SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ત - માંસ; રજૂ - લોહી; વ – સૂક્ષ્મ-ઝીણી ચામડી; વ - સ્થૂલ-જાડી ચામડી; માહ: ધાતુમિ: - વગેરે, ઈત્યાદિ ધાતુઓ વડે; ટૂંકમાં, “આ શરીર', - (સાત) “ધાતુઓથી યુક્ત” (વિનં) છે; આ ઉપરાંત, “આ શરીર પાટું-- વક્ષઃ-મુન-પૃષ્ઠ-મર્તા : ૩પ (૨) ૩૫યુ$ (સ્તિ) પ૬િ - પગ; કરું - જાંઘ, સાથળ, વક્ષ: - છાતી, મુઝ - હાથ; પૃષ્ઠ – પીઠ; મસ્ત - માથું; આ બધાં “અંગો' અને (આંગળાં) વગેરે “ઉપાંગો” વડે પણ તે યુક્ત છે. હવે, જ્ઞાનીઓ, જેને “શૂલ' કહે છે તે શરીરનાં બાકી રહેલાં, બે વિશેષણો આ પ્રમાણે છે : “ગદં મમ' રૂતિ પ્રથi - “હું અને મારું' - એવા ભાવો-વિચારોથી પ્રસિદ્ધ અને મોહાદું “મોહનો જે આશ્રય (સામ્પત્વ) બને છે તેવું. (૭૪-૭૫) અનુવાદ – મજ્જા, હાડકાં, માંસ, ચરબી, લોહી, ચર્મ અને ત્વચા, - ઇત્યાદિ (મ:, એ નામ-નાં સાત) “ધાતુઓથી' “અન્વિત’ (ધાતુઓવાળું); પગ, સાથળ, છાતી, હાથ, પીઠ અને માથું - આ બધાં “અંગો' અને (આંગળિયો વગેરે) ઉપાંગો વડે ઉપયોગી (૩૫યુ) બનતું; “હું અને મારું' એવા ભાવોથી જે પ્રસિદ્ધ છે; તેમ જ મોહના આશ્રયરૂપ તે આ શરીરને જ્ઞાનીઓ “શૂલ' કહે છે. (૭૪-૭૫) ટિપ્પણ :- શ્લોક-૭૩માં, ગુરુજીએ “આત્મા” અને “અનાત્મા' વચ્ચે ‘વિવેક' કરવાના મહિમા-મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. “આત્માને તો સહુ જાણે છે; દરેક મનુષ્ય-શરીરમાં એ રહે છે, - જેને સહુ Soul તરીકે ઓળખે છે. પરંતુ આ “અનાત્મા' એટલે ? “વિવેક’નો તાત્ત્વિક અર્થ સમજવા માટે, “અનાત્મા'નો પૂરેપૂરો પરિચય થઈ જવો જોઈએ, જેથી એ બે વચ્ચેનો ભેદતફાવત-“વિવેક” એટલે શું? - એ નક્કી કરી શકાય. | વેદાન્ત-દર્શન અનુસાર, “શરીર' ત્રણ પ્રકારનાં છે : “ભૂલ” શરીર, “સૂક્ષ્મ શરીર (અથવા “લિંગ') શરીર અને “કારણ શરીર. ગુરુજીએ, “અનાત્મા'ની ચર્ચામાં, સૌપ્રથમ “સ્કૂલ” શરીરનું સ્વરૂપ સમજાવ્યું છે. એમાં સાત ધાતુઓ”, “અંગો” અને “ઉપાંગો' સમજવામાં મુશ્કેલી નથીપરંતુ “સ્થૂળ શરીરનાં બાકીનાં વિશેષણો નોંધપાત્ર અને યાદ રાખવા જેવાં છે : મહું મમ પ્તિ થતું – વેદાંતની મૂળભૂત વિચારસરણી પ્રમાણે, હું આત્મ-સ્વરૂપ છું; શરીરથી અસંગ, અલિપ્ત, અળગો અને ન્યારો છું, અને છતાં નવાઈની વાત તો એ છે કે અજ્ઞાનનાં કારણે હું શરીરને “મમભાવે” “મારું કહું છું, એ શરીર એટલે “હું”, - એમ સમજું છું, અને આથી જ આ સ્થૂલ શરીર મોદી સ્પર્વ છે, “મોહનો આશ્રય બને છે, અને મનુષ્યનાં મનમાં આવી મોહબ્રાન્તિ અથવા ભ્રમણા ઊભી કરે છે. આ “સ્કૂલ” શરીર “અનાત્મા' છે, એમ શિષ્યને સમજાવવા માટે ગુરુજી, હવે પછીના થોડા શ્લોકોમાં એની સાથે સંકળાયેલાં અનેક “અનાત્મા તત્ત્વોનું સવિસ્તર નિરૂપણ કરશે. - શ્લોકનો છંદ : ઉપજાતિ (૭૪-૭૫) ૧૫ર | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy