________________
(અ) પુત્ર સર્વગુણસંપન્ન જોઈતો હોય તો તે અલ્પાયુ હશે, અને (બ) દીર્ધાયુ પુત્ર જોઈતો હોય તો એ સર્વગુણસંપન્ન નહીં હોય !
શિવગુરુએ અલ્પાયુ છતાં સર્વગુણસંપન્ન પુત્રવાળી શરત સ્વીકારી, અને આવો પુત્ર એટલે આદ્ય શ્રીશંકરાચાર્ય !
(૨) આ પુત્ર એકપાઠી અને “શ્રતધર' (જટલું સાંભળ્યું-વાંચ્યું હોય, તે બધું મગજમાં એ જ સ્વરૂપે હંમેશ માટે સાચવી રાખવાની શક્તિ ધરાવનાર) હોવાથી, તેમણે ત્રણ વર્ષની ઉંમરે માતૃભાષા મલયાલમ શીખી લીધી.
(૩) પરંતુ ત્યારપછી તરત જ પિતાનું અવસાન થતાં, વિધવા માતાએ, પોતાના પતિની ઇચ્છા પ્રમાણે, પાંચ વર્ષની ઉંમરે, પુત્રનો ઉપનયન-સંસ્કાર સંપન્ન કર્યો અને અભ્યાસ માટે પુત્રને ગુરુ પાસે મોકલ્યો.
(૪) શંકરાચાર્ય ગુરુકુળમાં હતા, તે સમયની એક દંતકથા' આ પ્રમાણે છે : ભિક્ષા માટે તેઓશ્રી એક દરિદ્ર વિધવા બ્રાહ્મણીને ઘેર ગયા. પેલી બાઈ પાસે ઘરમાં કશું હતું નહીં, તેથી આંખમાં આંસુ સાથે, તેણીએ ભિક્ષાપાત્રમાં માત્ર એક આમળું આપ્યું. | સંવેદનશીલ શંકરાચાર્યને એ બાઈની આવી પરિસ્થિતિથી ખૂબ દુ:ખ થયું, હૃદયમાં સહાનુકંપા પ્રગટી અને આખી રાત લક્ષ્મીદેવીની સ્તુતિ કરી : બીજે દિવસે તે બાઈનાં ઘરમાં સોનાનાં આમળાંની વૃષ્ટિ થઈ !
આવી અત્યંત લાગણીસભર અને સંવેદનશીલ વ્યક્તિ માટે, આથી જ, ફુગાવા IIય અને શંકરે તો-શરમ્ (શ-ર), -- એવાં પ્રશસ્તિ-વચનો ઉચ્ચારાયાં હોય, એ સંપૂર્ણ રીતે સ્વાભાવિક છે.
આચાર્યશ્રીનાં સ્તોત્રોમાંનાં લક્ષ્મીસ્તોત્ર અથવા કનકધારા-સ્તોત્રના આધારે, આ “દંતકથા', પાછળથી, ઉપજાવવામાં આવી હોય, એવું ન બને ?
(૫) પૂર્ણા અથવા આલવાઈ નદીનો ઘાટ કાલટી-ગામથી બહુ દૂર હતો. માતા વૃદ્ધ હતી, શરીરે નબળી હતી. એક દિવસ નદીએથી પાછાં ફરતાં, મધ્યાહ્નની ગરમીનાં કારણે, માતા રસ્તામાં જ પડી ગઈ, બેહોશ થઈ ગઈ.
માતૃભક્ત શંકરને ઊંડું દુઃખ થયું, આઘાત લાગ્યો. આખી રાત તેમણે શ્રીકૃષ્ણની સ્તુતિ કરી : શ્રીકૃષ્ણ નદીનો પ્રવાહ બદલાવ્યો અને બીજા દિવસથી એ જ નદી, નવાં સ્વરૂપે ગામનાં માધવ મંદિર પાસેથી વહેવા લાગી !
(૬) માતાની ઇચ્છા સ્વાભાવિક રીતે જ, પુત્રને પરણાવવાની હતી, પણ પુત્રની વૈરાગ્યભાવના અતિપ્રબળ હતી, એની ઇચ્છા સંન્યાસની હતી. માતા-પુત્ર બંને પોત-પોતાના નિર્ણયોમાં મક્કમ હતાં.
૧૨ | વિવેકચૂડામણિ