________________
આ ચાર ઉપરાંત, શંકરાચાર્યે એક (“સુર”-મઠ) કાશીમાં અને બીજો કાંચી “કામકોટી”-મઠ કાંચીમાં પણ સ્થાપ્યો હતો, એટલું જ નહીં પરંતુ આ મઠના આચાર્યની પરંપરા પ્રમાણે તો, આ મઠ જ શંકરાચાર્યનો મુખ્ય મઠ હતો, અને તેમણે જે મઠ પોતાના માટે પસંદ કર્યો તે આ જ મઠ હતો. આ મઠનું નામ, “શારદા”, તેના આચાર્ય શંકર ભગવત્પાદ પોતે, તેમનો વેદ ઋગ્વદ, - વગેરે હતાં.
આચાર્ય બળદેવ ઉપાધ્યાયની નોંધ પ્રમાણે, ઉપર્યુક્ત ચાર મઠ ઉપરાંત, “મઠઆમ્નાય'-પરંપરા અનુસાર, આ બે મઠ પણ શંકરાચાર્યે સ્થાપ્યા હતા.
આ અનુસંધાનમાં, એ હકીકત પણ અવશ્ય નોંધવી જોઈએ કે તેમણે એ સમયના ધાર્મિક સંપ્રદાયોને પરિશુદ્ધ કરીને સુદઢ બનાવ્યા : સૌપ્રથમ, શિવ-શક્તિવિષ્ણુ-સૂર્ય-ગણપતિ એ પાંચનું દેવ-પંચાયતન” રચ્યું અને પાછળથી, એમાં, દક્ષિણમાં વિશેષ પ્રચલિત એવી, “કુમાર કાર્તિકેયની પૂજાના સંપ્રદાયને ઊમેરવાથી આચાર્યશ્રી SHતિસ્થાપવાર્ય કહેવાયા.
ધાર્મિક એકસૂત્રતાનાં સંરક્ષણનાં આવાં બધાં તેમનાં વિશિષ્ટ કાર્યોથી પ્રેરાઈ અને પ્રભાવિત થઈને જ, ભારતની પ્રજાએ તેમને જગદગુરુની અનન્ય પીઠ પર અધિષ્ઠિત કર્યા.
અને પછી તો એવી જ ભાવાત્મક એકતાને પોતાની નજર સમક્ષ રાખીને, શ્રીશંકરાચાર્યે સમગ્ર રાષ્ટ્રમાં એવું સંપૂર્ણ પરિભ્રમણ કર્યું કે રઘુવંશના રઘુરાજાના દિગ્વિજય(“રઘુવંશ”, સર્ગ ૪,)ને પણ ટપી જાય અને ટક્કર મારે ! એમનું જીવનચરિત્ર નિરૂપતા મોટા ભાગના ગ્રંથોને “દિગ્વિજય” એવું શીર્ષક આપવામાં આવ્યું છે, તેની પાછળ એમનો આવો દષ્ટિપૂર્ણ “દિગ્વિજય” જ અભિપ્રેત હશે, એમ સ્પષ્ટ જણાય છે. શંકરાચાર્યની કૃતિઓ :
મૂળ શંકરાચાર્યની જ કૃતિઓ હોય, એવો સ્પષ્ટ નિર્ણય કરવો તે પણ અત્યંત અઘરું કામ છે, કારણ કે કેટલીક કૃતિઓ પરવર્તી શંકરાચાર્યે લખેલી હોવા છતાં આદ્ય શ્રીશંકરાચાર્યનાં નામે ચઢેલી હોય. એ જ રીતે સ્તોત્રોમાં પણ, એક જ સ્તોત્ર, જૂદા જૂદાં નામે, એકથી વધુ વાર ગણતરીમાં લેવાયું હોવાથી, એ સંખ્યા પણ પ્રમાણભૂત ન ગણાય.
એમની કૃતિઓને આટલા વિભાગોમાં વહેંચી શકાય ?
(૧) ભાષ્યો, (૨) પ્રકરણ-ગ્રંથો, (૩) તંત્ર-ગ્રંથો અને (૪) સ્તોત્રો. (૧) ભાષ્યો :
અહીં પણ (અ) પ્રસ્થાનત્રયી-ગ્રંથો પરનાં ભાષ્યો અને (બ) ઈતર ગ્રંથો પરનાં ભાષ્યો, - એમ બે પેટા વિભાગો પાડી શકાય :
૧૮ | વિવેકચૂડામણિ