________________
શું? – એ પણ તેમણે જણાવ્યું નથી.
તો પછી ?
આ બધા ગ્રંથોમાંનાં આલેખનની શ્રયતા, વિશ્વસનીયતા, પ્રમાણભૂતતા કેટલી ?
આ બધું તો, તેમનાં ફળદ્રુપ ભેજાંની કલ્પનાનું જ સ-વીગત નિરૂપણને ! આદ્ય શ્રીશંકરાચાર્યનાં, આજ સુધીનાં કોઈ પણ સંપાદનગ્રંથમાં, આવી સ્પષ્ટ શંકા ઉઠાવાઈ હોય, એવો મને ખ્યાલ નથી. સહુએ આચાર્યશ્રી પ્રત્યેના આદર-અહોભાવને કારણે, આ સર્વ “દિગ્વિજયો”માં નિરૂપિત, એમનાં જીવનની ઘટનાઓને એ જ રૂપે સ્વીકારી લીધી છે અને પોતપોતાનાં સંપાદનોમાં વર્ણવી છે. હું પણ એ બધું અહીં વર્ણવું તો છું જ, – માત્ર, સામાન્ય જનસમાજની અપેક્ષા સંતોષવા માટે.
પરંતુ આવી ઉપર્યુક્ત શંકા, એ બધા “દિગ્વિજયોમાંનાં આલેખનની પ્રમાણભૂતતા (Authoritativeness) વિશે, ઊઠાવું છું ત્યારે, આવો મારો અંગત મત અભિવ્યક્ત કરવા માટે, તે તે “દિગ્વિજય”-ગ્રંથોના લેખકોની, અને સહુ આધુનિક વિદ્વાનો-વિવેચકો અને પંડિતોની, હું અંતઃકરણપૂર્વક ક્ષમા પ્રાર્થ છું. - સંસ્કૃત સાહિત્યમાંના ભાસ-કાલિદાસ વગેરે મહાકવિઓની શ્રદ્ધેય જીવન-કારકિર્દી વિશે પણ આવું જ બન્યું છે, તેનાં આ બે કારણો છે : એક તો એ કે પોતાનાં વિશે લખવામાં એ સર્વને આત્મશ્લાઘાનો ભય હતો, અથવા એ સહ સર્જકોની એવી વિનમ્રતા હતી; અને બીજું એ કે એ સમયના સમકાલીન સમાજની અને એના અગ્રણીઓની પણ એવી ઉદાસીનતા હતી, અથવા ઇતિહાસ-ભાવનાનો એમનામાં એટલો અભાવ હતો કે આવી મહત્ત્વની-મૂલ્યવાન સામગ્રી, ભાવિ પેઢીના લાભાર્થે, સાચવી રાખવાનું, અથવા એવી કશી વ્યવસ્થા કરવાનું પણ એમને સૂઝયું
નહીં !
વસ્તુસ્થિતિ આવી છે ત્યારે, આદ્ય શ્રીશંકરાચાર્યની વિશ્વસનીય જીવનકારકિર્દીનું આલેખન કરવાનું અશક્ય નહીં તો, અઘરું તો છે જ. અને આ માટે, ઉપર્યુક્ત “દિગ્વિજય”-ગ્રંથો સિવાય આપણી સમક્ષ અન્ય કશી સામગ્રી પણ નથી તેથી, એ ગ્રંથોમાં આલિખિત માત્ર મુખ્ય ઘટનાઓને, અત્યંત સંક્ષિપ્ત સ્વરૂપે, નીચે પ્રમાણે, રજૂ કરું છું :
' (૧) શંકરાચાર્યના જન્મ સાથે આવી એક દંતકથા' સંકળાયેલી છે : એક સર્વગુણસંપન્ન પુત્રની પ્રાપ્તિની વિનંતી સાથે શિવગુરુએ ચિદંબરમુના ક્ષેત્રદેવતા ભગવાન શંકર સમક્ષ ઉગ્ર તપશ્ચર્યા કરી. પરંતુ શિવજીએ એમની તે તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને, પુત્રની બાબત આ બે શરતો મૂકી :
વિવેકચૂડામણિ | ૧૧