________________
૩પધસંવધવત્ દિ તા: (મૂવી – ગુદ્ધિરૂપ:) ઉપાધિ સાથેના સંબંધને લીધે જ, એ જ ઉપાધિના ધર્મોને, ગુણોને તે અપનાવે છે, તેથી તા: (મૂત્વા) તેના ગુણધર્મો પોતાના માને છે. આ પ્રક્રિયા કોના જેવી છે ? ગોવિરાન - “વારિવવિદ્ ! મયઃ એટલે લો અને વનિ એટલે અગ્નિ. લોઢાને, એટલે કે લોઢાનાં હથિયારોને તપાવવામાં આવે ત્યારે, અગ્નિને તો કોઈ વિકારો જ હોતા નથી (સ-વિરિ), પરંતુ તે તે હથિયારોમાંનાં લોઢાંમાં તે પ્રવેશે છે તેથી, તે લોઢાંના વિકારોને અપનાવે છે, તેમ અહીં પણ બને છે. (૧૯૩)
અનુવાદ: પરમાત્મા, ઉપાધિ-સંબંધને લીધે, ઉપાધિના ગુણધર્મોને અપનાવતો હોવાથી, વિકાર વિનાનો અગ્નિ (લોઢાંમાં પ્રવેશ્યા પછી) લોઢાંના વિકારોને અપનાવી લે છે તેમ, સદા એકરૂપ અને સ્વભાવે (ઉપાધિથી) પર હોવા છતાં પણ, ઉપાધિના ગુણધર્મોને અપનાવે છે. (૧૩)
ટિપ્પણઃ પરમાત્મા પોતે તો સંપૂર્ણ રીતે નિરુપાધિક છે, તે છતાં તે સોપાધિક કેમ બને છે ? તે તો સદા-સર્વદા એકરૂપ જ હોવા છતાં જૂદાં સ્વરૂપે કેમ દેખાય છે? તે સ્વયં નિર્વિકારી હોવા છતાં વિકારોવાળો કેવી રીતે, શા કારણે બને છે? ગયા શ્લોકમાંની ઘટનાને, જરા જુદી રીતે, અને એવી જ બીજી સચોટ ઉપમા આપીને, ગ્રંથકારે, અહીં સમજાવી છે. - પરમાત્મા પોતાનાં મૂળ સ્વરૂપે કે સ્વભાવે તો, સદા-સર્વદા એકરૂપ જ રહે છે, એમાં કશાં પરિવર્તનો-વિકારો-ફેરફારો હોતાં જ નથી, તે તો એક સિદ્ધ હકીકત છે. પરંતુ શરીર, તેમાંની ઇન્દ્રિયો, બુદ્ધિ વગેરે ઉપાધિઓના સંસર્ગમાં તે આવે છે, ખાસ તો, બુદ્ધિ સાથેનો તેનો સંબંધ સવિશેષ ઘનિષ્ઠ બની જાય છે. અને તે સર્વ ઉપાધિઓના ગુણધર્મો તે પોતે અપનાવી લે છે. ટૂંકમાં, ગયા શ્લોકની સમજૂતી આપતાં કહ્યું હતું તેમ, સમગ્ર બ્રહ્માંડના એકાધાર જેવો, એનાં અધિષ્ઠાન સમો પરમાત્મા, મનુષ્ય-શરીરમાં જીવાત્મા તરીકે જન્મ્યા પછી, પોતાનાં મૂળ સ્વરૂપ અને સ્વભાવને સાચવી શકતો નથી. શરીર સાથે જ વળગેલી સર્વ ઉપાધિઓ, એના સ્વરૂપમાં અને સ્વભાવમાં, આમૂલ છતાં અનિચ્છનીય, પરિવર્તન આણે છે.
અહીં પણ, છેલ્લા શ્લોકની જેમ, એક સમુચિત અને સામાન્યજન સુબોધ ઉપમા આપવામાં આવી છે : પંચમહાભૂતોમાંનો એક એવો અગ્નિ, મૂળભૂત
સ્વરૂપે, નિર્વિકારી છે, પરંતુ તલવાર જેવાં હથિયારોને અથવા સાણસી-દાતરડુંચિપીઆ જેવાં ઓજારોને જ્યારે અગ્નિમાં તપાવવામાં આવે છે ત્યારે, અવિકારી એવો અગ્નિ પેલા હથિયારો-ઓજારોમાં પ્રવેશ્યા પછી, તે તે હથિયારોઓજારોમાંનાં લોઢાંનાં આકાર-વિકાર અપનાવે છે અને આ સંસર્ગને કારણે જ વિકારી બની જાય છે. .
બસ, આવું જ પરિવર્તન, સદા અ-પરિવર્તનશીલ પરમાત્માની બાબતમાં બને છે, તેનું કારણ માત્ર એક જ, – ઉપાધિ સાથેનું પ્રકષ્ટ સાન્નિધ્ય !
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૯૩)
વિવેકચૂડામણિ | ૩૬૭