________________
(૪) મુમુક્ષા. (આ ચાર એટલે બાહ્ય સાધનો).
અંતરંગ સાધન-ત્રિતય : (૧) શ્રવણ, (૨) મનન અને (૩) નિદિધ્યાસન (આ ત્રણ એટલે આંતરિક સાધનો).
આ બંને પ્રકારનાં સાધનોની વીગતોમાં અહીં ઊતરવાનું પ્રસ્તુત પણ નથી અને આવશ્યક પણ નથી, કારણ કે ગ્રંથમાં આ સર્વ બાબતો સવિસ્તર અને સદષ્ટાંત સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી છે. અહીં તો પ્રસ્તુત માત્ર એટલું જ છે કે બે પ્રકારનાં સાધનોમાંનાં બહિરંગ સાધનચતુષ્ટયમાં પણ સૌપ્રથમ છે વિવેક, - જેનાં સ્વરૂપને સંપૂર્ણ રીતે સમજયા અને આત્મસાત કર્યા પછી જ, મોક્ષપ્રાપ્તિની દીક્ષાને સંપન્ન કરી શકાય.
અને એટલે જ, “વિવેકના મહિમાને અનુલક્ષીને જ, આચાર્યશ્રીએ પોતે જ, “વિવેકનું સ્વરૂપ લક્ષણ આપતી વખતે જ, “ગાવી'-શબ્દ પ્રયોજાયો છે :
‘બાલી' નિત્ય-નિત્ય-વસ્તુ-વિવેક પરિક્વે / શ્લોક - ૧૯ (“સાધનોમાં પણ, સૌપ્રથમ, નિત્ય અને અનિત્ય વસ્તુઓનો વિવેક ગણાય છે.)
અને આ વિવેક એટલે બ્રહ્માંડમાંની સર્વ વસ્તુઓમાંની નિત્ય અને અનિત્ય વસ્તુઓ વચ્ચેના ભેદની સમ્યફ, સંપૂર્ણ અને પાકી સમજ..
- આચાર્યશ્રીની દૃષ્ટિએ, સમગ્ર બ્રહ્માંડમાં એકમાત્ર નિત્ય વસ્તુ છે, - આત્મા; અને બાકીનું બધું જ, જે આત્મા નથી તે, – દેહ, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ અને આ આખુંયે જગત પણ, - “અનાત્મા' હોવાથી અનિત્ય છે. ટૂંકમાં, એકમાત્ર નિત્ય' તત્ત્વ એવા આત્માનાં સ્વરૂપને સમજવા માટે, બાકીની સર્વ “અનાત્મા' એટલે કે “અનિત્ય એવી વસ્તુઓનાં સ્વરૂપને સમજી લેવાની જરૂર છે, જેથી મોક્ષાર્થી સાધકનાં ચિત્તમાં વિવેકની સમજ પૂરી અને પાકી બની રહે : સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ એ છે કે વિવેક એટલે સાધકનાં ચિત્તમાંની જાગરૂકતા (Awareness) : આત્મા એટલે કે નિત્ય' અને અનાત્મા એટલે કે “અનિત્ય વસ્તુઓ વચ્ચેની પૃથકતાનું પૂરું અને પાકું જ્ઞાન.
અને આ “વિવેક'નું મહત્ત્વ અધોરેખાંકિત (Underline) કરવા માટે જ, ગ્રંથકારે, ગ્રંથનાં શીર્ષકમાં, “ચૂડામણિ' શબ્દ પ્રયોજ્યો છે. “ચૂડામણિ' - એટલે મસ્તકનો મણિ, મસ્તક પરના મુગટમાં જડી દેવામાં આવેલો મણિ. “વિવેક'રૂપી આ મણિ જો મોક્ષાર્થી સાધકનાં મસ્તક પર જ હોય તો, એના પ્રકાશ વડે, મોક્ષપ્રાપ્તિનો એનો માર્ગ સદા ઝળાંહળાં અને ઝગમગતો જ બની રહે !
આ જ ઔચિત્ય છે, ગ્રંથનાં આ શીર્ષકનું ! વળી, આ “વિવેકના ચૂડામણિ'નો પ્રકાશ, સાધકને એની મોક્ષપ્રાપ્તિના
૨૬ | વિવેકચૂડામણિ