________________
તે
આ જગતને, એમાંના સર્વ પદાર્થોને અને દેહાદિ તત્ત્વોને જ સત્ય માની બેસે છે અને પારમાર્થિક સત્યની ‘સત્યતા' સમજવાની શક્તિ-વૃત્તિ ગુમાવી બેસે છે, અને અંતે ઈશ્વરસાક્ષાત્કાર અને મોક્ષ જેવી આધ્યાત્મિક ઉન્નતિથી હંમેશ માટે વંચિત રહે છે.
મોહ” – શબ્દ, અહીં, આ તાત્ત્વિક અર્થમાં જ પ્રયોજાયો છે. હવે, આ અર્થમાં, શરીર વગેરે પદાર્થો પ્રત્યેનો, મોક્ષાર્થીનો, મોહ, ‘મહા-મૃત્યુ' શા માટે બની રહે છે, તે વાત, તરત જ, સમજાશે. વળી, આ “મોહ” તેના માટે સામાન્ય પ્રકારનુ નહીં, પરંતુ “મહામૃત્યુ” બને છે, એમ કહીને તો, આચાર્યશ્રીએ, “મોહ”ની વિઘ્નકારકતાની પરાકાષ્ઠા જ સૂચવી દીધી છે !
એટલે જ, ‘મુક્તિપદની પાત્રતા કોની ?' એ સવાલના જવાબરૂપે, એવું માર્મિક વિધાન તેમણે, કર્યું, - જેમાં, “મોહ”ને માત્ર ‘જીતવાની જ' વાત નથી : “મોહ” પરની “જીત” સંપૂર્ણ ત્યારે અને તો જ ગણાય, જ્યારે નિતઃ-શબ્દની પૂર્વે, વિ અને નિસ્ (નિ:, નિ) જેવા, ઉપસર્ગો એ “જીત”ને, એ “જય”ને, એ પ્રક્રિયાને, એની અંતિમ અને આત્યંતિક કક્ષાએ પહોંચાડે !
ટૂંકમાં, મોક્ષ-પદની પાત્રતા એટલે “મોહ” પરનો મુમુક્ષુનો, સંપૂર્ણ જય ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૮૭)
८८
मोहं जहि महामृत्युं देहदारसुतादिषु ।
યં ખિા મુનયો યાન્તિ તળિો: પરમં પમ્ ॥ ૮૮ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
મોહં જહિ મહામૃત્યું દેહદારસુતાદિષુ ।
યં જિત્વા મુનયો યાન્તિ તદ્ધિોઃ પરમં પદમ્ ॥ ૮૮ ॥ શ્લોકનો ગદ્ય અન્વય :- રેહ-તાર-સુત-ઞવિષુ મોઢું (તું ડ્વ) મહામૃત્યું નહિ, યં (મોદ) ખિા મુનય: વિઘ્નો તત્ પરમં પર્વ યાન્તિ ॥ ૮૮ ॥ શબ્દાર્થ – સદ્ગુરુએ અહીં શિષ્યને સીધો જ આદેશ આપ્યો છે કે - મોઢું નહિ । – મોહને હણી નાખ, મોહનો નાશ કર; દ્દ-“હણવું”, એ ધાતુનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચનનું રૂપ - નહિ. શાના પ્રત્યેનો મોહ ? વર્ એટલે સ્ત્રી, પત્ની. સંસ્કૃત-ભાષાની એક વિશિષ્ટતા (કે વિચિત્રતા ?) પ્રત્યે ધ્યાન ખેંચવાનાં પ્રલોભનને હું ટાળી શકતો નથી : “પત્ની” શબ્દની જાતિ, એનું “લિંગ”(Gender) નારીજાતિ છે, સ્ત્રી-લિંગ (Feminine Gender)છે, અને તે એક જ જાતિ (Gender) પત્નીવાચક શબ્દોની હોય, હોવી જોઈએ, એવી સમજ, સામાન્ય રીતે સહુ કોઈની સહુની હોય; પરંતુ સંસ્કૃત-ભાષામાં પત્ની(wife) માટે, નાન્યતર (Neuter) તો ઠીક, પણ નર-જાતિ (Masculine Gender)માં પણ શબ્દ મળે વિવેકચૂડામણિ / ૧૭૫
-