________________
આસક્તિ, પરિવી એટલે કલ્પીને, જગાડીને, ઉત્પન્ન કરીને. ક્યાં, શામાં “રાગ' જગાડે છે? લેવિસર્વવિષs I દેહ (શબ્દ, સ્પર્શ) વગેરે વિષયોમાં. દેહ વગેરે વિષયોમાં રાગ જગાડીને, તે રાગ-રૂપી દોરડા વડે જીવાત્માને બાંધે છે. આ રીતે મન બાંધે છે, તો પછી, તે તેને છોડાવે છે, કેવી રીતે ? પશ્ચાત વિષવ મંત્ર (પુ વિષયેષ) વૈરર્ય વિધાથ વિષવસ્તુ એટલે ઝેર જેવા વિષયો), વૈરસ્થ એટલે વિરસતા, રસવિહીનતા, વૈરાગ્ય, જેમાંથી “રસ ચાલ્યો ગયો હોય, તે વિરહ, અને આ શબ્દનું ભાવવાચક નામ, વૈરથમ ! વિધાય એટલે પેદા કરીને, ઉત્પન્ન કરીને, રચીને, યોજીને. પાછળથી અહીં (2) ઝેર જેવા વિષયોમાં, તેના પ્રત્યે વૈરાગ્ય પેદા કરીને, તેને, છોડાવે છે. (૧૭૫)
અનુવાદ : દેહ વગેરે વિષયોમાં (પહેલા) રાગ જગાડીને (જે મન) તે (રાગરૂપી) દોરડા વડે, પશુની જેમ, (જીવાત્માને) બાંધે છે, તે મન જ, પાછળથી, ઝેર જેવા આ વિષયોમાં વૈરાગ્યભાવ પેદા કરીને, (તેને) બંધનમાંથી છોડાવે છે. (૧૭૫)
ટિપ્પણ: આ પહેલાંના શ્લોકમાં આચાર્યશ્રીએ એવું વિધાન કર્યું હતું કે બંધન અને મોક્ષ, – એ બંનેની કલ્પના, મન વડે જ, કરવામાં આવે છે. આ મન, આવી અદ્ભુત કાર્યસિદ્ધિ કેવી રીતે સંપન્ન કરી શકે છે, એની પ્રક્રિયા શી અને કેવી છે, તેનું સંક્ષિપ્ત છતાં સચોટ અને પ્રતીતિકારક નિરૂપણ આ શ્લોકમાં કરવામાં * આવ્યું છે.
રાગ એટલે આકર્ષણ-આસક્તિ (Atachment). મન આ રાગનું બળ અને જીવાત્માની નિર્બળતા, – બંનેને બરાબર જાણે, ઓળખે છે. એટલે સૌપ્રથમ આ “મનજી”-ભાઈએ દેહ-ઈન્દ્રિયો વિષયો વગેરેમાં માણસનો રાગ જગાડ્યો (હિ). બિચારો માણસ એમાં ફસાયો, લટ્ટ બની ગયો, એ જોઈને, એ રાગ-રૂપી દોરડા વડે જ, માણસને ઢોરની જેમ, જકડીને બાંધી દીધો (વજ્ઞાતિ). આ થઈ, બંધનની પ્રક્રિયા.
હવે, જો “રાગ-ગુણ”ની કેદમાં, એના કારાવાસમાં પડેલા આ માણસનું સદ્ભાગ્ય હોય તો, એ જ “મનજી”-ભાઈ, પાછળથી (પશ્ચાત), કેદીને પેલા પાશમાંથી કેવી રીતે છોડાવે છે (વિમોવતિ), એ જુઓ : દેહાદિવિષયોમાં, અગાઉ રાગ જગાડ્યો હતો તેમાં (મત્ર) જ, પેલા કેદીને જરા પણ “રસ' ન રહે, એવી વિરસતા', રસવિહીનતા એટલે એવો વૈરાગ્ય, આ “મનજી'-ભાઈએ જ પેદા કર્યો (વિધાય). પણ આ વૈરાગ્ય જાગ્યો કેવી રીતે ? પેલા માણસને એવી ખાતરી કરાવવામાં આવી કે વિષયો તો ઝેર જેવાં (વિષવત) છે અને ઝેર તે કોઈ, “એ ઝેર છે' - એવી ખાતરી થઈ ગયા પછી, પીએ જ શાનો? એટલે, વૈરાગ્યભાવનો ઉદય થતાં, “મોક્ષ માટેની એની પાત્રતા સિદ્ધ થઈ, અને બંધનનાં પેલાં દોરડાં, આપોઆપ, ફટાફટ, તૂટવા લાગ્યાં. આવી કરામત' પણ આ “મનજી”-ભાઈની
વિવેકચૂડામણિ | ૩૩૭ ફર્મા- ૨૨