________________
શંકરાચાર્યે (૭૮૮-૮૨૦), “બ્રહ્મસૂત્ર” પરનાં પોતાનાં ‘શારીરક’-ભાષ્યમાં, પોતાના આ ‘કેવલાદ્વૈત’-વાદનું પ્રતિપાદન કર્યા પછી, તેમના અનુગામી આચાર્યોએ, આ જ “પ્રસ્થાનત્રયી” પર,અને એમાંયે “બ્રહ્મસૂત્ર” પર ભાષ્ય રચીને, પોતાને અભિમત એવો, વેદાન્ત-દર્શન વિશેનો જે વાદ પ્રણીત કર્યો, તેમાં, તેમણે બ્રહ્મનાં અદ્વૈત-સ્વરૂપને સંપૂર્ણરીતે સ્વીકાર્યું નથી. તેમણે પોતાના આ દાર્શનિક વાદમાં, ભક્તિનું તત્ત્વ, જીવ-ઈશ્વર-ભેદ, દ્વૈત, દ્વૈત-અદ્વૈત, ભેદ-અભેદ જેવાં અન્ય તત્ત્વોને પણ સમાવિષ્ટ કર્યાં, જેનાં પરિણામે, શંકરાચાર્યના ‘કેવલાદ્વૈત’ ઉપરાંત, વેદાન્ત-દર્શનની આ પરંપરામાં, અન્ય કેટલાક વાદોનું પ્રતિપાદન કરવામાં આવ્યું, જેની વીગતો આ પ્રમાણે છે :
આચાર્ય
શ્રીરામાનુજાચાર્ય શ્રીમધ્વાચાર્ય
શ્રીનિમ્બાર્કાચાર્ય
શ્રીવલ્લભાચાર્ય
સમય
૧૨મું શતક
૧૩મું શતક
દૈતવાદ
દ્વૈતાદ્વૈતવાદ
૧૩મું શતક ૧૫-૧૬મું શતક
શુદ્ધાદ્વૈતવાદ
અણુભાષ્ય
ટૂંકમાં, શંકરાચાર્યનો દાર્શનિક સિદ્ધાંત એટલે ‘કેવલાદ્વૈત’-વાદ, જેનું પ્રતિપાદન તેમણે નીચેની શ્લોક-પંક્તિમાં કર્યું ઃ
ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः ।
વાદ
વિશિષ્ટાદ્વૈતવાદ
-
ભાષ્ય
–
સમગ્ર બ્રહ્માંડમાં એકમાત્ર સત્ય વસ્તુ (એટલે કે ત્રણેય કાળમાં સદા-સર્વદા, સતત, અસ્તિત્વ ધરાવતું તત્ત્વ, Ever Existent, Eternal) એટલે બ્રહ્મ. આ દેખાતું-ભાસતું જગત મિથ્યા છે, અસત્ છે, ખોટું છે, અને મનુષ્યનો જીવ, એ બ્રહ્મ જ છે, એ સિવાય બીજું કશું જ નથી.
જીવાત્મા
શ્રીભાષ્ય
પૂર્ણપ્રજ્ઞભાષ્ય વેદાંતપારિજાત
બ્રહ્મ ભલે સત્ય હોય, એની સત્યતાને અવશ્ય, નિઃસંકોચ સ્વીકારીએ, પરંતુ મનુષ્યની આંખોની સામે જ સતત દેખાતું, એની જ્ઞાનેન્દ્રિયો દ્વારા અનુભવાતું આ જગત ‘મિથ્યા' શી રીતે ? કેવી રીતે ? એ સ્વીકારવું શાના આધારે ?
સામાન્ય માણસની આ મૂંઝવણ સ્વાભાવિક છે, અને શ્રીશંકરાચાર્ય પણ આ મૂંઝવણની સ્વાભાવિકતાને સ્વીકારે છે, એટલું જ નહીં પરંતુ આવી મૂંઝવણનાં સમાધાન માટે, તેમણે પોતાના ઉપર્યુક્ત વાદમાં, નીચે પ્રમાણે, ત્રણ ‘સત્તા’ (સત્ – એટલે થવું-હોવું, to be, - એ ધાતુ પરથી બનેલું નામ, અસ્તિત્વ - Existence) પ્રમાણિત કરી છે અને સ્વીકારી છે :
(૧) પારમાર્થિક સત્તા, (૨) વ્યાવહારિક સત્તા, અને (૩) પ્રાતિભાસિક સત્તા.
૨૪ | વિવેકચૂડામણિ