથવા આત્મતત્ત્વ. અને શિષ્ય ઉપર્યુક્ત જે તાર્કિકતા પ્રતિપાદન કરીને મોક્ષની અસંભવિતતાનો મુદ્દો ઊભો કર્યો, તેનું સંપૂર્ણ ખંડન ગુરુજીએ બે રીતે કર્યું ઃ (૧) અવિદ્યા અને એનાં કાર્યનું અનાદિત્વ અમુક મર્યાદિત સમય માટેનું, એટલે કે અવિદ્યા ચાલુ રહે તેટલું જ (Temporary) છે, હંમેશનું (Permanent) નથી. સાધકનાં મનમાં આત્માનું યથાર્થજ્ઞાન ઉત્પન્ન થતાં જ, આ અવિદ્યાનો આખો પરિવાર, અનાદિ હોવા છતાં (સર્વ ભાવે અનાદિ (પ) પણ સમૂળગો નાશ પામે છે (સહમૂર્ત વિનશ્યતિ), એટલે કે તે “અનંત' નહીં, પરંતુ “સાન્ત' ( અંત) છે. મૂળ સવાલ, વિદ્યા એટલે કે આત્માનુભૂતિ ઉત્પન્ન થાય છે, તેનો છે (ઉત્પન્નાયાં તુ વિદાય). અવિદ્યા વગેરેની સ્વીકૃતિ “સ્વપ્ર” જેવી છે : રાત્રે ઊંઘ દરમિયાન, સ્વપ્ર આવ્યું, તે ઘટના છે તો સાચી જ, પરંતુ એનું સાચાપણું, એનું સ્વીકારવાપણું (પુષ્ય) ક્યાં સુધી ? જ્યાં સુધી ઊંઘ ચાલુ રહે ત્યાં સુધી જ ! જાગ્યા પછી સ્વપ્રની ઘટના કેવી-કેટલી-ક્યાં સુધી ટકે ? આ સવાલનો જવાબ આપવાની જરૂર જ રહેતી નથી. સર્વવિદિત એ સ્વપ્ર, ખરેખર, સ્વ” જ હતું, જાગતાંની સાથે જ તેનો નાશ થઈ ગયો ! (પ્રવધે સ્વપ્નવત). જાગ્યા પછી, માણસને પોતાની સઘળી સ્વપ્રસૃષ્ટિ ખોટી, મિથ્યા, ભ્રાંતિરૂપ સમજાઈ જાય છે, તેને એવી પ્રતીતિ થઈ જાય છે તેમ જ, સાધકને, જ્યારે, “હું તો સત્-ચિ-આનંદસ્વરૂપ છું, અશરીરી, નિરાકાર, અવિદ્યાની સર્વ ઉપાધિઓથી રહિત એવો નિરુપાધિક આત્મા છું' એવું, પોતાને વિશે એને યથાર્થશાન થાય ત્યારે પેલું અનાદિત્ય, તત્કાળ અને સંપૂર્ણપણે નિર્મૂળ થઈ જાય છે, નાશ પામે છે, - પછી ભલે ને અનાદિત્ય પોતાને અનાદિ માનતું હોય, તો પણ ! (૨) બીજું એ કે શિષ્યની તાર્કિકતા પ્રમાણે, જીવનો મોક્ષ અસંભવિત જ બની જાય તો, - શ્રુતિ, સ્મૃતિ વગેરે સઘળાં દાર્શનિક શાસ્ત્રગ્રંથો અને સંતો-મહંતો તથા આત્માનો સાક્ષાત્કાર કરનાર આચાર્યોની વાણી પણ અપ્રામાણિક, અસત્ય અને મિથ્યા કરે ! અને આવું તો કદી બન્યું નથી, કદીયે બને જ નહીં - ન ભૂતો, વિષ્યતિ | શ્લોકનો છંદ : અનુપુપ (૨૦૦-૨૦૧) વિવેકચૂડામણિ | ૩૭૯
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy