________________
૧૭૧
न ह्यस्त्यविद्या मनसोऽतिरिक्ता मनो ह्यविद्या भवबन्धहेतुः । तस्मिन् विनष्टे सकलं विनष्टं
विजृम्भितेऽस्मिन् सकलं विजृम्भते ॥ १७१ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
ન હાસ્યવિદ્યા મનસોતિરિક્તા મનો હ્યવિદ્યા ભવબન્ધહેતુઃ । તસ્મિન્ વિનઅે સકલ વિનષ્ટ
વિજ્રતેિઽસ્મિન્ સકલ વિજ્તે II ૧૭૧ ||
શ્લોકનો ગદ્ય અન્વય : મનસ: અતિરિહા હૈ (જાવિત્) અવિદ્યા ન અસ્તિ । મનઃ હિમવનન્યહેતુ: અવિદ્યા (મસ્તિ) । તસ્મિન્ (મનસિ) વિદે, (ર) માં વિનષ્ટ (મતિ), અસ્મિન્ (મનસ) વિકૃમ્મિતે (૪) (e) માં વિનુમ્મતે ॥ ૨૭o ॥
શબ્દાર્થ : મનસ: અતિરિા હિ (ાવિત્) અવિદ્યા ન અસ્તિ । ‘અવિદ્યા’ એટલે ‘વિદ્યા'નો વિરોધી શબ્દ, ‘અ-વિદ્યા’, વિદ્યા ન હોવી તે. પરંતુ આધ્યાત્મિક—દાર્શનિક (Philosophcal) સંદર્ભમાં, સાચી-ખરી વિદ્યા એટલે ‘આત્મજ્ઞાન’, અને તેથી જ, ‘અવિદ્યા’ એટલે એવી વિદ્યા ન હોવાની પરિસ્થિતિ, Spiritual ignorance : (Ne-science). રિા એટલે જુદી, એના સિવાયની, એના વિનાની, એનાથી રહિત. હિ એ કોઈ પણ કથનમાં ભારપૂર્વકતા (Emphasis) દર્શાવવા માટેનો શબ્દ છે : ‘જ'. મનથી જૂદી બીજી કોઈ અવિદ્યા નથી જ, ન જ હોઈ શકે. આનું કારણ શું ? મન હિ મવવહેતુ: અવિદ્યા (મસ્તિ) । કારણ કે, મન જ સંસારનાં બંધનના હેતુરૂપ અવિદ્યા છે. તસ્મિન્ (મનસિ) વિનટે (વં) સત વિનĖ મવતિ । તસ્મિન્ (મનસિ) વિનટે - અહીં ‘સતિ સપ્તમી’ વાક્યરચના છે, - તે(મન)નો નાશ થતાં, તે નાશ પામે ત્યારે. ‘ત્યારે' શું થાય છે ? (તું) સત વિનષ્ટ (મતિ) । આ બધું, - એટલે કે, સમગ્ર સંસાર, - નાશ પામે છે. અસ્મિન્ (મનત્તિ) વિકૃમ્મિતે, (૯) માં વિસ્તૃતે । વિટ્ટમ્ એટલે સ્ફુરવું, ઉદય પામવું, જાગવું, પ્રગટ થવું, દેખાવા લાગવું, ભાસમાન થવું. અહીં પણ ત્રીજી લીંટી જેવો જ, ‘સતિ-સપ્તમી’નો પ્રયોગ છે ઃ આ (મન) જાગે છે ત્યારે, એ જાગ્રત થતાં જ, આ બધું, એટલે કે આખું જગત, જાગ્રત થઈ જાય છે. (૧૭૧)
અનુવાદ : મનથી જુદી કોઈ ‘અવિદ્યા' છે જ નહીં, (કારણ કે) મન જ સંસાર-બંધનમાં હેતુ એવી અવિદ્યા છે. તેનો નાશ થતાં, આ સકળ (સંસાર) નાશ પામે છે અને એ જાગ્રત થતાં બધું (સંસાર) જાગ્રત થઈ જાય છે. (૧૭૧) વિવેકચૂડામણિ / ૩૨૯
-