SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ નરસી, ઉચ્ચ-નીચ યોનિઓમાં, (૩) અતિઝડપથી (ગન) ઘસડી જાય છે (નીતા:), અને આ રીતે, તેમનાં તે તે કર્મોનાં ફળ પ્રમાણે, આ સંસારમાં તેઓ, વારંવાર, ફરી ફરીને આવે છે (ગાથાન્તિ) અને અહીંથી પાછા ચાલ્યા છે (નિયંતિ), આવ-જા કર્યા જ કરે છે. વિષય-વાસનાઓનો કેવો ખતરનાક પ્રભાવ, મનુષ્યો પર, અહીં, આ સંસારમાં પડે છે, તેનું આ એક તાદશ શબ્દ-ચિત્ર છે. ગુજરાતના એક સંત પૂ. શ્રી શંભુ-મહારાજનું અવસાન, થોડાં વર્ષો પહેલાં, વિરમગામ-અમદાવાદ વચ્ચેના ધોરીમાર્ગ પર, એક વાહન-અકસ્માતમાં થયું હતું ત્યારે, તેમનાં પહેરણનાં ખિસ્સામાંથી નીકળેલી ડાયરીનાં પ્રથમ પાના પર લખાયેલો આ શ્લોક, આ સંદર્ભમાં, યાદ આવી જાય છે : धनानि भूमौ, पशवश्च गोष्ठे મા દક્ષારિ, નન: શ્મશાને ! देहश्चितायां परलोकमार्गे कर्मानुगो गच्छति जीव एकः ॥ મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે, તેની પરલોકયાત્રાના માર્ગમાં, અહીંથી, કોણકોણ તેની સાથે, સંગાથી તરીકે, ક્યાં સુધી જાય છે, તેની વિગતો આ શ્લોકમાં આવી છે તેનું ધન અહીં જ તેનાં ઘરના કબાટમાં કે બેંકના “લૉકરમાં પડ્યું રહે છે; તેનાં ઢોર-ઢાંખર તેની ગમાણમાં જ રહી જાય છે; તેની ધર્મપત્ની મકાનના ઝાંપા સુધી જ તેને વળાવવા આવે છે, તેનાં સગાવ્હાલાં-સ્નેહીઓ-સન્મિત્રો મશાન સુધી જ સાથ આપે છે અને તેનો દેહ ચિતાથી આગળ જતો નથી : તેના પરલોકયાત્રાના પંથમાં, તેનો જીવ બિચારો તો, સાવ એકલો જતો હોય છે, - તેની પાછળ પાછળ તો, માત્ર તેનાં કર્મો જ ધીમે ધીમે ચાલ્યાં આવતાં હોય છે ! આ શ્લોકનો છંદ : ઉપજાતિ (૭૭) * ૭૮ शब्दादिभिः पञ्चभिरेव पञ्च પત્રમાપુ: સ્વપુર વલ્લીઃ -માતા-પતં-મીન. . -ઍ ના પમિતિ : વિમ્ ૭૮ | શ્લોકનો ગુજરાતી પાઠ – શબ્દાદિભિઃ પંચબિરેવ પંચ પંચત્વમાપુ સ્વગુણેન બદ્ધાઃ | કુરંગ-માતંગ-પતંગ-મીન ભૂંગા નર પંચભિરંચિત કિ? ૭૮ શ્લોકનો ગદ્ય અન્વય – વજુબેન વાડ - સુરં-મર્તા-પતં-ની વિવેકચૂડામણિ | ૧૫૭
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy