SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ સમગ્ર કારકિર્દી દરમિયાન, કઈ કઈ, કેવી કેવી, અને કેટલી પરિસ્થિતિઓ, અવસ્થાઓ અને અનુભૂતિઓ સંકળાય છે, એનું એક તાદૃશ શબ્દચિત્ર અહીં આપવામાં આવ્યું છે : આખા શ્લોકમાંથી ઉપસતું મુખ્ય અને એક જ વાક્ય આ પ્રમાણે છે : (મસ્ય) શૂન્નસ્થ (શરીર) (શ:) ધર્મા... અવસ્થા...યમ:...વિશેષા: (૨).... યુ.આ શરીર સાથે (આટલાં, આવાં) ધર્મો, અવસ્થાઓ, યમ-નિયમો (થમ:).. અને વિશેષતાઓ (વિશેષા:) સંકળાય છે. “ધર્મો' કયા, કેવા, કેટલા ? જન્મ (સંવ), ઘડપણ(ના), મરણ અને સ્થૂળતા(જાડાપણું, કૃશતા એટલે દૂબળાપણું) વગેરે. અને “અવસ્થાઓ?” શૈશવ-બાળપણ (શિશુતા, પછી યૌવન, પ્રઢતા)વગેરે બહુ પ્રકારની વહુવિધા. “યમ-નિયમો” ? વર્ણો, આશ્રમો વગેરે તથા તે તે વર્ષો અને આશ્રમોને લગતા અનેકવિધ (યમ-નિયમો); અને વિશેષતાઓ?' - પૂજા, અપમાન (અવમાન), બહુમાન વગેરે જેમાં મુખ્ય છે, તેવી (....મુવા:). (૯૩) અનુવાદ :- (આ) સ્કૂલ(શરીર)નાં, જન્મ-ઘડપણ-મરણ-સ્થૂળતા, - વગેરે ધર્મો છે, શૈશવ વગેરે બહુ પ્રકારની અવસ્થાઓ છે, વર્ણો-આશ્રમોના યમો-નિયમો પણ અનેક પ્રકારના છે, અને પૂજા-અપમાન-બહુમાન વગેરે જેમાં મુખ્ય છે, એવી એની વિશેષતાઓ પણ છે. (૩) ટિપ્પણ – મનુષ્ય સમજણો થાય ત્યારપછી, જો તે મનુષ્ય જીવનની સાચી સાર્થક્તા સમજતો હોય તો, તેણે પોતાને, પોતાની જાતને, આવો પ્રશ્ન પૂછવો જોઈએ : “હું કોણ છું? શું છું?” પરંતુ આનો ઉત્તર કોણ આપે? માનસશાસ્ત્રીય પૃથક્કરણ (Psychological Analysis) અનેક સંશોધનોનાં પરિણામે એવું પ્રતિપાદન કરે છે (જરા વિચિત્ર લાગે તેવું !) કે, દરેક માણસ પોતે એક નથી પણ બે છે ! એક, જે, બાહ્ય રીતે દેખાય છે તે; અને બીજો, જે, દેખાતો નથી છતાં “છે” – અંદર, ભીતર, એનો અંતરાત્મા - (Conscience). મનુષ્ય સંપૂર્ણરીતે તટસ્થ રહીને, સાક્ષીભાવે, પોતાની અંદર-ભીતર, સૂક્ષ્મ દૃષ્ટિ કરી શકે, આંતરદર્શન કરી શકે તો, તે ખરેખર, કોણ છે, કેવો છે, શું છે, - એનો સાચો ખ્યાલ આવે. આમ તો, મનુષ્ય, દેખીતી રીતે, એક જ, છે, છતાં તેનું સાચું સ્વરૂપ તો, તે પોતે જ જાણી-સમજી-સ્વીકારી-ઓળખી શકે એવું તો અંદરનું જ છે ! બીજી એક મુદાની અને પાયાની વાત : હું “શરીર છું કે “આત્મા’-(જીવાત્મા) છું ? હું, મારી ઓળખાણમાં, “યુવાન-વૃદ્ધ’, ‘જાડો-દુબળો', “બ્રાહ્મણ-વૈશ્ય', “બ્રહ્મચારી-ગૃહસ્થ', “સુખી-દુઃખી”, “અપમાનિત-સન્માનિત', - આવું કશું સાંકળું છું? આ સવાલનો જવાબ જો “હા”માં હોય તો, એનો એક જ અર્થ, એનું એક જ તાત્પર્ય, - કે હું હજુ સ્થૂલ શરીર જ છું; એનાથી, એની મર્યાદાઓથી “પર” નથી થઈ શક્યો, અને તેથી મોક્ષપ્રાપ્તિ માટેની કશી પાત્રતા નથી ! ૧૮૪ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy