________________
ટિપ્પણ: જેની ચર્ચા ચાલી રહી છે તે “મનોમય કોશ, એ સંજ્ઞા જ દર્શાવે છે કે આ કોશનાં કેન્દ્રમાં મન છે, અથવા તો, મન જ “મનોમય–કોશનું પ્રતિનિધિ (Representative) છે.
પાંચેય કોશ આત્માનું આવરણ કરે છે, આત્માને ઢાંકી દે છે, અને પરિણામે, સાધક આત્મદર્શન કરી શકતો નથી અને સંસારના બંધનમાં ફસાઈ જાય છે. મનોમય'-કોશ જો આવું કરતો હોય તો, એના પાયામાં રહેલાં મનને એનાં સાચાં સ્વરૂપમાં સમજી લેવું અનિવાર્ય છે. ગ્રન્થકાર, અહીં, મનનાં સાચાં સ્વરૂપની સમજણ, સરળ ભાષામાં આપે છે.
સાધકનું જીવન-ધ્યેય છે, “મોક્ષની પ્રાપ્તિ, અને “મોક્ષ' એટલે “મુક્તિ' (Liberation), – સંસારરૂપી બંધન(Bondage)માંથી. અને આ બંધનનું કારણ શું છે, તે સમજાય તો જ, એ બંધનનું નિવારણ થઈ શકે.
સાવ સાદી ભાષામાં અહીં જણાવી દેવામાં આવ્યું છે કે આ બંધનનું કારણ મન છે : (મનો હિ વિદ્યા ભવનતું: ) ટૂંકમાં, મન જ અવિદ્યા છે, અજ્ઞાન છે, Ne-science છે. મન અવિદ્યા કેવી રીતે બને છે? સ્થૂળ દેહમાં, “એ દેહ હું છું - એવો “અહ-ભાવ” મનુષ્યનાં મનમાં જ ઉદ્ભવે છે અને તેથી, આત્મા ઉપર નામ-રૂપ-આકારનું આરોપણ કરી રહેલા, સંસારનાં સર્વ, અન્યથા મિથ્યા એવા, દશ્ય પદાર્થોને આત્મા માની લેવાની ભ્રમણા કે ભ્રાંતિમાં તે સરી પડે છે, અને પછી તો, આ ભ્રાંતિ જ એના માટે, જન્મ-મૃત્યુ-રા-વ્યાધિ જેવી જંજાળ સમું બંધન સર્જી રહે છે.
એટલે, ફરી પાછાં આપણે, આ બંધનનાં કારણરૂપ મનની પાસે જ આવી પહોંચી છીએ ! આવાં બંધનનાં સર્જક-ઉત્પાદક એવાં મનનો નાશ, - એ એક જ તરણોપાય બને : (મન વિનડે સનં વિનટમ). મનોનાશ એટલે જ સંસારબંધનનાશ, અને સંસારબંધનનાશ એટલે જ મોક્ષ ! મનની આવી અનિષ્ટસર્જનશક્તિને સમ્યફ રીતે સમજ્યા પછી જ, મનીષીઓએ મન વિશે આવાં નિરૂપણો કર્યા હશે :
(१) मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः ।
(૨) મન-તિ વધ્યતે ન નિક-તિ વિમુચ્યતે | (ાતુએટલેં જે કંઈ જન્મેલું, ભૂત-માત્ર, મનુષ્ય.) (3) It is Mind that makes Heaven of Hell, and Hell of Heaven!
મનોનાશ(મનસિ વિનછે)ની આ પ્રક્રિયાને, શંકરાચાર્યના આદ્ય ગુરુ એવા શ્રીગૌડપાદાચાર્યે જરા જૂદી રીતે, છતાં પૂરી પ્રતીતિજનક રીતે, આ પ્રમાણે, સમજાવી છે : મનનો નાશ કરવા કરતાં, મનને “મન-એવાં સ્વરૂપે રહેવા જ ન દેવું, મનનું અસ્તિત્વ જ ન રહે એવી વસ્તુસ્થિતિ સર્જવી, – મનનું “અ-મનીકરણ' જ કરી નાખવું ! “મન”ને “અ-મન' જ કરી નાખવું ! “મન” “મન-સ્વરૂપે અસ્તિત્વ
૩૩૦ | વિવેચૂડામણિ