SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) પારમાર્થિક સત્તાના આધારે, સ્વીકારાતું બ્રહ્મનું ત્રિકાલાબાધિત સત્ય; (૨) વ્યાવહારિક સત્તાના આધારે, સ્વીકારાતું જગતનું “મર્યાદિત' સત્ય; અને (૩) પ્રતિભાસિક સત્તાના આધારે, અંધકારને લીધે, દોરડા(રજુ)માં થતી સાપ(સર્પ)ની પ્રતીતિરૂપ, સ્વીકારાતું સાપનું, “તાત્કાલિક’ સત્ય. આવી ત્રણ સત્તાની સ્વીકૃતિ તો સામાન્ય માણસની મૂંઝવણનાં સમાધાન માટે જ છે. હકીકતમાં, ત્રણેય કાળ દરમિયાન, પોતાનાં સ્વ-સ્વરૂપમાં, મૂળભૂત સ્વરૂપમાં રહેનાર એક-માત્ર સત્ય એટલે બ્રહ્મનું સત્ય, અને એકમાત્ર “સત્તા એટલે પારમાર્થિક સત્તા. આ બ્રહ્મને પામ્યા વિના, એનો સાક્ષાત્કાર કર્યા વિના, મનુષ્યનો આત્મા, એટલે કે જીવાત્મા, મુક્તિની પ્રાપ્તિ કરી શકે નહીં, એ જ છે તાત્પર્યાર્થ શંકરાચાર્યના કેવલત–વેદાન્તનો. અને જીવાત્મા મોક્ષની પ્રાપ્તિ કરી શકે તે માટે, તેનાં માર્ગદર્શન માટે, તેમણે પ્રસ્તુત ગ્રંથ – “વિવેકચૂડામણિ”– ની રચના કરી છે. આવી મુક્તિ એટલે, “જીવાત્મા એ જ બ્રહ્મ', - એ પ્રકારની અનુભૂતિ. અને આવી અનુભૂતિ સો કરોડ જન્મોનાં સદાચરણથી કમાયેલાં પુણ્યો વિના મળી શકે નહીં, એવી સ્પષ્ટતા તેમણે, વેદાંત-દર્શનના પ્રકરણ-ગ્રંથોમાં જે અગ્રસ્થાને છે, એવા આ “વિવેકચૂડામણિ”ના સૌપ્રથમ શ્લોકમાં આ પ્રમાણે કરી છે : _ मुक्तिर्नो शतकोटिजन्मसुकृतैः पुण्यैर्विना लभ्यते ॥ - ગ્રંથનું નામ, એનું શીર્ષક – “વિવેકચૂડામણિ”– પણ સૂચક અને ઔચિત્યપૂર્ણ છે : મનુષ્ય “વિવેક”ના સિદ્ધાંતને આત્મસાત્ ન કરે ત્યાં સુધી, મોક્ષપ્રાપ્તિની યાત્રામાં તે દીક્ષાની પાત્રતા પ્રાપ્ત કરી શકે નહીં. પરંતુ આ “વિવેક” એટલે શું ? વેદાંત-વિદ્યાનો અધિકાર જેને તેને, સામાન્ય માણસને, મળી શકે નહીં. એ માટેની પાત્રતા સિદ્ધ કરવા માટે, મનુષ્ય કોઈ સ્થૂલ કર્મકાંડ(Ritual)માં ઊતરવાની જરૂર નથી, પરંતુ તેણે પોતાનાં સમગ્ર વ્યક્તિત્વનું આમૂલ પરિવર્તન કરીને, સૂક્ષ્મ દૃષ્ટિએ, જે સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે, તેની સર્વ વિગતો તેમણે, “બ્રહ્મસૂત્ર”ના સૌપ્રથમ સૂત્ર પરનાં પોતાનાં ભાષ્યમાં, સરળતાપૂર્વક અને સવિસ્તર સમજાવી છે, જેનો નિષ્કર્ષ આ પ્રમાણે છે : | વેદાન્ત-વિદ્યાના અધિકાર માટે, તેમણે, આ પ્રમાણે, બે પ્રકારનાં સાધનોની સિદ્ધિ અનિવાર્ય (Indispensable) ગણી છે : બહિરંગ સાધનચતુષ્ટય : (૧) વિવેક, (૨) વૈરાગ્ય, (૩) ષટ્સપત્તિ : શમ, દમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન અને ઉપરતિ, – આ છ પ્રકારની સંપત્તિ; અને
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy