________________
ટિપ્પણ : ભાન્તિને લીધે પ્રાપ્ત થયેલો પરમાત્માનો જીવભાવ સાચો નથી, ગયા શ્લોકમાંના આ જ વિષયને અહીં જરા જૂદી રીતે સમજાવવામાં આવ્યો છે, અને એ સમજૂતી સાથે સંકળાયેલી સર્વ વીગતોને પણ શબ્દાર્થ-વિભાગમાં સંપૂર્ણરીતે સ્પષ્ટ કરી દેવામાં આવી છે, એટલે આ ટિપ્પણમાં વધુ કશું ઊમેરવાનું રહેતું નથી.
રાત્રે, રસ્તે જતાં, અંધારાને લીધે, વચ્ચે પડેલું “દોરડું' “સર્પ-રૂપે દેખાયું, કારણ ? અંધકાર-રૂપી “બ્રાન્તિ' : દોરડાનું સર્પ રૂપે દેખાવાનું ક્યાં સુધી ? પેલી ભ્રાન્તિ’ ટકે ત્યાં સુધી જ. (પ્રાન્તિ%નીન: વ)
અજવાળું આવ્યું, એટલે બાપડાં અંધારાનું શું ગજું, – ટકી રહેવાનું? અંધારું ગયું, એની સાથે જ ભ્રાન્તિ ગઈ, પછી “સર્પનું હોવું જ અશક્ય ! (પ્રાન્તનશે અડપિ નૈવ પ્તિ ).
એ જ રીતે (તત્વ), પરમાત્માના જીવભાવનું અસ્તિત્વ (સત્તા) ક્યાં સુધી? અજ્ઞાનને લીધે ઉત્પન્ન થયેલી પેલી ભ્રાન્તિ ચાલુ રહે ત્યાં સુધી જ (વાવ૬. તાવ૬)!.
પ્રસ્તુત ચર્ચામાં અને દૃષ્ટાંતમાં, બંનેમાં, - બધા જ અનર્થનાં મૂળમાં ભ્રાન્તિ હતી : ભ્રાન્તિનો નાશ, એટલે તેણે સર્જેલાં અનર્થોનો નાશ !
શ્લોકનો છંદ : શાલિની (૧૯૯).
૨૦૦ अनादित्वमविद्यायाः कार्यस्यास्य तथेष्यते । उत्पन्नायां तु विद्यायामाविद्यकमनाद्यपि ॥ २०० ॥
प्रबोधे स्वप्नवत् सर्वं सहमूलं विनश्यति । શ્લોકનો ગુજરાતી પાઠ:
અનાદિવમવિઘાયા કાર્યાસ્યાસ્ય તથષ્યતે | ઉત્પન્નાયાં તુ વિદ્યાયામાવિદ્યકમનાદ્યપિ / ૨૦૦
પ્રબોધે સ્વપ્રવત્ સર્વ સહમૂલ વિનશ્યતિ !
શ્લોકનો ગદ્ય અન્વય : (તથા) વિદાયાક તથા કાર્યસ્થ પિ અનલિત્વે इष्यते । यथा उत्पन्नायां तु विद्यायां, प्रबोधे स्वप्नवत् सर्वं आविद्यकं अनादि अपि સમૂર્વ વિનશ્યતિ || ૨૦૦-૨૦૨ // | શબ્દાર્થ : મુખ્ય વાક્ય : તથા અનધિત્વ પુષ્યતે | તથા એટલે તેવી રીતે. રૂષ્યતે એટલે સ્વીકારવામાં આવે છે, માન્ય રાખવામાં આવે છે, સ્વીકાર્ય રહે છે. શું? કોણ ? મનહિd – અનાદિપણું, અનાદિ છે, એ વાત. કોનું અનાદિત્વ સ્વીકાર્ય રહે છે? (વથા) વિદાયાક તથા વાર્થી પિ (અનલિd) | ઋાર્ય એટલે પરિણામ, અવિદ્યાનું કાર્ય, પરિણામ, તેણે ઉત્પન્ન કરેલું અનિષ્ટ, - એટલે
વિવેકચૂડામણિ / ૩૭૭