________________
શબ્દાર્થ - પરમાત્મનઃ તવ - આમ તો તું પોતે જ પરમાત્મા છે, પરમાત્મસ્વરૂપ છે, તું અને પરમાત્મા જુદા નથી, પરંતુ જ્ઞાનજ્યોત દિ – અજ્ઞાન સાથેનાં સંબંધથી જ, અજ્ઞાનનાં કારણે જ, મનાત્મવશ્વ આત્મા નહીં, તે “અનાત્મા', અને “અનાત્મા’ એટલે જ દેહ-શરીર-ઈન્દ્રિયો, મન વગેરે, અને એનો વધ – એટલે એનું બંધન, અને તત: વ - તેમાંથી જ, તેનાં જ કારણે, સંસ્કૃતિક સંસાર, તયોઃ એટલે એ બે(આત્મા-પરમાત્મા અને “અનાત્મા')ના વિવેજોહિતનોધવનિ. વિવેક એટલે એ બે જુદાં છે, એવી સમજણ, વિવેકબુદ્ધિ (Sense of discretion). વિ+વિન્ (છૂટું પાડવું, જુદું કરવું), - એ ધાતુ પરથી બનેલો શબ્દ – વિવે. વિવેવાલિત(વિવિ-લત) વોંધઃ - આ વિવેકબુદ્ધિ વડે ઉપજેલો બોધ, જ્ઞાન. એવા “બોધ'રૂપ વક્તઃ - અગ્નિ, એવાં જ્ઞાન-રૂપી, એવી સમજણ-રૂપી અગ્નિ. અજ્ઞાની સમૂર્ત કહેત - અજ્ઞાનર્થ એટલે અજ્ઞાનનાં પરિણામ - સ્વરૂપ, અજ્ઞાનમાંથી જ જન્મેલો, એટલે કે સંસાર, તેને પહેલ્ - બાળી નાખશે, સળગાવી મૂકશે, અને તે પણ સમૂલં મૂળ સાથે, મૂળ સહિત, સમૂળગો, પૂરેપૂરો, સંપૂર્ણરીતે (૪૯)
અનુવાદ - પરમાત્મ-સ્વરૂપ એવો તું અજ્ઞાનનાં સંબંધને કારણે જ અનાત્મ(એટલે દેહાદિ)નાં બંધનને પામ્યો છે, અને તેથી જ તને, તારે માટે આ) સંસાર (સર્જાયો છે. પરંતુ) આત્મા અને અનાત્માની વિવેકબુદ્ધિ વડે ઊપજેલો જ્ઞાનરૂપી અગ્નિ અજ્ઞાનનાં પરિણામ-સ્વરૂપ આળસંસાર)ને સમૂળગો સળગાવી નાખશે. (૪૯)
ટિપ્પણ – શ્લોક, એમાંનાં શબ્દો, વાક્યરચના, વક્તવ્ય વગેરે થોડાં અઘરાં છે.
વેદાન્ત-દર્શનના સિદ્ધાન્તોનું નિરૂપણ કરતો આ ગ્રંથ છે અને તે પ્રમાણે, જીવાત્મા અને પરમાત્મા, મનુષ્ય અને ઈશ્વર, ભક્ત અને ભગવાન જુદા નથી, એ બંને એક જ છે, એ બે વચ્ચે સંપૂર્ણ એકતા છે, “અભેદ' છે, “અદ્વૈત' છે. આથી જ શ્રીશંકરાચાર્યનો આ સિદ્ધાન્ત “અદ્વૈત-સિદ્ધાંત' કહેવાય છે :
નવો વઢવ નાપદ /. (જીવાત્મા એ જ બ્રહ્મ, એટલે કે પરમાત્મા છે, જુદો નથી.) પરંતુ તો પછી, સામાન્ય માણસને, અથવા સાધકને, એ બંને જુદા કેમ લાગે છે? એની સમજણ અહીં આપવામાં આવી છે. આવું ગહન સત્ય સમજવા-પામવા માટે જ્ઞાન જોઈએ, પરંતુ જમ્યા પછી મનુષ્ય દેહ-ઇન્દ્રિયો-મન વગેરે આત્મા-નહીં એવાં “અનાત્મ-તત્ત્વોના સંબંધ-સંપર્કમાં આવે છે. એનાં પરિણામે, મૂળભૂત રીતે સ્વયં-પરમાત્મા હોવા છતાં પણ, જીવાત્મા ઉપર્યુક્ત “અનાત્મ'-વસ્તુનાં બંધનમાં જકડાય છે, અને તેથી પોતે પરમાત્મા નથી', એવું અજ્ઞાન, એવી અણસમજી;
વિવેકચૂડામણિ | ૧૧૫