________________
માયા અને માયાનાં કાર્ય જેવાં આ જગતમાં સઘળું મિથ્યા અને જડ છે, ઝાંઝવાનાં જળ જેવું છેતરામણું અને ભ્રાંતિકારક છે, તેથી એ સર્વથી સતત અનાસકત અને વેગળા રહેવાની સ્પષ્ટ અને સમયસરની “નોટીસ', સદુગર, સાધક-શિષ્યને આપી દે છે. આ બધાંનાં મિથ્યાપણાં અને જડત્વની વાત, શિષ્યને, તરત અને પૂરેપૂરી, પ્રતીત થાય, ગળે ઊતરી જાય, તે ઉદેશથી, સદ્ગુરુએ જે ઉપમા, અહીં, પ્રયોજી છે, એનું સંપૂર્ણ ઔચિત્ય છે.
શ્લોકનો છંદ : આર્યા (૧૨૫)
- ૧૨૬ अथ ते संप्रवक्ष्यामि स्वरूपं परमात्मनः ।
यद् विज्ञाय नरो बन्धान्मुक्तः कैवल्यमश्नुते ॥ १२६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ -
અથ તે સંપ્રવક્ષ્યામિ સ્વરૂપ પરમાત્મનઃ I - યદ્ વિજ્ઞાય નરો બધાન્યુક્તઃ કૈવલ્યમનુતે | ૧૨૬ છે.
શ્લોકનો ગદ્ય અવય – અથ પરમાત્મનઃ () [ () તે સંપ્રવક્ષ્યામિ, यद् विज्ञाय नरः बन्धात् मुक्तः (सन्) कैवल्यं अश्नुते ॥ १२६ ॥ | શબ્દાર્થ - ૩ - હવે, હવે પછી; મુખ્ય વાક્ય છે : પરમાત્મનઃ () સ્વપૂi (ગ) તે સંપ્રવક્ષ્યામિ પરમાત્માનું (ત) સ્વરૂપ હું તને સારી રીતે (સમ) કહીશ-સમજાવીશ (પ્રવક્ષ્યામિ); પરમાત્માનું એટલે વિશુદ્ધ આત્માનું. જે ધાતુ () પરથી, “પ્રવચન' એવો શબ્દ બન્યો છે, તેના સામાન્ય ભવિષ્યકાળનું પ્રથમ પુરુષ એકવચનનું રૂપ, પ્રવક્ષ્યામિ. એ સ્વરૂપ કેવું છે ?- હશે ? ૧૬ વિજ્ઞાય – જેને જાણીને, જાણ્યા પછી; જેનો સાક્ષાત્કાર થવાથી; વધાતું મુp: (સન) વૈવલ્ય અનુજે | ન - મનુષ્ય, જીવ, જીવાત્મા; વન્યાહૂ મુ$: - (જીવ) સંસારમાંથી, સંસારનાં બંધનમાંથી મુક્ત થઈને, છુટકારો મેળવીને; વૈવલ્યએટલે મોક્ષ, મુક્તિ; અનુd - પામે છે, મેળવે છે. (૧૬)
અનુવાદ :- હવે તને પરમાત્માનું તે સ્વરૂપ સારી રીતે સમજાવીશ, જે જાણીને, મનુષ્ય, (સંસારનાં) બંધનમાંથી છુટકારો મળતાં જ મોક્ષ પામે છે. (૧૨)
ટિપ્પણ:- અથ-એ શબ્દ આરંભ-સૂચક છે. અત્યાર સુધી જે વિષય(Topic)ની ચર્ચા ચાલતી હતી, - “માયા' વગેરેની, - તે હવે પૂરી થઈ છે, અને નવા વિષયનું પ્રવચન સદ્ગુરુ, આ શ્લોકથી, હવે પછીના થોડા શ્લોકો સુધી, શરુ કરે છે. અને એ નવો વિષય છે, - પરમાત્મા(વિશુદ્ધ આત્મા)નું સ્વરૂપ.
ચર્ચાનો ક્રમાંક પણ સૂચક છે : જેનાથી સાધકે સદા દૂર રહેવાનું છે તે, - માયા અને માયાનાં કાર્ય સમાં સંસારનું સવિસ્તર વર્ણન-વિવરણ-વિવેચન ક્ય
૨૪૬ | વિવેકચૂડામણિ