SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શંકરાચાર્યે (૭૮૮-૮૨૦), “બ્રહ્મસૂત્ર” પરનાં પોતાનાં ‘શારીરક’-ભાષ્યમાં, પોતાના આ ‘કેવલાદ્વૈત’-વાદનું પ્રતિપાદન કર્યા પછી, તેમના અનુગામી આચાર્યોએ, આ જ “પ્રસ્થાનત્રયી” પર,અને એમાંયે “બ્રહ્મસૂત્ર” પર ભાષ્ય રચીને, પોતાને અભિમત એવો, વેદાન્ત-દર્શન વિશેનો જે વાદ પ્રણીત કર્યો, તેમાં, તેમણે બ્રહ્મનાં અદ્વૈત-સ્વરૂપને સંપૂર્ણરીતે સ્વીકાર્યું નથી. તેમણે પોતાના આ દાર્શનિક વાદમાં, ભક્તિનું તત્ત્વ, જીવ-ઈશ્વર-ભેદ, દ્વૈત, દ્વૈત-અદ્વૈત, ભેદ-અભેદ જેવાં અન્ય તત્ત્વોને પણ સમાવિષ્ટ કર્યાં, જેનાં પરિણામે, શંકરાચાર્યના ‘કેવલાદ્વૈત’ ઉપરાંત, વેદાન્ત-દર્શનની આ પરંપરામાં, અન્ય કેટલાક વાદોનું પ્રતિપાદન કરવામાં આવ્યું, જેની વીગતો આ પ્રમાણે છે : આચાર્ય શ્રીરામાનુજાચાર્ય શ્રીમધ્વાચાર્ય શ્રીનિમ્બાર્કાચાર્ય શ્રીવલ્લભાચાર્ય સમય ૧૨મું શતક ૧૩મું શતક દૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ ૧૩મું શતક ૧૫-૧૬મું શતક શુદ્ધાદ્વૈતવાદ અણુભાષ્ય ટૂંકમાં, શંકરાચાર્યનો દાર્શનિક સિદ્ધાંત એટલે ‘કેવલાદ્વૈત’-વાદ, જેનું પ્રતિપાદન તેમણે નીચેની શ્લોક-પંક્તિમાં કર્યું ઃ ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः । વાદ વિશિષ્ટાદ્વૈતવાદ - ભાષ્ય – સમગ્ર બ્રહ્માંડમાં એકમાત્ર સત્ય વસ્તુ (એટલે કે ત્રણેય કાળમાં સદા-સર્વદા, સતત, અસ્તિત્વ ધરાવતું તત્ત્વ, Ever Existent, Eternal) એટલે બ્રહ્મ. આ દેખાતું-ભાસતું જગત મિથ્યા છે, અસત્ છે, ખોટું છે, અને મનુષ્યનો જીવ, એ બ્રહ્મ જ છે, એ સિવાય બીજું કશું જ નથી. જીવાત્મા શ્રીભાષ્ય પૂર્ણપ્રજ્ઞભાષ્ય વેદાંતપારિજાત બ્રહ્મ ભલે સત્ય હોય, એની સત્યતાને અવશ્ય, નિઃસંકોચ સ્વીકારીએ, પરંતુ મનુષ્યની આંખોની સામે જ સતત દેખાતું, એની જ્ઞાનેન્દ્રિયો દ્વારા અનુભવાતું આ જગત ‘મિથ્યા' શી રીતે ? કેવી રીતે ? એ સ્વીકારવું શાના આધારે ? સામાન્ય માણસની આ મૂંઝવણ સ્વાભાવિક છે, અને શ્રીશંકરાચાર્ય પણ આ મૂંઝવણની સ્વાભાવિકતાને સ્વીકારે છે, એટલું જ નહીં પરંતુ આવી મૂંઝવણનાં સમાધાન માટે, તેમણે પોતાના ઉપર્યુક્ત વાદમાં, નીચે પ્રમાણે, ત્રણ ‘સત્તા’ (સત્ – એટલે થવું-હોવું, to be, - એ ધાતુ પરથી બનેલું નામ, અસ્તિત્વ - Existence) પ્રમાણિત કરી છે અને સ્વીકારી છે : (૧) પારમાર્થિક સત્તા, (૨) વ્યાવહારિક સત્તા, અને (૩) પ્રાતિભાસિક સત્તા. ૨૪ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy