________________
કરવા માટે, કેવી અને કેટલી પૂર્વ-અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાની હોય છે (સપેક્ષ) એની વીગતો, શ્લોકની પ્રથમ બે પંક્તિઓમાં, નિરૂપિત થઈ છે, તે તો સમજાય એવી છે; પરંતુ પોતાના નિર્મળ આત્માનું મૂળભૂત સ્વરૂપ પામવું તે, સાધક માટે, એટલું સહેલું નથી.
કારણ ?
પેલાં દાટેલાં ધનની જગ્યાને ખોદીને, તેના પરના પત્થરો વગેરે ખેંચીને બહાર કાઢો, એટલે પેલો ખજાનો હાથ આવી જાય, પરંતુ આ આત્મતત્ત્વ તો “માયા”નાં પરિણામ-સ્વરૂપ અહંકાર વડે ઢંકાયેલું (તિરોહિત) છે. શ્રુતિએ પણ આ જ વાત કરી છે : (Dષ સ૬ મૂતેષુ મૂહાત્મા પ્રાશને | કઠ-ઉપનિષદ (૧,૩, ૧૨).
સર્વ પ્રાણીઓમાં રહેલો હોવા છતાં આત્મા “ગૂઢ હોવાથી જણાતો નથી.' બસ, સાધકને મુંઝવતું એક મહા-વિજ્ઞ એટલે આ માયા ! | વેદાન્ત-દર્શનનો આ “માયા” એક પરિભાષિક શબ્દ છે, અને પોતાના કેવલાદ્વૈત-સિદ્ધાંતની સ્થાપના માટે, શ્રીશંકરાચાર્યે આ “માયા”—ત્તત્ત્વને અત્યંત કુશળતાપૂર્વક પ્રયોજ્યું છે, એની ચર્ચા હવે પછી આ ગ્રંથમાં પણ આવશે. પરંતુ હાલતુરત આટલી સમજણ પર્યાપ્ત ગણાશે : આત્મતત્ત્વ-પ્રાપ્તિની આડે આવતું એક મહાવિધ્ન એટલે આ “માયા”; તેમ જ, એવું જ બીજું વિઘ્ન છે “અવિધા”. પરંતુ આ બે વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે જ્યારે અવિદ્યા એ જીવને આવરતી-ઢાંકતી, જીવનાં આશ્રયે જ રહેલી, રજસ્તમોમયી શક્તિ છે, ત્યારે માયા તો પરમાત્માને આશ્રયે રહેલી સત્ત્વમયી શક્તિ છે. અને આ બંને “આવરણો' (આત્માને “તિરોહિત’ કરતાં ઢાંકણાં) દૂર ન થાય ત્યાં સુધી આત્મતત્ત્વને પામી શકાય નહીં. અલબત્ત, આ આવરણ-દ્રીકરણ(Removal) માટે બ્રહ્મજ્ઞાની સરુનો ઉપદેશ, એનાં પર સતત ચિંતન-મનન-નિદિધ્યાસન વગેરે સાધક માટે સુલભ જ છે; પરંતુ આ સાચા ઉપાયો સંપન્ન કરવાને બદલે માત્ર નિરર્થક બડબડાટ અથવા મિથ્યા જલ્પન કરવાથી કશું જ ન વળે !
શ્લોકનો છંદ : શાર્દૂલવિક્રીડિત (૬૭)
૬૮ • तस्मात् सर्वप्रयत्नेन भवबन्धविमुक्तये ।
નૈવ : વક્તવ્યો તિવિવ પતૈિ: I ૬૮ છે શ્લોકનો ગુજરાતી પાઠ -
તસ્માતુ સર્વપ્રયત્નન ભવબવિમુક્તયે |
સ્વનૈવ યત્નઃ કર્તવ્યો રોગાદવિવ પતિઃ || ૬૮ | શ્લોકનો ગદ્ય અન્વય - તમાત મવશ્વવિમુ : સર્વપ્રયન, વેન વ, પાવો વ, ય: વર્તવ્યઃ || ૬૮ ||
વિવેકચૂડામણિ | ૧૪૧