SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોકનો ગુજરાતી પાઠ - અજ્ઞાનમૂલોડયમનાત્મબન્ધો નૈસર્ગિકોડનાદિનન્ત ઈરિતઃ. જન્માષ્યયવ્યાધિજરાદિદુઃખ પ્રવાહપાત જનયત્યમુખ્ય / ૧૪૮ || શ્લોકનો ગદ્ય અન્વય – અજ્ઞાનમૂનઃ ૩ય મનાત્મવિશ્વ: નિ : અનાદિક મનનો: (રૂતિ) તિ:, : અમુણ (નીવચ્છ) ગમ-૩થ-વ્યાધિ-ની-દ્વિदुःखप्रवाहपातं जनयति ॥ १४८॥ શબ્દાર્થ – મુખ્ય વાક્ય છે : અજ્ઞાનમૂના અર્થ મનાત્મવિશ્વ નૈવા અનાદિ અનન્તઃ (1) ફરિતઃ | અનાત્મવશ્વ એટલે અનાત્માએ કરેલું, સર્જેલું, ઊભું કરેલું આ (ય) બંધન, એટલે કે દેહ-ઇન્દ્રિયો વડે થતું આ બંધન. આ બંધન કેવું છે ? જ્ઞાનમૂત: અજ્ઞાનમાંથી ઉદ્ભવેલું, ઉત્પન્ન થયેલું, અજ્ઞાનરૂપી મૂળવાળું. આ બંધન કેવું કહેવાય (ફરિત) છે. નૈઃ સ્વાભાવિક, અનઃિ - અનાદિ (Beginningless), મનના:- અનંત, અંતવિહોણું (Endless), ટૂંકમાં, આ બંધન સહજ અને સ્વાભાવિક (Natural), એની મેળે, આપોઆપ ઉત્પન્ન થયેલું છે, અનાદિ છે, અનંત છે. પરંતુ આ બંધન આ (મુખ્ય) જીવાત્માને શી હાનિ પહોંચાડે છે? શું નુકશાન કરે છે? એના માટે શી અને કેવી તકલીફો ઊભી કરે છે? આટલી તકલીફો : જન્મ, મરણ (ગળથ), વ્યાધિ (રોગો), ઘડપણ, - વગેરે દુઃખોના પ્રવાહમાં પાડે છે, એવાં પતન(પત)નું કામ કરે છે, એવી ખરાબ કામગીરી સર્યા કરે છે (ગતિ), જીવાત્મા માટે આવા અનર્થોની પરંપરા સર્યા કરે છે, આવાં અનેક દુઃખોના પ્રવાહમાં જીવાત્માને ધકેલ્યા કરે છે. (૧૪૮) અનુવાદ – અજ્ઞાનમાંથી ઉદ્ભવેલું (જીવનું) આ, અનાત્માએ કરેલું બંધન, સ્વાભાવિક, અનાદિ અને અનંત છે, એમ કહેવાય છે, - જે, આ જીવાત્માને જન્મ, મરણ, રોગ, વૃદ્ધાવસ્થા વગરે દુઃખોના પ્રવાહમાં પાડ્યા કરે છે. (૧૪૮) ટિપ્પણ – શિષ્ય પૂછેલા પ્રશ્નની જે ચર્ચા ચાલી રહી છે, તેમાં બંધનનું લક્ષણ (Definition): અને એનાં કારણો સદ્ગુરુએ સમજાવ્યાં. હવે, આ શ્લોકમાં એનાં સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ' એમાં સૌપ્રથમ, પાયાની (Fundamental) અને ખૂબ મહત્ત્વની વાત, - સાધકે જેને હંમેશા યાદ રાખવી જોઈએ તેવી, - એ છે કે દેહ, ઈન્દ્રિયો વગેરેએ ઊભાં કરેલાં આ બંધન, - એટલે કે, અનાત્માને આત્મા માની બેસવાથી ઉદ્ભવેલાં બંધનનું મૂળ અજ્ઞાનમાં રહેલું છે. અને અજ્ઞાન તો સંસ્કારગત છે, એટલે તે, આપોઆપ, એની મેળે, સહજ-સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન થાય છે, - કશા જ ખાસ પ્રયત્નો વિના. આવું બંધન ક્યારે ઉત્પન્ન થયું? એની શરૂઆત (વિ) ૨૯0 / વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy