________________
છે !-cત્રમ્ (નાન્યતરજાતિ) અને અહીં જે શબ્દ પ્રયોજાયો છે તે, - તા: (નરજાતિ, પુલિંગ). સુન – એટલે પુત્ર; ટૂંકમાં, દેહ, સ્ત્રી(પત્ની), પુત્ર વગેરેમાંનો “મોહ” એટલે જ “મહામૃત્યુ”.
અને આ મોહ અંગે એક વધારાની વાત અહીં એ જણાવવામાં આવી છે કે આ મોહ તે છે, જેને જીતીને (fજત્વા), મુનિઓ (મુન:) વિષ્ણુનાં તે(ત) પરમ પદ(પરમે પર્વ)ને પામે છે, પ્રાપ્ત કરે છે (થાતિ). (૮૮).
અનુવાદ – જેને જીતીને મુનિઓ વિષ્ણુનાં તે પરમ-પદને પામે છે તે દેહપત્ની-પુત્ર વગેરેમાંના, મહામૃત્યુ સમા મોહને તું હણી નાખ, (એટલે કે, તેનો નાશ કર, તેનો ત્યાગ કર, તેનાથી મુક્ત થઈ જા.) (૮૮) - ટિપ્પણ – આ જગત અને તેમાંના બધા જ પદાર્થો અનિત્ય છે, સાન્ત (સ+અન્ત) છે, વિનાશશીલ છે; આમ છતાં સામાન્ય માણસને તો શરીર, પત્ની, પુત્ર, ધન વગેરેનો મોહ વળગે, તે સ્વાભાવિક છે; પરંતુ જે મોક્ષાર્થી છે, શ્રેયાર્થી છે, તેણે તો મોહનું સ્વરૂપ સમજવું અને તેને આત્મસાત્ કરવું જ રહ્યું. આ શ્લોકમાં આજ્ઞા આપવામાં આવી છે(મોહં નદ) તેમ, જો તે મોહ-મુક્ત ન બને તો, તેની મોક્ષપ્રાપ્તિની સંભાવના માટે તે મોહ “મહામૃત્યુ” જ બની રહે : અંગ્રેજી ભાષાનાં રૂઢિવાક્યને પ્રયોજતાં કહી શકાય કે આ “મોહ”, તેની મોક્ષપ્રાપ્તિ HLÈ, Sounds a death-knell !
આ અનુસંધાનમાં, એક બીજી વાત પણ નોંધપાત્ર છે કે આ શ્લોકમાં જેનો ઉલ્લેખ થયો છે તે વિષ્ણુ એટલે વિશ્વના પાલક “વિષ્ણુ” નથી. વિષ એટલે વ્યાપી જવું' - એ ધાતુ પરથી બનેલો “
વિષ્ણુ-શબ્દ એટલે સર્વવ્યાપી પરમાત્મા, નિર્ગુણ પરમતત્ત્વ, બ્રહ્મ, પરબ્રહ્મ. ઋગ્વદમાંના પાંચ સૌર દેવતાઓ(solar deities)- સૂર્ય, સવિતુ, પૂષનું, વિષ્ણુ અને મિત્ર,-માંના “વિષ્ણુ” એટલે પણ સૂર્યનું વ્યાપનશીલ (Pérvasion) પાસું.
તઃ વિષ્પો: પરમ પમ I - એ શ્રુતિવચન (કઠોપનિષદ ૧,૩,૯)માં
વિષ્ણુ-શબ્દ આ જ અર્થમાં પ્રયોજાયો છે અને વેદાન્તદર્શનને આ અર્થ જ સુસંગત લાગે, એ સ્વાભાવિક છે.
શ્રુતિ-સ્મૃતિ અને પૌરાણિક સાહિત્યમાં, નાના-મોટા અનેક મુનિઓ, મોહગ્રસ્ત થઈને, અધઃપતન પામ્યાનાં કથાનકો મળે છે; મોહને જીત્યા પછી જ તેઓ પરમતત્ત્વ પામવાના અધિકારી બની શક્યા છે.
શ્લોકનો છંદ : અનુરુપ (૮૮)
त्वङ् मांसरुधिरस्नायुमेदोमज्जास्थिसंकुलम् । पूर्णं मूत्रपुरीषाभ्यां स्थूलं निन्द्यमिदं वपुः ॥ ८९ ॥
૧૭૬ | વિવેકચૂડામણિ