SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ કે જીવભાવ, સંસાર. આ બંને અનાદિ છે, એવું માન્ય રાખવામાં આવે છે. ટૂંકમાં, જેમ અવિદ્યા અનાદિ છે, તેમ તેના વડે અસ્તિત્વમાં આવેલો પરમાત્માનો જીવભાવ અથવા સંસાર પણ અનાદિ છે. ___ सर्वं आवेद्यकं (तस्य कार्य) अपि अनादि सहमूलं विनश्यति । आवेद्यकंવિદ્યથા ઢું રૂતિ ગાવેદ્યમ્ ! “અવિદ્યા અને તેનાથી ઉત્પન્ન થયેલું બધું જ, પરમાત્માનો જીવભાવ અથવા સંસાર, સઘળું જ, નાશ પામે છે (વિનશ્યતિ). પણ તે તો “અનાદિ હતુંને ? હા, હા, તે છતાં (અનાઃિ ૩પ). અરે, એટલું જ નહીં પણ સમૂળગું (સામૂi), મૂળ-સહિત, એટલે કે સંપૂર્ણ રીતે નાશ પામે છે. પરંતુ આમ ક્યારે બને ? ઉત્પન્નાયાં તુ વિદાયા ! સતિ સમી આ વાક્યરચના પેલા નાશનો સમય દર્શાવે છે, – જ્યારે વિદ્યા એટલે કે આત્માનું યથાર્થ જ્ઞાન, સાચી આત્માનુભૂતિ ઉત્પન્ન થાય ત્યારે. આવી પ્રક્રિયા કોના જેવી છે ? વધે સ્વપ્નવત્ | પ્રવીધ એટલે જાગી જવું, જાગ્રત અવસ્થા, જાગી જતાં જેમ સ્વમ નાશ પામે છે, તેમ. (૨૦૦-૨૦૧). અનુવાદ : અવિદ્યાની જેમ તેનાં પરિણામ-સ્વરૂપ સંસાર પણ અનાદિ છે, પરંતુ યથાર્થજ્ઞાન ઉત્પન્ન થતાં જ, જાગી જતાં સ્વપ્રની જેમ, અવિદ્યાનું સઘળું પરિણામ પણ, અનાદિ હોવા છતાં, તેનાં મૂળ સહિત, નાશ પામે છે. (૨૦૦-૨૦૧) ટિપ્પણ : અવિદ્યા અને એનાં પરિણામસ્વરૂપ સર્વનાં “અનાદિત્વ'ની આ ચર્ચા પ્રસ્તુત એટલા માટે બને છે કે શિષ્ય, ગુરુજી સમક્ષ, પોતાની મુંઝવણ રજુ કરતી વખતે, અનાદિત્વ અંગેનો આ મુદ્દો પણ એ રજુઆતમાં સમાવિષ્ટ કર્યો હતો. (શ્લોક-૧૯૪) “અનાદિ એટલે તે, જેનો આરંભ (આદિ) હોય નહીં. પરમાત્માનો જીવભાવ, બુદ્ધિ વગેરે રૂપી એની ઉપાધિ જો ખરેખર “અનાદિ હોય તો એનો નાશ થઈ શકે નહીં, એટલે તે અનંત હોય, - એવી સંપૂર્ણરીતે તર્કસંગત (Logical) જણાય એવી, શિષ્યની દલીલ હતી. શિષ્યની તાર્કિકતા (Logicality) એવી હતી કે જો પરમાત્માનો જીવભાવ અને તેની “ઉપાધિ” અનાદિકાળની હોય તો, તેનો જીવભાવ નિત્ય થશે, સંસારનું નિવારણ અશક્ય બનશે અને આમ જો સંસાર ચાલુ જ રહે તો પછી, જીવાત્માનો મોક્ષ પણ અશક્ય જ નહીં, પરંતુ એક અનિચ્છનીય અનર્થ જ બની રહે ! ન્યાયદર્શન પ્રમાણે, આવી પરિસ્થિતિ માટેનો પારિભાષિક શબ્દ છે પ્રસં એટલે કે “અનિચ્છનીય અનર્થ', Undesirable contingency. - આચાર્યશ્રી પોતે પણ, પૂર્વપક્ષની દલીલોનું ખંડન કરતી વેળાએ, પોતાનાં ભાષ્યોમાં, ખાસ તો, બ્રહ્મસૂત્ર પરનાં ભાષ્યમાં, આ પ્રસંગ' શબ્દનો પ્રયોજે છે અને એ રીતે, ન્યાયદર્શનના આ પારિભાષિક શબ્દને વેદાંત-દર્શનનો પણ એક પ્રચલિત પારિભાષિક શબ્દ બનાવી દે છે ! અને મુમુક્ષુ સાધકને તો, આવો “પ્રસંગ' અવશ્ય મુંઝવે જ! શિષ્યનાં મનને ૩૭૮ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy