________________
છે ત્યારે એનું શરીર “શૂલ' હોય છે અને મરણ પામ્યા પછી એનો જીવાત્મા સૂક્ષ્મ' અથવા “લિંગ' શરીર ધારણ કરે છે; બંને પરિસ્થિતિ દરમિયાન, આત્મા તે તે શરીરમાં જ રહેતો હોવાથી, એટલે કે તે તે શરીર સાથે, તેનો તાદાભ્ય-સંબંધ હોવાથી, શરીર અથવા તેનાં વિવિધ અંગો-ઉપાંગો સારાં-નરસાં હોવાને કારણે કેટલાક ગુણો-દોષો સર્જાય છે, તે, મૂળે, તે તે અંગોના જ હોવા છતાં, પ્રતીતિ એવી થાય છે કે તે તે ગુણો-દોષો આત્માના ધર્મો છે; પરંતુ આવી કશી હકીક્ત નથી, આ તો માત્ર આભાસ કે બાહ્ય દેખાવ જ હોય છે; કારણ કે આત્મા તો સદા અસંગ છે, નિર્લેપ છે, અનાસક્ત છે, સાક્ષીભાવવાળો અને જ્ઞાનસ્વરૂપ જ હોય છે. પેલા ગુણો કે દોષો તો માત્ર આંખ, કાન વગેરે અંગ-ઉપાંગોના જ હોય છે.
આ શ્લોકમાં “સુગુણતાને બદલે “સૌગુણ્ય', “વિગુણતાને બદલે “ર્વગુણ્ય' અને “બધિરતા'ને બદલે “બાધિર્ય' જેવા પ્રમાણમાં અઘરા અને અપ્રચલિત શબ્દો, છંદની મર્યાદાને કારણે, પ્રયોજાયા છે, ગ્રંથકારને પ્રયોજવા પડ્યા છે તે, સુવાચ્યતાનો અભાવ જરા ખૂંચે એવો છે.
આ શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૦૩) *
- ૧૦૪ उच्छ्वासनिःश्वासविजृम्भणक्षुत्
- સ્પન્દનાડુમતિ: શિયા: | प्राणादिकर्माणि वदन्ति तज्ज्ञाः
प्राणस्य धर्मावशनापिपासे ॥ १०४ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ –
ઉચ્છવાસનિઃશ્વાસવિભણશુ
-પ્રસ્પન્દનાદુર્જમણાદિકાઃ ક્રિયાઃ | પ્રાણાદિકર્માણિ વદત્તિ તજજ્ઞાઃ
પ્રાણસ્ય ધર્માવશનાપિપાસે / ૧૦૪ / શ્લોકનો ગદ્ય અન્વય - ૩છુવાસ-નિ:શ્વાસ-વિકૃષ્ણ-કૃ-પ્રશ્યન-માદ્રિ૩મ-આદિલ્હી: જિયા: પ્રાણ-ગાર્નાિળિ (સન્તિ તિ) તનુજ્ઞા: વત્તિ / ૩ શા-પિપાસે પ્રાર્થ ધર્મો (સ્ત:) || ૧૦૪ |
શબ્દાર્થ – મુખ્ય વાક્ય છે : જ્ઞા: વતિ . “તજ્જ્ઞ” એટલે તે તે પ્રસ્તુત બાબતોના જાણકારોઃ તદ્ નાનાતિ બની | ‘તેને જે જાણે છે, તે “તજજ્ઞ”. ત(તે) એટલે શાસ્ત્ર, દર્શન, પ્રસ્તુત વિષય અંગેની મૂળભૂત તાત્ત્વિક બાબતો. અહીં પ્રસ્તુત વિષય છે, – “પ્રાણ”. તેના જાણકારો, તેનાં શાસ્ત્રના જાણકારો, વિશેષજ્ઞો, – Experts, Connoisseurs : આ જાણકારો કહે છે. શું કહે છે? એ જ કે ‘ઉચ્છવાસથી ‘ઉત્ક્રમણ' વગેરે ક્રિયાઓ (મદિ: જિયા:), એ પ્રાણની
- વિવેકચૂડામણિ | ૨૦૧