SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ (અ) પ્રસ્થાનત્રયી પરનાં ભાષ્યો : (૧) બ્રહ્મસૂત્ર પરનું ભાષ્ય (૨) ૧૧ કે ૧૨ ઉપનિષદો પરનાં ભાષ્યો : ઈશાવાસ્ય, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડૂક, તૈત્તિરીય, ઐતરેય, છાંદોગ્ય, બૃહદારણ્યક, શ્વેતાશ્વતર, નૃસિંહતાપિની, કૌશીતક વગેરે ઉપનિષદો પરનાં ભાષ્યો. (૩) શ્રીમદ્ભગવદ્ગીતા પરનું ભાષ્ય. (બ) ઈતર ભાષ્યો : વિષ્ણુસહસ્ત્રનામ, સનસુજાતીય, લલિતાત્રિશતી (દેવી લલિતાનાં ૩૦૦ નામો), મૈત્રાયણીય-ઉપનિષદ, કૈવલ્ય-ઉપનિષદ, મહાનારાયણીય-ઉપનિષદ, અમરુશતક, ઉત્તરગીતા, શિવગીતા વગેરે. (૨) પ્રકરણ-ગ્રંથોઃ અદ્વૈતપંચક, અદ્વૈતાનુભૂતિ, અપરોક્ષાનુભૂતિ, આત્મબોધ, ઉપદેશપંચક, ઉપદેશસાહસ્રી, તત્ત્વબોધ, નિર્વાણમંજરી, મણિરત્નમાલા, વિવેકચૂડામણિ, સ્વાત્મનિરૂપણ, શતશ્લોકી, સર્વવેદાન્ત-સિદ્ધાંત-સાર-સંગ્રહ, મનીષાપંચક, - વગેરે ૩૪ ગ્રંથો. (૩) તંત્ર-ગ્રંથો : સૌંદર્યલહરી, પ્રપંચસાર. (૪) સ્તોત્રો : આમાં પણ ત્રણથી ચાર વિભાગો આ પ્રમાણે પાડી શકાય : (અ) વેદાન્ત-સ્તોત્રો, (બ) ગણેશ-શિવ-વિષ્ણુ-સૂર્ય, રામ, હનુમાન, ભવાની, કૃષ્ણ, ગોવિંદ, જગન્નાથ વગેરે ભક્તિ-સ્તોત્રો, (ક) ગંગા, નર્મદા, યમુના વગેરે નદી-સ્તોત્રો અને પરચુરણ-સ્તોત્રો. આમ, શંકરાચાર્યની અને એમનાં નામે ચઢેલી કૃતિઓની સંખ્યા ૨૦૦થી વધારે છે. સામાન્ય માણસ જે ઉંમરે પોતાના પુરુષાર્થની જીવન-કારકિર્દીનો આરંભ કરે એવાં માત્ર ૩ર જ વર્ષમાં, અનેક અભૂતપૂર્વ, આશ્ચર્યકારક અને અવિસ્મરણીય સંસિદ્ધિઓ સંપન્ન કરી જનાર, આ વિશ્વવંદ્ય વિભૂતિ અને યુગપ્રવર્તક મહામાનવનું સારું આધારભૂત અને સંપૂર્ણ મૂલ્યાંકન કરવા માટે તો કોઈ પણ માપ-દંડ ટૂંકો જ નીવડે. એમનાં જીવન અને એમની સિદ્ધિઓનું આકલન, ઋગ્વદના, શબ્દમાં શાંતિ ઓછું અધૂરું જ બની રહે ! અને એમનાં જીવનચરિત્રનું આલેખન કરતા જે “દિગ્વિજય”-ગ્રંથો આપણને વિવેકચૂડામણિ | ૧૯
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy