________________
હવે, આ સંસાર-રૂપી વૃક્ષનાં, “સંસાર-વૃક્ષ'નાં વિવિધ અંગો અને એમનાં કારણોની વિગતો જોઈએ : આ વૃક્ષનું બી(બીજ,seed) વીનં શું છે? તમ: એટલે અંધકાર, - એટલે કે અજ્ઞાન (Ignorance). તત્ત્વજ્ઞાનમાં “અજ્ઞાન’ને અંધકાર અને “જ્ઞાનને પ્રકાશ માનવામાં આવે છે. આ સંસારવૃક્ષ અજ્ઞાનરૂપી બીજમાંથી ઊગ્યું છે. આ વૃક્ષનો અંકુર શું ? -માત્મા-ધી: સ્થૂળ શરીરને જ આત્મા માનવાની સમજણ (ધી. એટલે બુદ્ધિ). આવી સમજણ, ખોટી સમજણ, સ્થળશરીરમાં આત્મ-બુદ્ધિ, એ જ આ વૃક્ષનો “અંકુર', ફણગો, a sprout. અને એનું થડ ( ૫) શું? વપુઃ શરીર, દેહ એ જ થડ. પાંદડાં (પ્રવાસ) ક્યાં? :વાસના, અનુરાગ, આસક્તિ, Passion, emotion. એ ક્યાં જળથી ઊગે છે? , સારાં-નરસાં કર્મો એ જ વૃક્ષ માટેનું પાણી, અને ડાળીઓ (શાણા:, શgિ:) ? અસવ: | બસુ એટલે પ્રાણ. પ્રાણ પાંચ હોવાથી એનું બહુવચન. પ્રાણ-અપાન વગેરે પાંચ પ્રાણો એ જ આ વૃક્ષની ડાળીઓ. ડાળીઓ હોય એટલે એના અગ્રભાગો, ટોચો પણ (મળ) હોય, એ શું છે? સિંહતિઃ | સંહતિઃ એટલે સમુદાય. કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય વગેરે ઇન્દ્રિયોનો સમૂહ એ જ અગ્રભાગો, અને એનાં ફૂલો (પુષ્પબિ) ? વિષયાઃ શબ્દ, સ્પર્શ વગેરે ઇન્દ્રિયોની વિષયવાસનાઓ, વિષયો એ જ આ વૃક્ષનાં પુષ્પો. વળી, વૃક્ષ હોય એને ફળ પણ હોવું જોઈએ, એ શું છે? નાના એટલે અનેક, અનેક કર્મોથી ઉત્પન્ન થયેલું, ઘણાં પ્રકારનું દુઃખ (નાનાર્મસમુદ્ધર્વ વિવિધ ૩) એ જ આ વૃક્ષનું ફળ. વૃક્ષ ઉપર ઊગતાં ફળોને ખાનારો, ભોગવનાર (પૌત્ર) પક્ષી (1) કોણ ? તો કે બીજું કોણ ? (અ) નીવડે, આ જીવ, જીવાત્મા. અત્ર, - અહીં, સંસારરૂપી આ વૃક્ષમાં. સંસારરૂપી આ વૃક્ષનાં આ બધાં વિવિધ અંગો ને કારણો. (૧૪૭).
અનુવાદ – સંસારરૂપી આ વૃક્ષનું બીજ અજ્ઞાન છે, એનો અંકુર એટલે શરીરમાં આત્મબુદ્ધિ, એનાં પાંદડાં રાગ છે, એનાં માટેનું જળ એટલે કર્મ, શરીર એ જ થડ, પ્રાણો એની શાખાઓ છે, ઈન્દ્રિયોનો સમુદાય એ જ એના અગ્રભાગો, વિષયો એ જ એનાં પુષ્પો, અનેક કર્મો વડે ઉત્પન્ન થયેલું, ઘણા પ્રકારનું, દુઃખ એ એનું ફળ છે અને અહીં (આ સંસારરૂપી વૃક્ષમાં) જીવ એ જ ફળનો ભોગવનાર પક્ષી છે. (૧૪૭)
ટિપ્પણ – આ સંસારરૂપી વૃક્ષનાં રૂપકાત્મક વર્ણનની વીગતો પરથી એક હકીકત નિશ્ચિત થાય છે કે જીવાત્મારૂપી પક્ષી આ સંસારવૃક્ષ પર બેસીને, પોતાનાં સારાં-નરસાં કર્મનાં સુખ-દુઃખરૂપી ફળને ભોગવે છે. આધ્યાત્મિક ગ્રંથોમાં, સંસારને વૃક્ષની ઉપમા આપવાની પરંપરા પ્રાચીન છે :
(૧) કઠ-ઉપનિષદમાં, આ સંસારને ઊંચા મૂળવાળાં, નીચી શાખાઓવાળાં અને ચિરકાળથી પ્રવૃત્ત થયેલા પીપળા(અશ્વત્થ)નાં વૃક્ષનું રૂપક આ પ્રમાણે આપવામાં આવ્યું છે : .
૨૮૮ | વિવેચૂડામણિ