________________
શ્લોતનો ગદ્ય અવય – વર્ણન વુિં ચક્ષુવુિં પાન, ‘દું ત્તિ ગમન, અન્ત:તિતિ | ૨૦૫ / | શબ્દાર્થ – મુખ્ય વાક્ય આ પ્રમાણે છે : “માં રૂતિ પમાનેન મન્તઃ તિષ્ઠતિ ! આ પહેલાં, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો વિશેની સમજણ આપી દેવામાં આવી છે. આ દશેય ઇન્દ્રિયો બહારની, શરીર-બહાર, શરીરની બહારની બાજુએ રહેનારી છે, તેથી તે ‘બાહ્ય-ઇન્દ્રિયો' છે; - વાઈ-રનિ છે. વરણ એટલે ઇન્દ્રિય. અહીં અંદરની, શરીરની અંદર રહેનારી, આંતર-ઇન્દ્રિય, એવાં અન્તઃકરણની વાત છે. એના વિશે ગ્રંથકારને શું કહેવાનું છે ? એ જ કે તે હુંપણાનો ભાવ ધારણ કરે છે, એટલે કે “અમુક ક્રિયા હું કરું છું – એવું સમજે છે, - માં રૂતિ માને તિતિ |
તે છે તો શરીરની અંદર (વર્ણfણ), અને પેલી, આંખ વગેરે જ્ઞાનેન્દ્રિયો તો (તિષ વક્ષરષિ) શરીરની બહારની બાજુએ છે, છતાં આ આન્તર-ઇન્દ્રિય (અન્ત:કર), આંખ વગેરે પેલી બાહ્ય-ઇન્દ્રિયો સાથે, - “અહ”-ભાવ” “મમ”ભાવ ધરાવવા માંડે છે, “એ હું જ છું', - એવી ખોટી સમજણ, એવો અનુચિત ભાવ ધારણ કરે છે. પરંતુ આ “અહ”ભાવ એટલે, ખરેખર, શું? એ જ કે, જુએ છે આંખ, સાંભળે છે કાન, સુંઘે છે નાક, અને છતાં “અન્તઃકરણ' એવો ભાવ ધરે છે કે “હું” જોઉં છું, “હું” સાંભળું છું, “હું” સૂવું છું, - વગેરે, વગેરે. પરંતુ આ તે કાંઈ યોગ્ય કહેવાય ? “અન્તઃકરણ” કેવી રીતે જોઈ-સાંભળી-સુંઘી શકે ? એ પોતે થોડું જ આંખ-કાન-નાક છે ? કે જેથી તે પ્રક્રિયાઓ કરી શકે ? તો પછી આમ કેમ બનવા પામે છે? આ સવાલનો જવાબ મળે છે, સામાન, - એ શબ્દમાં. મામા - એટલે ચિદાભાસ, ચૈતન્યનો આભાસ, તેનાં તેજ વડે, તેનાં તેજનાં કારણે. શરીર પોતે ભલે જડ છે, પરંતુ મનુષ્ય જીવે છે ત્યાં સુધી, તે ચિન્મય' (ચિદૂ+મય) છે, ચૈતન્યસભર છે, એ “ચિત”ના આભાસરૂપી તેજનાં કારણે, “અન્તઃકરણ”, “ચક્ષુ-વગેરે બાહ્ય-કરણો સાથે તાદાભ્ય, - એટલે કે તદાત્મ-ભાવ, “પોતે તે જ છે', - એવો અયોગ્ય “અહં'-ભાવ, “અસ્મિતા'ભાવ ધારણ કરે છે. આ “ભાવ” જ અન્તઃકરણનું “અભિમાન', અને આ જ એનો “અહ”-કાર !
અને એનું પરિણામ પણ, આથી જ, ખોટું-અયોગ્ય-અનુચિત ! જે “નથી', તેને છે, - એમ સમજવું ! (૧૦૫)
અનુવાદ :- શરીરમાં રહેલાં આ, ચક્ષુ વગેરે(ગોલકો)માં, ચિદાભાસનાં તેજનાં કારણે, અન્તઃકરણ હું-પણાંનો ભાવ ધારણ કરે છે. (૧૦૫). - ટિપ્પણ :- હકીકતમાં, જુએ છે આંખ; પરંતુ અન્તઃકરણ તેની સાથે એકરૂપ બની જાય છે, “એ આંખ હું પોતે જ છું', - એમ સમજીને, આંખ દ્વારા થતી
વિવેકચૂડામણિ | ૨૦૩