________________
એ જ બુદ્ધિ તથા તેની વૃત્તિઓના અભાવને, એની ગેરહાજરીને, તે, સુષુપ્તિઅવસ્થામાં જાણે છે.
કોઈ પણ વ્યક્તિ-વસ્તુ-પદાર્થ-ભાવની હાજરીને જાણવાનું સહેલું છે, પરંતુ આ આત્મા તો અભાવને પણ જાણી શકે છે,- એ એની પોતીકી કહી શકાય એવી, સ્વકીય વિશિષ્ટતા છે, લાક્ષણિકતા છે; અને એટલે જ એનું આ જ્ઞાન, વિ’જ્ઞાન બની જાય છે. ટૂંકમાં, એનાં જ્ઞાનને, એની જાણકારીને, કોઈ સીમા નથી, મર્યાદા નથી : ‘ભાવ' (સદ્ભાવ) હોય કે ‘અભાવ’ હોય, - આવી કોઈ પણ મર્યાદા, એની ‘સર્વજ્ઞતા’(Omniscience) માટે બાધારૂપ બનતી નથી. ત્રણેય અવસ્થાઓમાં એની આ શક્તિ, જરા પણ પ્રતિહત થયા વિના, એકસરખા પ્રભાવથી, કાર્યક્ષમ રહે છે. શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૧૨૮)
૧૨૯
यः पश्यति स्वयं सर्वं यं न पश्यति कश्चन ।
यश्चेतयति बुद्ध्यादिं न तु यं चेतयत्ययम् ॥ १२९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
યઃ પશ્યતિ સ્વયં સર્વે યં ન પશ્યતિ શ્ચન ।
યશ્વેતયતિ બુઠ્યાદિ ન તુ યં ચેતયત્યયમ્ ॥ ૧૨૯ ॥
શ્લોકનો ગદ્ય અન્વય :- યઃ સ્વયં સર્વ પત્તિ, યં ન શ્ચન પત્તિ, ય: નુયા િશ્વેતતિ, યં તુ ન (જ્જન) ચેતયતિ, (સ:) ઞયં (માત્મા અસ્તિ) || ૨૨૨ ||
-
-
શબ્દાર્થ :– મુખ્ય વાક્ય છે : (સ:) ઞયં (આત્મા અસ્તિ । તે આ આત્મા છે. કયો, કેવો આત્મા ? ય: સ્વયં પર્વ પત્તિ 1 જે પોતે સઘળું જુએ છે; અને એના વિશે બીજું શું ? - યં ન શ્ચન પશ્યતિ – જેને બીજું કોઈ જોઈ શકતું નથી; વળી, ય: નુર્ ચેતત. ચેતત્તિ - એટલે ચેતનવંતું બનાવે છે; બુદ્ધિ વગેરેને ચેતનવાળી - સચેતન - ચૈતન્યપૂર્ણ કરે છે; અને, છેલ્લે, યં તુ ન (જ્જન) ચેતયતિ । જેને અન્ય કોઈ ચેતનવંતું કરી શકતું નથી. (૧૨૯)
-
અનુવાદ :— જે પોતે સર્વને જુએ છે, (પરંતુ) બીજું કોઈ જેને જોઈ શકતું નથી, બુદ્ધિ વગેરેને જે ચેતનવંતી બનાવે છે, પરંતુ જેને અન્ય કોઈ ચેતનવાળો બનાવી શકતું નથી, - તે આ આત્મા છે. (૧૨૯)
ટિપ્પણ :– શ્લોક ૬ ૧૨૬-૧૨૭થી શરૂ થયેલું, પરમાત્માનાં સ્વરૂપનું પ્રવચન (સંપ્રવક્ષ્યામિ) અહીં પણ આગળ ચાલી રહ્યું છે : આ વિશુદ્ધ આત્માની, – એનાં સ્વરૂપની, – વિશેષતા એ હકીકતમાં રહેલી છે કે તે પોતે આ સઘળું જોઈ શકે છે, પરંતુ અહીંનું, આ સંસારનું, આ બ્રહ્માંડમાંનું - બીજું કોઈ જ એને જોઈ વિવેકચૂડામણિ | ૨૫૧