SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ મળવા આવ્યા હતા અને પોતાનાં ત્રણ નાટકો શંકરાચાર્યને વાંચી સંભળાવ્યાં હતાં. દક્ષિણયાત્રા દરમિયાન, શંકરાચાર્ય ફરીથી કેરળ ગયા, રાજાને મળ્યા અને પેલાં નાટકો વિશે પૂછ્યું; પણ રાજકાજનાં કામમાં રાજા આ નાટકોને સાચવી શક્યા ન્હોતા. શંકરાચાર્યે પોતાની સ્મરણશક્તિના આધારે, એ નાટકોને અક્ષરશઃ લખાવી દીધાં ! પેલા સર્વ “દિગ્વિજય”-ગ્રંથોમાં આલિખિત, શંકરાચાર્યની જીવન-કારકિર્દી અંગેની આ બધી ઘટનાઓ તો મુખ્ય અને તે પણ સંક્ષિપ્ત જ છે. શંકરાચાર્યના ચાર મુખ્ય શિષ્યો આ પ્રમાણે નોંધાયા છે ઃ (૧) પદ્મપાદ (મૂળ નામ : સનન્દન) (૨) સુરેશ્વરાચાર્ય (મૂળ નામ : મંડનમિશ્ર) (૩) હસ્તામલક (મૂળ નામ : પૃથ્વીધર) (૪) તોટકાચાર્ય અથવા ત્રોટકાચાર્ય (મૂળ નામ : ગિરિ અથવા આનંદગિર) ભારતની ભાવાત્મક એકતા અને પોતે પ્રબોધેલાં ધાર્મિક-સાંસ્કૃતિક મૂલ્યો જળવાઈ રહે, એવા શુભ ઉદ્દેશથી પ્રેરાઈને, શંકરાચાર્યે ભારતની ચારેય દિશામાં, પ્રખ્યાત તીર્થસ્થાનોમાં, સ્થાપેલા ચાર મઠ, એ એમની અદ્યાપિ-પર્યંત, એ જ પરંપરામાં, સુરક્ષિત એક અવિસ્મરણીય મહાસિદ્ધિ છે. એમના ચારેય શિષ્યો, જૂદા જૂદા વેદોના અનુયાયીઓ હતા, અને વેદોનો સંબંધ દિશાઓ સાથે નિશ્ચિત થયેલો છે, તે ચારેયને તેમણે વેદ-અનુસા૨ી દિશાઓમાંની પીઠના સૌપ્રથમ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા, જેનો કોઠો આ પ્રમાણે છે : દિશા અધ્યક્ષ તોટકાચાર્ય (૧) ઉત્તર : (૨) (૩) (૪) હિમાલયનાં બદરીનારાયણ મંદિર પાસે દક્ષિણ : તુંગભદ્રા-નદીના તટે પૂર્વ : જગન્નાથપુરીમાં પશ્ચિમ : ફર્મા - ૨ સૌરાષ્ટ્રની દ્વારિકાપુરીમાં સુરેશ્વરાચાર્ય પદ્મપાદ વેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ હસ્તામલક સામવેદ વિવેકચૂડામણિ / ૧૭ મઠનું નામ જ્યોતિર્મઠ શૃંગેરી-મઠ ગોવર્ધન-મઠ (જગન્નાથપુરી) શારદા-મઠ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy