________________
ક્રિયાઓ(પ્રાણાવિÍળિ) છે (ત્તિ). ઉચ્છ્વાસ એટલે શ્વાસ લેવો તે, - તેની ક્રિયા; નિ:શ્વાસ એટલે શ્વાસને બહાર કાઢવો તે. આ બંને ક્રિયાઓ મળીને, આપણે જેને શ્વાસોચ્છ્વાસ કહીએ છીએ તે. વિટ્ટમ્મળ એટલે બગાસું ખાવાની ક્રિયા; ભુત એટલે છીંક ખાવાની ક્રિયા; પ્રક્ષન એટલે કંપવાની-ધ્રૂજવાની ક્રિયા; કમળ એટલે ઊછળવાની ક્રિયા, ખાસ કરીને, મૃત્યુ-સમયે શ્વાસના ચાલ્યા જવાની ક્રિયા. આ બધી ક્રિયા-પ્રક્રિયાઓ ‘પ્રાણ’ની છે, એમ આ શાસ્ત્રના જાણકારો, તત્ત્વવેત્તાઓ કહે છે. આ વિદ્વાનો બીજું શું કહે છે ? એ જ કે ભૂખ(ગશના) અને તરસ(પિપાસા), એ બે પ્રાણના ધર્મો છે (પ્રાણસ્ય ધમાઁ સ્તઃ). (૧૦૪)
અનુવાદ :- ઉચ્છ્વાસ, નિઃશ્વાસ, બગાસું, છીંક, કંપન, ઉત્ક્રમણ, વગેરે - આ બધી ક્રિયાઓ “પ્રાણ”ની છે, અને ભૂખ તથા તરસ (એ બે) “પ્રાણ”ના ધર્મો છે, એમ વિશેષજ્ઞો કહે છે. (૧૦૪)
ટિપ્પણ :– આ પહેલાં, પ્રાણ’ના પાંચ પ્રકારો વિશે વિવરણ કરવામાં આવ્યું હતું. હવે, અહીં, પ્રાણની ક્રિયાઓ અને પ્રાણના ધર્મો, - એ બે બાબતોને જુદી તારવીને, એ બંને વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે, - જેની વીગતો શબ્દાર્થવિભાગમાં સમજાવવામાં આવી છે.
મોક્ષાર્થીએ એક વાત બરાબર સમજી લેવાની છે કે કોઈ પણ પ્રકારનાં કર્મક્રિયા-પ્રક્રિયા-ચેષ્ટા કરવાની શક્તિ શરીર પાસે નથી. શરીર તો જડ છે, નિષ્ક્રિય છે, અક્રિય છે. એટલે, શરીર દ્વારા, શરીરમાં જે કશી ક્રિયાઓ ચાલતી હોય તે, પ્રાણને આધીન છે, પ્રાણને લીધે જ થાય છે. શ્વાસોચ્છ્વાસ, બગાસું, છીંક વગેરે ક્રિયાઓ શરીર કરતું હોય, એમ લાગે-જણાય; પરંતુ, હકીકતમાં, એ સર્વ ચેષ્ટાઓ પ્રાણ દ્વારા, પ્રાણને લીધે જ થતી હોય છે : શરીરમાં પ્રાણ ન હોય, શરીર નિષ્પ્રાણ થઈ ગયું હોય, એટલે કે શરીરમાંથી પ્રાણ ચાલ્યો ગયો હોય, - એટલે કે માણસનું મરણ થયું હોય તો, શરીર કશી ક્રિયાઓ કરી શકતું નથી.
ઉપર્યુક્ત સર્વ પ્રાણની ક્રિયાઓ' છે, તો ભૂખ-તરસ લાગવી, - એટલે કે ખાવાની, (પાણી) પીવાની ઇચ્છા થાય, તે બંને પ્રાણ'ના “ધર્મો” છે. આવી-આટલી સ્પષ્ટતા આ શ્લોકમાં કરવામાં આવી છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૦૪)
-
૧૦૫
अन्तःकरणमेतेषु चक्षुरादिषु वर्ष्मणि ।
अहमित्यभिमानेन तिष्ठत्याभासतेजसा ॥ १०५ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
અન્તઃકરણમેતેષુ ચક્ષુરાદિષુ વક્ષ્મણિ । અહમિત્યભિમાનેન તિષ્ઠત્યાભાસતેજસા || ૧૦૫ || ૨૦૨ / વિવેકચૂડામણિ