________________
જીવાત્મા પર, ચૈતન્યસ્વરૂપ આત્મા પર, સચ્ચિદાત્મા પુરુષ પર, પડતો નથી; કારણ કે આ પ્રક્રિયા પછી પણ તે તો, હતો તેવો જ, અસંગ જ, રહે છે. લિંગશરીરને સોંપાયેલાં કર્મો, તેના ભાગે આવતાં કર્મો, તે ભલે કર્યા કરે, જીવાત્માને એની સાથે કશો જ સંબંધ નથી. આનું કારણ શું ? એક જ, અને તે એ કે જીવાત્મા માટે તો આ લિંગશરીર પણ માત્ર એક સાધન જ છે. કેવી રીતે ? આ માટે એક સમુચિત ઉપમા અહીં આપવામાં આવી છે : સુથાર પાસે, પોતાના ધંધામાં સફળ થવા માટે, વાંસલો વગેરે ઓજારો-હથિયારો હોય છે, પરંતુ તે બધાં તેને મન, તેની દૃષ્ટિએ શું? માત્ર સાધનો જ. સાધન કદી સાધ્ય બની શકે જ નહીં, સાધન કદી સાધક પણ ન જ બની શકે; સુથાર સાધક છે, વાંસલો સાધન છે, - એ બંને ભિન્ન જ રહે. સાધનનાં કર્મો સાધકમાં ન હોય; એ જ પ્રમાણે, શરીરના ધર્મો, આત્માના ધર્મો કદાપિ બની શકે જ નહીં. .
જીવાત્મા, મુમુક્ષુ તરીકે, સાધક છે; લિંગશરીર સાધન છે અને મોક્ષપ્રાપ્તિ સાધ્ય છે. લિંગશરીર અને એનાં સ્વરૂપનું નિરૂપણ કર્યા પછી, ગ્રંથકાર, આ બે શ્લોકોમાં, સુથાર અને તેનાં સાધનરૂપ વાંસલાનું ઉદાહરણ આપીને, તે સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ આપતાં જણાવે છે કે શરીરના (સ્થૂલ કે લિંગશરીરના) ધર્મો આત્મામાં હોતા નથી, આત્મા તો સદા અસંગ અને અનાસક્ત છે, સ્વયં અદશ્ય છતાં દષ્ટા હોવાથી, લિંગશરીર સાથેના પોતાના તાદાભ્ય-સંબંધને લીધે જ, લિંગશરીર વડે આચરાતા સર્વ વ્યવહારો આત્મા કરે છે, એવી પ્રતીતિ, - આભાસી પ્રતીતિ, - થાય છે, પરંતુ વાસ્તવમાં, આત્મા, અસંગ હોવાથી, કશું જ કરતો નથી. મોક્ષપ્રાપ્તિનું સાધનભૂત એવું લિંગ શરીર તે કદી બની શકે નહીં.
શ્લોકનો છંદ : આર્યા (૧૦૨)
૧૦૩ अन्धत्वमन्दत्वपटुत्वधर्माः
सौगुण्यवैगुण्यवशाद्धि चक्षुषः । बाधिर्यमूकत्वमुखास्तथैव
श्रोत्रादिधर्मा न तु वेत्तुरात्मनः ॥ १०३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
અધત્વમન્દત્પટુત્વધર્મા
સૌગુણ્યવૈગુણ્યવાદ્ધિ ચક્ષુષ ! બાધિર્યમૂકત્વમુખાસ્તર્થવ
શ્રોત્રાદિધર્મા ન તુ તુરાત્મનઃ || ૧૦૩ // શ્લોકનો ગદ્ય અન્વય – સૌનુષ્ય-વૈકુળ-વશાત્ મધત્વ-ત્વ-પટુત્વ
વિવેકચૂડામણિ | ૧૯૯