________________
અર્ધ્વમૂન: સવાશારિd: ષ: શ્વત્થ: સનાતન / (રૂ,૭) (૨) મુંડક ઉપનિષદમાં તો, આથી આગળ વધીને, આ સંસાર અથવા શરીરને જ વૃક્ષનું રૂપક આપવામાં આવ્યું છે, જેના પર જીવાત્મા અને પરમાત્મા એવાં હંમેશાં સાથે રહેનારાં, બે મિત્રો બનેલાં, પંખીઓ રહે છે, અને તેમાંનું એક, એટલે કે જીવાત્મારૂપી પંખી, આ વૃક્ષનું સ્વાદિષ્ઠ પિપ્પલ-ફળ ખાય છે અને પરમાત્મારૂપી બીજું પંખી ખાતું નથી, પરંતુ ખાઈ રહેલાં પેલાં બીજાં પંખીને સાક્ષીભાવે જોયા કરે છે :
द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते । तयोः अन्यः पिप्पलं स्वादु अत्ति
अनश्नन् अन्यः अभिचाकशीति ॥ ३, १ ॥ અને ગીતામાં, ઉપનિષદોનાં ઉપર્યુક્ત રૂપકના આધારે જ, સંસારનું, અશ્વત્થવૃક્ષ તરીકે, આવું વર્ણન આપવામાં આવ્યું છે :
. ऊर्ध्वमूलं अधःशाखं अश्वत्थं प्राहुः अव्ययम् ।
છન્નતિ થી પનિ : તે વેઃ સ વેવિ | ૨૬, ૨ || (૪) ગીતા જેનો ભાગ છે, એવા મહાભારતમાં પણ આવા જ એક બ્રહ્મવૃક્ષનું વર્ણન મળે છે. (અશ્વમેધપર્વ ૪૭,૧૨-૧૫) - કોઈ પણ વસ્તુનું રૂપકાત્મક રીતે વર્ણન કરવું, એ તો માત્ર એક સાહિત્યિક યુક્તિ-પ્રયુક્તિ છે, પરંતુ એનો કશો મહિમા નથી. અહીં આ વર્ણનમાંથી પણ મહત્ત્વની જે વાત નિષ્પન્ન થવી જોઈએ તે તો એ છે કે મુંડક ઉપનિષદમાંનાં ઉપર્યુક્ત સંસારવૃક્ષનાં વર્ણનમાં, તે વૃક્ષનું સ્વાદિષ્ટ ફળ ખાતું, અને તે ફળનાં સ્વાદની આસક્તિમાં સતત રાચતું જીવાત્મા-નામનું જે પક્ષી છે, તેણે તે જ વૃક્ષ પરના પોતાના પરમ-મિત્ર અને ફળના અ-ભોક્તા છતાં પોતાને સતત સાક્ષીભાવે જોયા કરતા પરમાત્મા સાથે ઐક્ય સાધી લેવું જોઈએ. “હું જીવાત્મા નથી, પરંતુ મારો સતત સાક્ષી એવો એ પરમાત્મા જ હું છું - એવી પ્રતીતિ જ સંસારનાં બંધનમાંથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય છે. સંસારનાં રૂપકાત્મક (Metaphorical) વર્ણનની એકમાત્ર અને આત્યંતિક ફલશ્રુતિ પણ આ જ છે.
શ્લોકનો છંદ : શાર્દૂલવિક્રીડિત (૧૪૭)
૧૪૮ अज्ञानमूलोऽयमनात्मबन्धो
नैसर्गिकोऽनादिरनन्त ईरितः । जन्माप्ययव्याधिजरादिदुःखप्रवाहपातं जनयत्यमुष्य ॥ १४८ ॥
વિવેકચૂડામણિ | ૨૮૯ ફમાં - ૧૯